પ્રશ્નકર્તા: 'નમો આયરિયાણં.'

દાદાશ્રી: અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. પણ આ અત્યારે અહીં જે આચાર્યો છે એ આચાર્યો નહીં. આ તો બધા આપણે જરાક અપમાન કરીએ ત્યારે હોરા ફેણ માંડે. એટલે એવા આચાર્યો નહીં. એમની દૃષ્ટિ ફરી નથી. દૃષ્ટિ ફર્યા પછી કામનું છે. જે મિથ્યાત્વ દૃષ્ટિવાળા છે તેમને આચાર્ય ના કહેવાય. સમકિત થઈને આચાર્ય થાય તો તે આચાર્ય કહેવાય.
આચાર્ય ભગવાન કયા? આ દેખાય છે, જૈનોના આચાર્ય તે નહીં, જૈનોમાં અત્યારે આચાર્ય ભગવાન બધા બહુ હોય છે, તેય નહીં. અને વૈષ્ણવોનાય આચાર્ય છે, તેય નહીં. મંડલેશ્વરો હોય છે તેય નહીં. સુખોની જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી અને પોતાના આત્માના સુખને માટે જ આચાર પાળે છે. આયરિયાણં એટલે જેણે આત્મા જાણ્યા પછી આચાર્યપણું છે ને આચાર પોતે પાળે ને બીજાની પાસે આચાર પળાવડાવે છે, એવા ભગવાનને નમસ્કાર કરું છું. એમાં વાંધો ખરો? તમને વાંધા જેવું લાગે છે એમાં? ગમે તે હોય પછી, ગમે તે નાતનો હોય પણ આત્મજ્ઞાન થયેલું હોય તે આચાર્ય હોય, તો એમને નમસ્કાર કરું છું.
હવે એવા આચાર્ય અત્યારે જગતમાં અમુક જગ્યાએ નથી, પણ અમુક જગ્યાએ છે. એવા આચાર્યો અહીં નથી. આપણી ભૂમિકામાં નથી, પણ બીજી ભૂમિકામાં છે. માટે આ નમસ્કાર એ જ્યાં હોય ને ત્યાં પહોંચી જાય. એટલે આપણને એનું તરત ફળ મળે છે.
Book Name: ત્રિમંત્ર (Page #12 and Page #13)
A. નમો અરિહંતાણં હું એવા અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે,... Read More
Q. ત્રિમંત્ર એટલે શું અને ત્રિમંત્રની આરાધના કરવાથી શું ફાયદો થાય છે?
A. ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્ર એ નિષ્પક્ષપાતી... Read More
A. ઓળખાણ, અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More
Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?
A. પ્રશ્નકર્તા: અરિહંત ભગવાન એટલે કે ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું? દાદાશ્રી: ના,... Read More
Q. ઉપાધ્યાય ભગવંતોમાં કયા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો ઉવજ્ઝાયાણં.' દાદાશ્રી: ઉપાધ્યાય ભગવાન! એનો શું અર્થ થાય? જેને આત્મા પ્રાપ્ત થઈ... Read More
A. પ્રશ્નકર્તા: 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી: લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More
A. પ્રશ્નકર્તા: ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ સમજાવો. દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરના... Read More
Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?
A. પ્રશ્નકર્તા: લોએ એટલે શું? દાદાશ્રી: નમો લોએ સવ્વસાહૂણં. લોએ એટલે લોક. આ લોક સિવાય બીજું અલોક... Read More
A. પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે? દાદાશ્રી: હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન... Read More
Q. જય સચ્ચિદાનંદનો અર્થ શું છે?
A. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા... Read More
subscribe your email for our latest news and events
