
પ્રશ્નકર્તા: મને સામા માણસના ગુણો કરતા દોષો વધારે દેખાય છે, એનું શું કારણ?
દાદાશ્રી: આખા જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે. દૃષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ ખોળી કાઢે તરત! અને દોષ જડેય ખરા અને પોતાના દોષ જડે નહીં ને?
પ્રશ્નકર્તા: સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય?
દાદાશ્રી: એવો કોઈ કાયદો નથી, છતાં એવા દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે? પોતાના દોષો ઢાંક ઢાંક કરે ને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ. એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ.
પ્રશ્નકર્તા: બીજાની ભૂલ જ માણસ શોધે છે ને?
દાદાશ્રી: ભૂલ કોઈની જોવાય નહીં. કોઈની ભૂલ જોશો એ ભયંકર ગુનો છે. તું શું ન્યાયાધીશ? તને શું સમજણ પડે કે તું ભૂલ જોઉં છું? મોટા ભૂલના જોવાવાળા આવ્યા? ભૂલ જોઉં છું, તો પછી તું ભાન વગરનો છું. બેભાન છું. ભૂલ હોતી હશે? બીજાની ભૂલ તો જોવાતી હશે? ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી. બીજાની શું કરવા ખોળો છો? ભૂલ તમારી પોતાની જોવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી.
અને એવી જો ભૂલો જોવામાં આવે, આ પેલાની ભૂલ જુએ, પેલો પેલાની ભૂલ જુએ, તો શું થાય? કોઈની ભૂલ જ ના જોવાની હોય. છેય નહીં ભૂલ. જે ભૂલ કાઢે ને તે બિલકુલ નાલાયક હોય છે. સામાની સહેજ પણ ભૂલ થાય છે, એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે. એની પાછળ ખરાબ આશયો હોય છે. હા, ભૂલ ક્યાંથી લાવ્યા? પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. એમાં ભૂલ ક્યાં આવી? આ ન્યાયાધીશનું ડીપાર્ટમેન્ટ છે? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હુંય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને!
પ્રશ્નકર્તા: એ જ ભૂલી જાય છે કે આ સામો માણસ કર્તા નથી.
દાદાશ્રી: હા, એ એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યાંથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં. માણસ ગૂંચવાયેલો રહે.
અમને તો ક્ષણવાર પણ કોઈની ભૂલ દેખાઈ નથી અને દેખાય તો અમે મોંઢે કહી દઈએ. ઢાંકવાનું નહીં કે ભઈ, આવી ભૂલ અમને દેખાય છે. તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે.
Book Name: નિજદોષ દર્શનથી... નિર્દોષ (Page #30 and Page #31)
Q. શું દુનિયામાં જે કંઈ પણ બને તેના માટે ભગવાન જવાબદાર છે?
A. લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ... Read More
Q. શા માટે દુનિયામાં ભોગવટો અને યાતનાઓ છે?
A. દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું... Read More
Q. હું મારી બુદ્ધિને કેવી રીતે સ્થિર કરું? તે મને સતત બીજાના દોષ દેખાડે છે.
A. પ્રશ્નકર્તા: એટલે પારકાંનો દોષ નહીં આપણો જ દોષ? દાદાશ્રી: હા, એવું છે ને, બુદ્ધિને એક જગ્યાએ... Read More
A. તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દૃષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દૃષ્ટિ ના હોય. અમને... Read More
A. પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ કોઈ ભાંગી ના શકે. ભૂલ... Read More
A. દાદાશ્રી: 'સ્વરૂપના જ્ઞાન' વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, 'હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો... Read More
Q. આત્મજ્ઞાનના લક્ષણો કયા કયા છે?
A. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે... Read More
Q. આત્મજ્ઞાન પછી ભૂલોને કેવી રીતે ભાંગવી?
A. મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી... Read More
Q. મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી?
A. આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે... Read More
subscribe your email for our latest news and events
