
તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દૃષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દૃષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય પણ એની અમને અસર થાય નહીં, તેથી જ કવિએ લખ્યું છે કે,
'મા કદી ખોડ કાઢે નહીં, દાદાનેય દોષ કોઈના દેખાય નહીં.'
મને અત્યારે કોઈ ગાળો ભાંડે પછી કહેશે, 'સાહેબ, મને માફ કરો.' અરે, ભઈ, માફ અમારે કરવાનું ના હોય. માફ તો અમારા સહજ ગુણમાં જ હોય. સહજ સ્વભાવ જ અમારો વણાઈ ગયેલો કે માફી જ બક્ષે. તું ગમે તે કરું તોય માફી જ બક્ષે. જ્ઞાનીનો એ સ્વાભાવિક ગુણ થઈ જાય છે. અને તે આત્માનો ગુણ નથી એ, નથી દેહનો ગુણ, એ વ્યતિરેક ગુણો છે બધા.
આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા એટલે સુધી પહોંચ્યો. છતાં આ આત્માના ગુણો નથી. આત્માના પોતાના ગુણો તો ત્યાં ઠેઠ જોડે જાય છે, એ બધા ગુણો આત્માના. અને વ્યવહારમાં આ આપણે કહ્યા તે લક્ષણ છે એના. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામે હસે ત્યારે આપણે જાણીએ છીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે વાત બરાબર છે.
તમારી નિર્બળતા અમે જાણીએ છીએ. અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય, સહજપણે. સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું નહીં પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધે-ઘટે એ પ્રેમ ન હોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે-ઘટે નહીં એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે.
Book Name: નિજદોષ દર્શનથી... નિર્દોષ (Page #131 and Page #132)
Q. શું દુનિયામાં જે કંઈ પણ બને તેના માટે ભગવાન જવાબદાર છે?
A. લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ... Read More
Q. શા માટે દુનિયામાં ભોગવટો અને યાતનાઓ છે?
A. દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું... Read More
Q. હું શા માટે બીજાની ભૂલો જોઉં છું?
A. પ્રશ્નકર્તા: મને સામા માણસના ગુણો કરતા દોષો વધારે દેખાય છે, એનું શું કારણ? દાદાશ્રી: આખા જગતના... Read More
Q. હું મારી બુદ્ધિને કેવી રીતે સ્થિર કરું? તે મને સતત બીજાના દોષ દેખાડે છે.
A. પ્રશ્નકર્તા: એટલે પારકાંનો દોષ નહીં આપણો જ દોષ? દાદાશ્રી: હા, એવું છે ને, બુદ્ધિને એક જગ્યાએ... Read More
A. પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ કોઈ ભાંગી ના શકે. ભૂલ... Read More
A. દાદાશ્રી: 'સ્વરૂપના જ્ઞાન' વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, 'હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો... Read More
Q. આત્મજ્ઞાનના લક્ષણો કયા કયા છે?
A. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે... Read More
Q. આત્મજ્ઞાન પછી ભૂલોને કેવી રીતે ભાંગવી?
A. મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી... Read More
Q. મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી?
A. આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે... Read More
subscribe your email for our latest news and events
