જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના વિચારોનું સતત ચિંતવન થતું હોય તો એમને આ વિશેના ગંભીર પરિણામો શું આવી શકે, એ માટે સમજણપૂર્વક વિચાર કરવા વિનંતી છે. કારણ કે, આત્મહત્યાના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે.
હકીકતમાં, જ્યારે કોઈ પોતાનો જીવ આવી રીતે ગુમાવે છે, ત્યારે તેમનો આત્મા શરીર વિના ભટકતો રહે છે. વળી, આ જન્મમાં આત્મહત્યા કરવાથી, એવા કર્મ બંધાય છે કે બીજા ઘણા જન્મો સુધી વારંવાર આત્મહત્યા કરવી પડે છે.
વાસ્તવિકતામાં, જ્યારે કોઈ આ જન્મમાં આત્મહત્યા કરે છે, ત્યારે તેણે આ પ્રકારનું કૃત્ય પ્રથમ વાર કર્યું હોય એવું નથી હોતું. તેઓએ પાછલા જન્મમાં આવું કર્યું હતું અને તેના કારણે પછી અમુક જન્મો સુધી પણ આમ જ કરવાનું ચાલુ રાખે છે.
મનુષ્ય તરીકે, જીવનમાં મુશ્કેલીભર્યા સમયનો સામનો તો કરવો પડશે, પરંતુ તેનો અર્થ એમ નથી કે આપણે આવા સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીએ. તેના બદલે, જો આપણે વર્તમાનમાં જીવનની મુશ્કેલીઓનો સામનો કરીશું, તો જ આપણા કર્મના હિસાબને પૂરા કરી શકીશું. નહિંતર, આપણે ફક્ત આગલા જન્મો માટે આપણાં કર્મના દુ:ખમાં વધારો કરીને તેને વધુ તીવ્ર બનાવીશું.
પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે, "આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારેય ના કરાય. આ જે કંઈ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય."
તમારા આંતરિક ભાવો બગડે નહીં અથવા આત્મહત્યાના કોઈ નકારાત્મક વિચારો ઊભા ન થાય, તે માટે તમારી યથાશક્તિ મુજબ બધા જ પ્રયત્નો કરવા જોઈએ. આવી બાબતોથી તમારું ધ્યાન બીજે કેન્દ્રિત કરો, કારણ કે, આ નકારાત્મક (નેગેટિવ) વિચારો ફક્ત અનિચ્છનીય પરિણામો લાવી શકે છે. તેના બદલે, તમારી સમસ્યાઓના સકારાત્મક રીતે ઉકેલો શોધો અને એના પર ધ્યાન કેન્દ્રિત કરો.
અજ્ઞાનતાના કારણે, આપણે સમસ્યાઓને મન પર લઈ લઈએ છીએ. આપણે મન સાથે તન્મયાકાર (એકાકાર) થઈ જઈએ છીએ અને અનુભવીએ છીએ કે, ‘આ મારી સાથે થઈ રહ્યું છે’, ‘હું ખુશ છું’, ‘મને તે વ્યક્તિ ગમે છે’ અથવા ‘મને તે વ્યક્તિ ગમતી નથી.’ મન જે વિચારો બતાવે છે તેને આપણે પોતાના પર લઈ લઈએ છીએ અને તેની અસરમાં આવી જઈએ છીએ. યાદ રાખો કે, મન દિવસ-રાત સતત વિચારશે. તે તેનું કાર્ય કરી રહ્યું છે. તમારા પર તેની અસર ન થવી જોઈએ!
જ્યારે તમને સારા કે ખરાબ વિચારો મનમાં આવે ત્યારે તમે, ‘હું કોણ છું?’ની સાચી સમજણથી સરળતાથી અલિપ્ત રહી શકો છો. જેમ કાનનું કાર્ય ધ્વનીને સાંભળવાનું છે, તેવી જ રીતે એ મનનો સ્વભાવ બધા જ પ્રકારના વિચારો બતાવવાનો છે.
જ્યારે એ (મન) તમને સારા અને ખરાબ એમ જુદા જુદા વિચારો બતાવે છે, ત્યારે તેમાં તન્મયાકાર (એકાકાર) થવું નહીં. તેના બદલે, ફક્ત નિરીક્ષક તરીકે, ફિલ્મની જેમ વિચારોને પસાર થતા જુઓ. જ્યારે તમે પોતાના મનના માલિક બનો છો, ત્યારે જ તમને એની અસર થશે. જો તમે તમારા ખરા સ્વરૂપ (શુદ્ધાત્મા)માં, જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહો છો, તો કોઈ પણ મુશ્કેલી તમને નડશે નહીં.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
A. આપણી આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
A. દુર્ભાગ્યવશ, આત્મહત્યાના વિચારો વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More
Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા... Read More
Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થા ખાસ કરીને, કિશોરવયના છોકરાંઓ અને છોકરીઓ માટે ચિંતાજનક અને બેચેનીભર્યા સમય તરીકે... Read More
Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ... Read More
A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઊભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More
Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટિવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More
Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
A. તૂટેલું હૃદય ખૂબ જ પીડાદાયક હોય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે આપણી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે... Read More
Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
A. ચોક્કસ રીતે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય જ છે. કોઈ પણ વ્યક્તિ... Read More
A. આપણા જીવન દરમિયાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More
A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચૂકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More
A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More
Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More
A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘કોઈ મારી કદર નથી કરતું’, ‘કોઈ મને સમજી... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
A. જીવનમાં જે વ્યક્તિની તમે ખૂબ જ નજીક છો અને જે હતાશાના (ડિપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે... Read More
Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો... Read More
A. પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય? દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત... Read More
subscribe your email for our latest news and events