
જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ વ્યક્તિને તેના પરિણામો વિશે સારી રીતે વિચારવા માટે સમજાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આત્મહત્યાના પરિણામો બહુ ખરાબ છે.
જ્યારે માણસ સંસારના દુઃખો સહન નથી કરી શકતો ત્યારે દુઃખનું સોલ્યુશન કાઢવાને બદલે એનાથી ભાગવા જાય છે તો કર્મ સાથે લઈને જાય છે. દેહ છોડી દેવાથી દેહ અહીં રહી જશે પણ કર્મ છૂટતા નથી. બીજે અવતાર બધા કર્મો ફરીથી ભોગવવા જ પડશે. કર્મનો હિસાબ તો પૂરો કરવો જ પડશે.
એનો અર્થ છે કે દુઃખો આવ્યા છે ત્યારે થોડો સમય કાઢી નાખીશું તો સંજોગ સારા મળશે, સોલ્યુશન મળશે. ખરાબ સમય આવે ત્યારે દુઃખી થવું નહીં. ખરાબ સમયમાં ભગવાનની ભક્તિ કરવી અને ખરાબ સંજોગોને સમતાથી પૂરા કરવાની પ્રાર્થના કરવી.
જીવનમાં મુશ્કેલ સમયનો સામનો તો કરવો પડશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે જીવન ટૂંકાવી દઈએ. તેની બદલે, જો આપણે આ ભવની મુશ્કેલીઓનો સામનો કરીશું, તો આપણા કર્મનો હિસાબ પૂરો થઈ જશે. નહીંતર આપણે આગળના ભવો માટે પોતાનું જ દુઃખ વધારીને તેને તીવ્ર બનાવીશું.
પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે, "આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારેય ના કરાય. આ જે કંઈ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય."
આપઘાતના ભયંકર ફળ વિશે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે:
પ્રશ્નકર્તા: કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય? ભૂતપ્રેત થાય?
દાદાશ્રી: આપઘાત કરવાથી તો પ્રેત થવાય અને પ્રેત થઈને રખડવું પડે. એટલે આપઘાત કરીને ઊલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે, એના પછી કેટલાય અવતાર સુધી પડઘા પડ્યા કરે !
અને આ જે આપઘાત કરે છે એ કંઈ નવા કરતો નથી. પાછલા આપઘાતો કરેલા, તેના પડઘાથી કરે છે. આ જે આપઘાત કરે છે, એ તો પાછલા કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે. એટલે પોતાની જાતે જ આપઘાત કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે. એટલે પોતાની મેળે આપઘાત કરે છે અને આપઘાત થયા પછી અવગતિયો થઈ જાય. અવગતિયો એટલે દેહ વગર રખડતો હોય. ભૂત થવાનું કંઈ સહેલું નથી. ભૂત તો દેવગતિનો અવતાર છે, એ સહેલી વસ્તુ નથી. ભૂત તો અહીં આગળ કઠોર તપ કર્યાં હોય, અજ્ઞાન તપ કર્યાં હોય ત્યારે ભૂત થાય; જ્યારે પ્રેત એ જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા: આપઘાતના વિચારો કેમ આવતા હશે ?
દાદાશ્રી: એ તો અંદર વિકલ્પ ખલાસ થઈ જાય છે તેથી. આ તો વિકલ્પના આધારે જીવાય છે. વિકલ્પ ખલાસ થઈ જાય પછી હવે શું કરવું તેનું કશું દર્શન દેખાતું નથી, તેથી પછી આપઘાત કરવાનું વિચારે છે. એટલે આ વિકલ્પોય કામના જ છે !
સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારું ઘોર થઈ જાય, પછી કશું દેખાતું નથી! સંકલ્પ એટલે ‘મારું’ ને વિકલ્પ એટલે ‘હું’ એ બેઉ બંધ થઈ જાય ત્યારે મરી જવાના વિચાર આવે.
એક પ્રશ્નકર્તા પરમ પૂજ્ય દાદાશ્રીને આપઘાતના આવતા સાત ભવો વિશે પૂછે છે:
પ્રશ્નકર્તા: દાદા, એવું સાંભળ્યું છે કે આપઘાત પછી આવી રીતે સાત ભવ થાય, એ વાત સાચી છે ?
દાદાશ્રી: જે સંસ્કાર પડે તે સાત-આઠ ભવ પછી જાય છે. એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો.
પોતાના ભાવો બગડે નહીં કે આત્મહત્યાનો એક પણ નેગેટિવ વિચાર ઊભો ન થાય, તે માટે બનતું કરી છૂટવું. આવી બાબતોથી ધ્યાન બીજે વાળવું, કારણ કે આ નેગેટિવ વિચારો ફક્ત અનિચ્છનીય પરિણામો લાવશે. તેની બદલે, મુશ્કેલીઓના સમાધાન શોધવા અને પોઝિટિવ રહેવા પર ધ્યાન આપવું.
દરેક નેગેટિવ વિચારને લખીને તેની સામે પોઝિટિવ વિચારો લખવા. આપણું મન નેગેટિવ બતાડે ત્યારે તેને પોઝિટિવ બતાડવા માટે કહેવું. મન પોઝિટિવ પણ બતાડશે. નેગેટિવ વિચારોથી ગભરાવું નહીં. નક્કી કરવું કે મારે પોઝિટિવ જોવું છે. દરેક વસ્તુના નેગેટિવ અને પોઝિટિવ બંને પાસાં હોય છે. આપણે નક્કી કરીએ કે પોઝિટિવ જોવું છે તો મન પોઝિટિવ બતાડશે. દાખલા તરીકે મન બતાડે કે પરીક્ષામાં શું થશે? તો પોઝિટિવ શોધવા કે, “મેં આખું વર્ષ વાંચ્યું છે, હું કયા પ્રશ્નથી લખવાનું શરૂ કરીશ?” તો ધીરે ધીરે બધું વાંચેલું યાદ આવવા મંડશે અને પોઝિટિવ રહેવાશે.
દુનિયામાં અનેક સફળ વ્યક્તિઓ છે કે જેઓ સફળ થતાં પહેલાં પછડાટ ખાઈ ચૂક્યા છે અને છતાં તેમણે હિંમત ન હારતાં, પોતાના જીવનને એક મોકો આપ્યો અને સફળતાના ઉચ્ચ શિખરો સર કર્યાં.
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
