Related Questions

પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?

દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી, તેથી જ સામાજિક, રાજકીય અથવા સાંસ્કૃતિક મતભેદોથી બચવા માટે તેઓ આત્મહત્યા કરે છે. કારણ કે, તેમના જીવનને એકસાથે વિતાવવાની કોઈ આશા જ નથી રહી, તેઓ નિરાશ થઈ જાય છે અને પોતાના જીવનનો અંત લાવે છે. અમુક એવા પણ છે, જેઓ તેમના જીવનસાથીઓના મૃત્યુ પછી બાકીનું જીવન એકલા પસાર કરવાના ભયથી આત્મહત્યા કરે છે.

જો કે, આત્મહત્યા કરવાના પરિણામો ખૂબ જ ગંભીર હોય છે. લોકો માને છે કે તેઓ તેમના દુ:ખથી છટકી શકે છે, પરંતુ તેના પરિણામે ફક્ત વધુ દુ:ખ જ થશે.

Suicide Prevention

જ્યારે બે પ્રેમીઓ એક જ સમયે આત્મહત્યા કરે છે ત્યારે શું બને છે?

જ્યારે બે પ્રેમીઓ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ તેમના આગલા જીવનમાં ફરી મળવાની આશા સાથે આવું કરે છે. આ શક્ય જ નથી કારણ કે, ભવિષ્યના બધા જન્મ વ્યક્તિગત કર્મોના દ્વારા નક્કી કરવામાં આવે છે. તેઓ આ જીવનમાં બંધાયેલા છે અને તેની અસરો પછીના જીવનમાં અનુભવાય છે. આ વિજ્ઞાનમાં કંઈપણ બદલી શકાતું નથી.

તેથી, કોઈ ફરક પડતો નથી કે તમારે તમારા આગલા જીવનમાં એક થવાની ઈચ્છા કેટલી તીવ્ર છે. તે તમારું વ્યક્તિગત કર્મ છે જે તમારા આગામી જન્મને નિર્ધારિત કરશે.

કર્મ કેવી રીતે બંધાયેલા છે?

મનુષ્ય હું કોણ છું?’ અને કરનાર કોણ છે?’ એવા પ્રશ્નોના જવાબને ન જાણતા કર્મને બાંધી દે છે. કોઈ પણ ક્રિયામાં કર્મને બાંધી દે છે. એવું માનવું કે ‘હું કરનાર છું’ તે બંધનકર્તા કર્મ કહેવાય છે.

આપણામાંના દરેક વ્યક્તિ સંજોગોના વિકાસમાં કર્મ બાંધે છે. આ સમય દરમિયાન, આપણા દરેકના પોતાના મંતવ્યો હોય છે અને આપણે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપીએ છીએ, જે આપણે બાંધેલા કર્મનો પ્રકાર નક્કી કરે છે. કારણ કે, આપણાં બધાના અભિપ્રાયો અને દૃષ્ટિકોણ જુદા છે, તેથી આપણા માટે એક જ જગ્યાએ, એક જ સમયે જન્મ લેવાનું અશક્ય છે, તેથી આપણે પછીના જીવનમાં ફરી એકબીજાને મળીએ છીએ. પરમ પૂજ્ય દાદા ભગવાન, જે એક જ્ઞાની હતા, તેમણે કર્મના આ વિજ્ઞાનનો ઉઘાડ કર્યો છે. તેમણે આધ્યાત્મિક જ્ઞાન અને ‘કર્મ એટલે શું?’, ‘બંધન એટલે શું?’ અને ‘મુક્તિ એટલે શું?’ જેવા પ્રશ્નોના જવાબો મેળવવા માટે અનંત ભૂતકાળના ભવો વિતાવ્યા છે.

તેથી, તમારા જીવનને શાંતિ અને સુમેળમાં જીવવું વધુ સારું છે. બધી જ સમસ્યાઓને નિશ્ચયથી નિયંત્રિત કરવાનો નિર્ણય લો, પછી ભલે ને તે ગમે તેટલું દુ:ખદાયક અથવા અતિશય પીડાદાયક હોય. કોઈ તકલીફનું સમાધાન શોધવા અને તમારા દુ:ખને દૂર કરવા માટે દ્રઢ સંકલ્પ કરો. આપઘાત એ ક્યારેય સાચો વિકલ્પ ના હોવો જોઈએ, કારણ કે, તમારે તમારા આગલા જીવનમાં આના પરિણામ ભોગવવા પડશે.

પ્રેમ માટે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ ઉપાય શું છે?

આ વિશે વિચારો કે... જો તમે આત્મહત્યા કરો છો, તો પછી તમે સાથે રહેવાની કોઈ પણ તક છોડી રહ્યા છો. તે લડાઈ શરૂ થાય એના પહેલા જ ભાગી જવા જેવું છે. તેના બદલે, આ અન્ય ઉકેલોનો પ્રયાસ કરો:

  • તમારા માતા-પિતા સાથે ખુલ્લા અને પ્રામાણિક બનો. તેમનાથી કંઈ પણ છુપાવશો નહીં.
  • તમારા જીવનસાથીમાં કયા ગુણો છે? તેઓ તમને કેવી રીતે ખુશ રાખશે? આ બાબતો તમારા માતા-પિતાને સમજાવો.
  • તમારા માતા-પિતાના દૃષ્ટિકોણને પણ સાંભળો.
  • ધૈર્ય રાખો અને શાંત રહો.
  • સરળ રહો, ઉતાવળથી નિર્ણય ન લો.
  • બધા પક્ષો સાથે ખુલ્લા મનથી વાતચીત કરો.
  • તમારા માતા-પિતાને મનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો. છેવટે, માતા-પિતા તો તેમના બાળકો ખુશ રહે, તેવું જ ઈચ્છતા હોય છે. તેમની ઈચ્છા વિરુદ્ધ ન જાઓ.જો તમે તમારા માતા-પિતાને નાખુશ કરો છો, તો પછી તમે જીવનમાં ખુશ કેવી રીતે રહી શકશો?
  • તમારા, તમારા જીવનસાથી અને તમારા માતા-પિતા વચ્ચે તકરાર ઊભી કરવાની મંજૂરી આપશો નહીં.
  • જો તમે ખરેખર એકબીજાને પ્રેમ કરો છો, પરંતુ તમે સાથે રહી શકતા નથી, તો તમારે બીજી વ્યક્તિની સુખાકારી માટે પ્રાર્થના કરવી જોઈએ. તેઓ જ્યાં પણ હોય ત્યાં ખુશ રહે. તે જ સાચા પ્રેમની નિશાની છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યાને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઈક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતા આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું? આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતના પરિણામો કયા છે?
×
Share on