દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો મેળવવા આત્મહત્યાના પ્રોમિસ આપીને આત્મહત્યા કરી લે છે. સાથે જીવન જીવવાની કોઈ આશા ન હોવાને લીધે, તેઓ નિરાશ થઈને પોતાના જીવનનો અંત લાવી દે છે. કેટલાક એવા પણ છે, જેઓ પોતાના પ્રેમીના મૃત્યુ પછી આગળનું જીવન એકલું ગાળવાના ડરથી આપઘાત કરી લે છે.
જો કે, આપઘાતના પરિણામો ખૂબ જ ખરાબ આવે છે. લોકો તેને દુઃખથી છૂટકારો માને છે, પરંતુ તેનાથી ભવિષ્યમાં વધારે દુઃખ જ આવશે.

જ્યારે બે પ્રેમીઓ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ આવતા જન્મમાં ફરીથી એક થવાની આશા સાથે આવું કરે છે. આ શક્ય જ નથી, કારણ કે ભવિષ્યના જન્મો પોતપોતાના કર્મોથી નક્કી થાય છે. કર્મો આ ભવમાં બંધાયા છે અને તેની ઈફેક્ટ આવતા ભવે મળે છે. કર્મના આ સિદ્ધાંતને બદલી શકાતો નથી.
એટલે, આવતા ભવે એક થવાની ઈચ્છા ગમે તેટલી પ્રબળ હોય પણ એનાથી કંઈ ફેર નથી પડતો. પોતાના કર્મથી જ આવતો ભવ નક્કી થાય છે.
આપણે સંજોગોના ઉદય વખતે કર્મ બાંધીએ છીએ. આ વખતે આપણી દરેક પાસે પોતાના અભિપ્રાયો હોય છે અને આપણે અલગ રીતે રિએક્ટ કરીએ છીએ, જેનાથી કયું કર્મ બંધાશે એ નક્કી થાય છે. આપણા દરેકના અભિપ્રાયો અને વ્યૂ પોઈન્ટ જુદા-જુદા હોય છે, એટલે આપણા માટે આવતા ભવે એકબીજાને ફરીથી મળવા માટે એ જ જગ્યાએ, એ જ સમયે જન્મ લેવો શક્ય નથી. માટે, શાંતિથી જીવન જીવવું સારું. ગમે તેટલું ભારે દુઃખ હોય, એને સ્વસ્થ રહીને ઉકેલવાનો નિશ્ચય કરવો. દુઃખનો ઉપાય શોધવાનો અને એમાંથી બહાર આવવાનો દૃઢ સંકલ્પ કરવો. આત્મહત્યા એ ક્યારેય વિકલ્પ ન હોવો જોઈએ, કારણ કે તેના પરિણામો આવતા જન્મમાં ભોગવવા પડશે.
પ્રેમી સાથે આત્મહત્યા વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન સાથેનો નીચે દર્શાવેલ સંવાદ વાંચીએ:
પ્રશ્નકર્તા: બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય?
દાદાશ્રી: રખડેલ પ્રેમ! એને પ્રેમ જ કેમ કહેવાય? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય! અને કહેશે, ‘આવતા ભવમાં એકલા જ જોડે હોઈશું.’ તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય!!
પ્રશ્નકર્તા: ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં?
દાદાશ્રી: ઈચ્છા રાખ્યે કંઈ દહાડો વળે? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને! આ તો ઈમોશનલપણું છે.
જરા વિચારો… જો આપણે આત્મહત્યા કરીએ છીએ, તો પ્રેમીની સાથે રહેવાની થોડી ઘણી તક પણ ગુમાવી દઈએ છીએ. આ તો લડાઈ શરૂ થતાં પહેલાં જ ભાગી જવા જેવું છે. તેની બદલે, બીજા ઉપાયો અજમાવવીએ:
Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌને ભૂલો કરવી નથી ગમતી, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે. આમાંથી કેટલીક ભૂલો નાની હોય છે, પરંતુ... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More
subscribe your email for our latest news and events
