
ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત 'જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે 'જેમ છે તેમ' હોય. આ ગુપ્ત તત્ત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ. ન્યાય કરનારો ચેતન હોય ને તો તે પક્ષાપક્ષી પણ કરે. પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્પ્યુટર જેવું છે. આ કોમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્પ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન ચેતન છે, પાછો 'વીતરાગ' છે! 'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે (લે) તો મોક્ષે જ જાય. કોનો શબ્દ? જ્ઞાની પુરુષનો! એનાથી કોઈને કોઈની સલાહ જ ના લેવી પડે, કે આમાં કોની ભૂલ? 'ભોગવે એની ભૂલ.'
આ સાયન્સ છે, આખું વિજ્ઞાન છે. આમાં તો એક અક્ષરેય ભૂલ નથી. આ તો વિજ્ઞાન એટલે તદ્દન વિજ્ઞાન જ છે. આખા વર્લ્ડને માટે છે. આ કંઈ ઈન્ડિયાને માટે જ છે એવું નથી, ફોરેનમાં બધા માટે પણ છે આ!
જ્યાં આવો ચોખ્ખો નિર્મળ ન્યાય તમને બતાવી દઈએ છીએ, ત્યાં ન્યાયાન્યાયનું વહેંચાણ કરવાનું ક્યાં રહે? આ બહુ જ ઊંડી વાત છે. તમામ શાસ્ત્રોનો સાર કહું છું. આ તો 'ત્યાં'નું જજમેન્ટ (ન્યાય) કેવી રીતે ચાલી રહ્યું છે તે એક્ઝેક્ટ કહું છું કે, 'ભોગવે એની ભૂલ.' અમારી પાસેથી 'ભોગવે એની ભૂલ' આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે! એને જે જે વાપરશે, તેનું કલ્યાણ થઈ જશે!!!
Book Name: ભોગવે એની ભૂલ (Page #24 and Page #25)
૧) જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.
૨) આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. 'ભોગવે તેની ભૂલ'! આ એક જ ન્યાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખોય ઊભો છે!
A. બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે?... Read More
Q. શા માટે લોકો આપણને દુઃખ આપે છે?
A. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. કુદરતના ન્યાયનું સ્વરૂપ શું છે?
A. જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી.... Read More
subscribe your email for our latest news and events
