
આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું નહીં. પણ જે બન્યું એ જ ન્યાય, એવું જ્યારે સમજાશે ત્યારે આ બધો નિવેડો આવશે.
'બન્યું એ ન્યાય' નહીં કહો તો બુદ્ધિ કૂદાકૂદ, કૂદાકૂદ કરશે. અનંત અવતારથી આ બુદ્ધિ લોચા વાળે છે, મતભેદ પાડે છે. ખરી રીતે બોલવાનો વખત જ ના આવે. અમારે કશું બોલવાનો વખત જ ના આવે. જે છોડી દે એ જીત્યો. એ પોતાની જોખમદારી પર ખેંચે છે. બુદ્ધિ ગઈ એ શી રીતે ખબર પડે? ન્યાય ખોળવા ના જઈશ. 'જે બન્યું એને ન્યાય' કહીએ એટલે એ બુદ્ધિ જતી રહી કહેવાય. બુદ્ધિ શું કરે? ન્યાય ખોળ ખોળ કરે ને તેથી આ સંસાર ઊભો રહ્યો છે. માટે ન્યાય ના ખોળો.
ન્યાય ખોળવાનો હોતો હશે? જે બન્યું એ કરેક્ટ, તરત તૈયાર. કારણ કે, 'વ્યવસ્થિત' સિવાય કશું બનતું જ નથી. નકામી હાયવોય! હાયવોય!!
એટલે બન્યું એને ન્યાય કહેશો ને તો નિર્વિકલ્પ રહેશો અને લોક નિર્વિકલ્પ થવા માટે ન્યાય ખોળવા નીકળ્યા છે. વિકલ્પોનો એન્ડ આવે એ મોક્ષનો રસ્તો! આપણો માર્ગ વિકલ્પો ઊભા ના થાય એવો છે ને? મહેનત કર્યા વગર આપણા અક્રમ માર્ગમાં માણસ આગળ વધી જાય. આપણી ચાવીઓ જ એવી છે કે મહેનત કર્યા વગર આગળ વધી જાય. હવે બુદ્ધિ જ્યારે વિકલ્પો કરાવડાવે ને, ત્યારે કહી દેવું, જે બન્યું એ ન્યાય. બુદ્ધિ ન્યાય ખોળે કે મારાથી નાનો થયો, મર્યાદા રાખતો નથી. એ રાખી એ જ ન્યાય અને ના રાખી તેય ન્યાય. જેટલી બુદ્ધિ નિર્વિવાદ થશે, એટલે નિર્વિકલ્પ થાય પછી! આ વિજ્ઞાન શું કહે છે? ન્યાય તો આખું જગત ખોળી રહ્યું છે. એના કરતા આપણે જ સ્વીકારી લો ને કે આ બન્યું એ જ ન્યાય. પછી જજોયે ના જોઈએ ને વકીલેય જોઈએ નહીં. અને નહીં તોય છેવટે એવું જ રહે ને પાછું માર ખાઈને?
Book Name: બન્યું તે જ ન્યાય (Page #17)
Q. કુદરતી આફતો કે અકસ્માતમાં ભગવાન નિર્દોષ લોકોને કેમ દુઃખ આપે છે?
A. આજકાલ ટીવી કે ન્યૂઝ ચેનલોમાં જ્યારે અણબનાવો જોવા અને સાંભળવા મળે, ત્યારે આપણું હૃદય કંપી ઊઠે. પૂર,... Read More
Q. કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?
A. પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને... Read More
Q. દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?
A. આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું... Read More
A. જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે?... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More
subscribe your email for our latest news and events
