લક્ષ્મી શાથી ખૂટે છે? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે.
પૈસા કમાવવા માટે અક્કલ વાપરવાની ના હોય. અક્કલ તો લોકોનું ભલું કરવા માટે જ વપરાય.
જ્ઞાન જાણવાથી પ્રકાશમાં આવે કે શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી દુઃખી થાય છે? અક્કલવાળા તો ટ્રીક વાપરીને બધું બગાડે છે.
ટ્રીક શબ્દ જ ડિક્શનરીમાં ના હોવો જોઈએ. 'વ્યવસ્થિત'નું જ્ઞાન શા માટે આપ્યું છે? 'વ્યવસ્થિત'માં જે હોય તે ભલે હો. અગિયારસો રૂપિયા નફો હોય તો ભલે હો અને ખોટ હોય તો તે પણ ભલે હો. આ તો 'વ્યવસ્થિત'ના હાથમાં સત્તા છે, આપણા હાથમાં સત્તા નથી. જો આપણા હાથમાં સત્તા હોય તો કોઈ માથાના વાળ ધોળા જ ના થવા દે. ગમે તે ટ્રીક ખોળી કાઢે ને કાળાને કાળા જ વાળ રાખે.
ટ્રીક વગરનો માણસ સરળ લાગે. તેનું મોઢું જોઈએ તોય રાજી થઈ જવાય. પણ ટ્રીકવાળાનું મોઢું તો ભારે લાગે. દિવેલ પીધેલા જેવું લાગે. પોતે 'શુદ્ધાત્મા' થયા પછી આ બધો માલ ચોખ્ખો કરવો પડશે ને? જેટલું લિયા એટલું દિયા તો કરવું જ પડશે ને! અને ટ્રીકથી ભરેલો માલ માર ખાઈને પણ દિયા તો કરવો પડશે જ ને? તેથી જ અમે કહીએ છીએ કે, 'ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી એન્ડ ડીસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.'
Book name: આપ્તવાણી 1 (Page #95 Paragraph 1 to 7 Page #96 Paragraph #1).
Q. ધંધામાં નીતિ અને પ્રમાણિકતા કઈ રીતે રાખવા?
A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More
Q. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે શું કરવું?
A. ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ... Read More
Q. ધંધામાં લેણ-દેણ વખતે શું ધ્યાનમાં રાખવું?
A. ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય.... Read More
Q. મારે ધંધો કેટલો વધારવો જોઈએ?
A. પ્રશ્નકર્તા: હવે ધંધો કેટલો વધારવો જોઈએ? દાદાશ્રી: ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
Q. મંદીના સમયમાં શું કરવું? લક્ષ્મીનો સ્વભાવ શું છે?
A. પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું? દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો... Read More
Q. અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબના બેનને મેં પૂછ્યું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. ધંધામાં નીતિમત્તા એટલે શું?
A. પ્રશ્નકર્તા: આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ? દાદાશ્રી: એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર... Read More
A. જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય!... Read More
subscribe your email for our latest news and events