લક્ષ્મીનું આવન જાવન
દાદા કહે છે કે લક્ષ્મી ખરેખર પુણ્યથી આવે છે. પૂર્વભવે બીજાને સુખ આપ્યું હોય તો પુણ્ય બંધાય છે અને એના ફળરૂપે લક્ષ્મી આવ્યા જ કરે છે. આ વીડિયોમાં પૂજ્ય દીપકભાઈ લક્ષ્મી માટેના સિદ્ધાંત ખુલ્લા કરે છે.
મનુષ્ય ધંધો રોજગાર કરે છે તેનો હેતુ શો છે? પૈસા કમાવાનો. એમાંય બધાને નફો જ જોઈતો હોય, ખોટ માટે કોઈ ધંધો નથી કરતું. પૈસા કમાવા પાછળનો દરેકનો હેતુ જીવનનું ગુજરાન ચલાવવાનો અને સુખી થવાનો છે. પણ શું પૈસાથી સુખી થઈ જવાય છે?
લોકો આખો દિવસ પૈસા કમાવા માટે દોડધામ કરી મૂકે છે. પૈસા પાછળ તો આખું જગત ગાંડું થયું છે. તેમ છતાં સુખ આવતું નથી. મોટા મોટા બંગલાઓ, ગાડીઓ, નોકરો બધું હોય, પણ તેને ભોગવવાનો કોઈની પાસે સમય નથી, કારણ કે પૈસા કમાવાની રેસમાં તેઓ દોડ્યા જ કરતા હોય છે.
એટલું જ નહીં, આજકાલ ધંધો રોજગાર કરતી વખતે કઈ રીતે ઝડપથી પૈસા કમાઈ લેવા તેની દોટ મૂકાઈ છે. એ દોટમાં એવો અંધાપો આવી જાય છે કે લોકોને હિતાહિતનું ભાન નથી રહેતું. પૈસા કમાવાની લાલચને લઈને વસ્તુઓમાં ભેળસેળ, અનીતિ, ભ્રષ્ટાચાર, કાળું નાણું વગેરે દૂષણો વ્યાપી ગયા છે.
આ કાળમાં જયારે બધા જ ધંધાદારીઓ અધોગતિના કારણો બાંધી રહ્યા છે, ત્યારે મનુષ્ય કઈ સમજણથી આ જોખમદારીમાંથી છૂટી શકે અને જીવન વ્યવહાર પણ સચવાઈ રહે, તેની સમજણ અહીં ખુલ્લી થાય છે.
Q. ધંધામાં નીતિ અને પ્રમાણિકતા કઈ રીતે રાખવા?
A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More
Q. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે શું કરવું?
A. ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ... Read More
Q. ધંધામાં લેણ-દેણ વખતે શું ધ્યાનમાં રાખવું?
A. ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય.... Read More
Q. મારે ધંધો કેટલો વધારવો જોઈએ?
A. પ્રશ્નકર્તા: હવે ધંધો કેટલો વધારવો જોઈએ? દાદાશ્રી: ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે... Read More
Q. શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના... Read More
Q. ધંધામાં ટ્રીક... શું મારે વાપરવી જોઈએ?
A. લક્ષ્મી શાથી ખૂટે છે? ચોરીઓથી. જ્યાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.... Read More
Q. મંદીના સમયમાં શું કરવું? લક્ષ્મીનો સ્વભાવ શું છે?
A. પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું? દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો... Read More
Q. અનીતિનાં પૈસાની શું ઈફેક્ટ આવે છે?
A. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબના બેનને મેં પૂછ્યું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને?' ત્યારે એ બેન... Read More
Q. ધંધામાં નીતિમત્તા એટલે શું?
A. પ્રશ્નકર્તા: આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ? દાદાશ્રી: એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર... Read More
A. જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય!... Read More
subscribe your email for our latest news and events