લક્ષ્મીનું આવન જાવન
દાદા કહે છે કે લક્ષ્મી ખરેખર પુણ્યથી આવે છે. પૂર્વભવે બીજાને સુખ આપ્યું હોય તો પુણ્ય બંધાય છે અને એના ફળરૂપે લક્ષ્મી આવ્યા જ કરે છે. આ વીડિયોમાં પૂજ્ય દીપકભાઈ લક્ષ્મી માટેના સિદ્ધાંત ખુલ્લા કરે છે.
મનુષ્ય ધંધો રોજગાર કરે છે તેનો હેતુ શો છે? પૈસા કમાવાનો. એમાંય બધાને નફો જ જોઈતો હોય, ખોટ માટે કોઈ ધંધો નથી કરતું. પૈસા કમાવા પાછળનો દરેકનો હેતુ જીવનનું ગુજરાન ચલાવવાનો અને સુખી થવાનો છે. પણ શું પૈસાથી સુખી થઈ જવાય છે?
લોકો આખો દિવસ પૈસા કમાવા માટે દોડધામ કરી મૂકે છે. પૈસા પાછળ તો આખું જગત ગાંડું થયું છે. તેમ છતાં સુખ આવતું નથી. મોટા મોટા બંગલાઓ, ગાડીઓ, નોકરો બધું હોય, પણ તેને ભોગવવાનો કોઈની પાસે સમય નથી, કારણ કે પૈસા કમાવાની રેસમાં તેઓ દોડ્યા જ કરતા હોય છે.
એટલું જ નહીં, આજકાલ ધંધો રોજગાર કરતી વખતે કઈ રીતે ઝડપથી પૈસા કમાઈ લેવા તેની દોટ મૂકાઈ છે. એ દોટમાં એવો અંધાપો આવી જાય છે કે લોકોને હિતાહિતનું ભાન નથી રહેતું. પૈસા કમાવાની લાલચને લઈને વસ્તુઓમાં ભેળસેળ, અનીતિ, ભ્રષ્ટાચાર, કાળું નાણું વગેરે દૂષણો વ્યાપી ગયા છે.
આ કાળમાં જયારે બધા જ ધંધાદારીઓ અધોગતિના કારણો બાંધી રહ્યા છે, ત્યારે મનુષ્ય કઈ સમજણથી આ જોખમદારીમાંથી છૂટી શકે અને જીવન વ્યવહાર પણ સચવાઈ રહે, તેની સમજણ અહીં ખુલ્લી થાય છે.
Q. ધંધામાં નીતિ અને પ્રામાણિકતા શા માટે રાખવા?
A. સુખી થવાનો સાચો માર્ગ છે, નીતિ અને પ્રામાણિકતા ભર્યું જીવન. મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાભર્યું... Read More
Q. ધંધામાં નફો કે ખોટ આવે ત્યારે શું કરવું?
A. ધંધાના બે બાળકો છે, જે નિયમથી જ જન્મે છે. એકનું નામ ખોટ અને એકનું નામ નફો. નફો બધાને ગમે અને ખોટ... Read More
Q. ધંધામાં લેણ-દેણ વખતે શું ધ્યાનમાં રાખવું?
A. ધંધામાં આપણે કોઈના દેણદાર હોઈએ, એટલે કે આપણે કોઈના પૈસા ઉછીના લીધા હોય અને એ દેવું ચૂકવવાનું હોય.... Read More
Q. પૈસાનો લોભ એટલે શું? તે કઈ રીતે ઓળખાય?
A. લોભની વ્યાખ્યા શું? પોતાની પાસે ઘણા પૈસા હોય, છતાં રાત-દિવસ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય;... Read More
A. લોભ એટલે અંધાપો! પોતાને પણ ના ખબર પડે કે લોભ થઈ રહ્યો છે. લોભી વ્યક્તિનું ચિત્ત આખો દિવસ લોભમાં... Read More
A. લોભનો વિરોધી શબ્દ છે સંતોષ. જેટલો સંતોષ રહે એટલો લોભ જાય. પણ સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી... Read More
A. લોકો એમ માને છે કે લક્ષ્મી મહેનત કરવાથી, એની પાછળ પડવાથી કે બુદ્ધિ વાપરવાથી મળે છે. પણ જો મહેનતથી... Read More
Q. પૈસાની પાછળ દોટ મૂકવાનું શું પરિણામ આવે?
A. હંમેશા લોકો લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. પણ વધુ લક્ષ્મી મેળવવાની દોટ માણસને મજૂર બનાવે છે. તેમાં... Read More
Q. લક્ષ્મીનો વ્યવહાર કેવો હોવો જોઈએ?
A. લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો... Read More
subscribe your email for our latest news and events