જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે, ‘બેટા, તું શું કરી રહ્યો છે તેના વિશે તે વિચાર્યું છ?’ અને ‘શું આવું તને શોભે છે?’ જો તેઓ ના કહે તો પછી તમારે તેમને પૂછવું કે, ‘તું શા માટે આવું કાર્ય કરે છે.’ તેઓ નિર્ણય લેવા માટે અને સમજવા માટે સક્ષમ છે. જ્યારે તેઓ કશું ખોટું કરે છે, ત્યારે તેઓને તરત જ ખબર પડી જાય છે. પરંતુ, જો તમે તેમની નિંદા કરવાનું શરૂ કરશો, તો પછી તેઓ તમારી સામે થશે અને ગુસ્સાવાળા થશે.
એ રીતે બોલો કે જેથી સામી વ્યક્તિનો અહંકાર ઊભો ન થાય. જ્યારે તમે તમારા બાળકો સાથે વાતો કરો છો ત્યારે રોફપૂર્વકના શબ્દો ન બોલો. એવી રીતે બોલો કે જેથી તેમણે જે ભૂલો કરી છે, તેમાંથી શીખવા માટે તેઓને તમારા શબ્દો મદદરૂપ થાય. જ્યારે પરમ પૂજ્ય દાદાશ્રી લોકો સાથે વાત કરે છે ત્યારે, લોકોનો અહંકાર જરા પણ હલે નહીં. કારણ કે, તેમની વાણી અહંકાર રહિતની હોય છે અને તેમનો અવાજ ભારપૂર્વકનો હોતો નથી.
પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે જ્યાં સુધી બાળકો પંદર વર્ષના છે, ત્યાં સુધી તમે ઈચ્છો તે રીતે બાળકોને વાળી શકો છો.
અહીં બાળકોને ઘડવા માટેના કેટલાક રસ્તાઓ આપેલ છે, જેથી તેઓ તેમના બાળપણની ભૂલોમાંથી શીખે:
નીચેના સંવાદમાં પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે બાળક સાથે કઈ રીતે વાતો કરવી જોઈએ કે જેથી તેનો ઉછેર સંતુલિત વ્યક્તિ તરીકે થાય?
પ્રશ્નકર્તા: ટકોર કરવી પડે ને, જો એની ભૂલ થતી હોય તો?
દાદાશ્રી: તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું? ત્યારે એ કહે કે, મને ઠીક નહીં લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધા, સમજે છે બધા, પોતે ખોટું થયું હોય ને તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું? ત્યારે ઊલટો પકડ પકડે. ના, ‘હું કરું છું’ એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું તે?
સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.
પ્રશ્નકર્તા: સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતા કારણે કે અકારણે કટુ વચન બોલવા પડે, તો એ પાપ કે દોષ છે?
દાદાશ્રી: એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય? ગુલાબના ફૂલ જેવું, નહીં? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડા વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળા પરિણામ બાંધશે. એ છોકરો અવળા પરિણામ બાંધે. ‘અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.’ એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ.
પ્રશ્નકર્તા: આપણે અનેકવાર સમજાવીએ, છતા એ ના સમજે તો શું કરવું?
દાદાશ્રી: સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે?
દાદાશ્રી: એક બેંકનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતા હોય, પણ મારે બોલવાનું નહીં. એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેંકના મેનેજર બનાવ્યા તે આ? તમને છોડી-છોકરાં સાચવતા નથી આવડતા ને વહુ સાચવતા નથી આવડતી! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.’ પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા’ મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું? હવે આવું નહીં કરવાનું.’ એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ’ જ છે. કારણ કે બાપાએ ‘એક્સેપ્ટ’ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરના ફાટી ગયા છે. બોલવાનું બધું પણ નાટકીય! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરના બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને? છોકરાંઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે?
૧) કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતાં નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી. પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો.
૨) છોકરાં જોડે તમે ચિઢાવ તો એ નવી 'લોન' લીધી કહેવાય. જૂની લોન તો હજી પૂરી થઈ નથી ! ચિઢાવું એ તો 'કોન્ટ્રાક્ટ'ના બહારની 'એકસ્ટ્રા આઈટમ' કહેવાય. આનાથી જ નવાં દેવાં ઊભાં કરતો જાય છે.
૧) જ્યારે બાળકને ઠપકો આપવામાં આવે છે, ત્યારે તેઓ સાચું કહેતા નથી અને તેઓ વાતને છૂપાવતા શીખે છે. આ રીતે કપટનું દુનિયામાં સર્જન થાય છે.
૨) જ્યારે તમે તમારા બાળકો ઉપર ચિડાવ છો, ત્યારે તમે પછીના ભવ માટે નવા કર્મો બાંધો છો. જ્યાં સુધી તમને ચિડાવાથી કોઈ પીડા અનુભવાતી નથી, ત્યાં સુધી તેમાં કશું પણ ખોટું નથી. તે નાટકીય રીતે હોવું જોઈએ.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events