માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત બનાવવા માટે વ્યક્તિગત રીતે પ્રયાસો કરવા જોઈએ. પ્રસ્તુત અંકના પહેલા ભાગમાં માતા-પિતાએ શું કરવું જોઈએ તેની ચર્ચા છે અને પછીના ભાગમાં બાળકોએ તેમના માતા-પિતા સાથેના સંબંધો મજબૂત કરવા શું કરવું જોઈએ તેની વાતો છે. પરંતુ, માતા-પિતાએ બાળકો પાસે તેમનો ભાગ યોગ્ય ભજવાય તેવી અપેક્ષા ન રાખવી જોઈએ અને એ જ રીતે બાળકોએ પણ માતા-પિતા પાસે અપેક્ષા ન રાખવી જોઈએ. આવું ત્યારે જ બને જ્યારે સામાને સુધારવાની અપેક્ષા વગર આપણે જ સુધરી જઈએ.
માતા-પિતા અને બાળકોના સંબંધને મજબૂત કરવા માટે, વ્યક્તિએ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. માતા-પિતાની ભૂમિકા સંતાનોના ઉછેર, માર્ગદર્શન અને છેલ્લે મિત્ર સુધીની રહે છે. સાત કે આઠ વર્ષની ઉંમર સુધી જો બાળક ભૂલો કરે છે તો તમારે તેમને માર્ગદર્શન આપવું જોઈએ અને જો જરૂર જણાય તો તેઓ માટે શિસ્તના પગલા પણ લેવા જોઈએ. બારથી પંદર વર્ષ સુધી તમે તેમને માર્ગદર્શન આપી શકો છો. પરંતુ, સોળ વર્ષ પછી તમારે તેમના મિત્ર બની જવું જોઈએ.
સૈદ્ધાંતિક રીતે, આપણે જાણવું જોઈએ કે માત્ર પ્રેમ અને સમજણ જ બાળકના હૃદયને સ્પર્શી શકે છે. પરંતુ, વ્યવહારિક રીતે તેમનામાં થોડી અધૂરાશ હોય છે, જે આપણે જ પૂર્ણ કરી શકીશું! તેથી, ચાલો આ માતા-પિતા અને બાળકો વચ્ચેના મૂલ્યવાન સંબંધો માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે સમજીએ, જેથી તમારું બાળક સુખી અને આત્મવિશ્વાસુ બની શકે.
અ) આ ચાવીઓની જાગૃતિ તમારા ધ્યાનમાં મદદ કરશે:
બ) રોજબરોજના વ્યવહારમાં મા-બાપ છોકરાંના સંબંધને મજબૂત બનાવવા માટેના વ્યવહારુ દ્રષ્ટાંતો:
૧. સાંભળો: તેમના પ્રેમને અને તમારા ઉપરના વિશ્વાસને જીતવા માટે તેમનું સાંભળો અને તેમની સાથે સંમત હો તો કંઈક કહો અથવા મૌન રહો. પરંતુ, કોઈ તારણ ઉપર ન આવી જાવ અને રોજબરોજની વાતચીતમાં તેમનો વિરોધ ન કરો.
૨. વાતો કરો: માતા-પિતા માટે આ એક ખૂબ જ મહત્ત્વનું પાસું છે, બાળકો સાથે કઈ રીતે વાતો કરવી! સમજણ સાથે અને પ્રેમથી તેમજ શાંતિથી બોલો, ફક્ત થોડા શબ્દો જ ઉપયોગમાં લો અને એક દિવસ તમે તેને જીતી જશો. તમને આના પરિણામો તરત જ જોવા નહીં મળે. તમારો પ્રેમ એક મહિના સુધી સતત શરૂ રાખો અને પછી તેનું પરિણામ જુઓ.
કઈ રીતે વાતો કરવી તેની વિગતવાર સમજણ માટે, વાંચો “૨. બાળક સાથે કઈ રીતે વાતો કરવી અને કઈ રીતે વર્તવું?”
૩. મિત્રોની જેમ સમય પસાર કરો:
૪. જ્યારે વસ્તુઓ બગડે ત્યારે:
ક્યારેક એવો સમય આવશે કે જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે અને આપણે આપણા બાળકને દુ:ખ થાય એવા શબ્દો કહીએ છીએ. સૌથી અગત્યની વાત તો એ છે કે, ગુનાના ભાવને કારણે લાગણીશીલ નહીં થઈ જવાનું કે ગુસ્સે નહીં થવાનું અને સત્તા નહીં જમાવવાની. આ ઊલટી જેવું છે, જે થઈને જ રહે છે. હવે તેને ચોખ્ખું કરી નાખવાનું. જ્ઞાની પુરૂષ દાદા ભગવાન આપણને આપણા ખરાબ કર્મોને ભૂંસવા માટેનો અંતિમ રસ્તો બતાવે છે, પ્રતિક્રમણ દ્વારા, આપણે આપણા હૃદયમાંથી ખરાબ ભાવોને ભૂંસી શકીએ. માટે, ખરાબ સ્પંદનો આપણા તરફથી બંધ થઈ જશે અને ધીમે ધીમે સામી વ્યક્તિને આપણા વિશે કોઈ ફરિયાદ નહીં રહે. મા-બાપ છોકરાંના સંબંધોને મજબૂત કરવા માટે આ જરૂરી છે.
૫. જ્યારે તમારું બાળક સાંભળવાનું બંધ કરી દે:
ક્યારેક એવો સમય આવશે જ્યારે તમને અંદરથી અનુભવાશે કે તમે તમારા બાળકના હિત માટે કહી રહ્યા છો. પરંતુ, તેઓ તમને સાંભળતા નથી અને ઉપરથી તમને કહેવા લાગે છે કે ભાષણ બંધ કરો. આ સમયે, જ્યારે બોલેલા શબ્દો કામ ન આવે અને તમે તમારા બાળકને સુધારવા ઈચ્છો છો, ત્યારે પ્રાર્થના એ અંતિમ વસ્તુ છે. તમારી જાતને પ્રાર્થના દ્વારા શક્તિશાળી બનાવો.
અને આ બધાથી ઉપર, આ બધું વાંચીને અભિભૂત નહીં થઈ જતા. તમારા સંબંધને મજબૂત બનાવવાનો નિશ્ચય જ તમને માર્ગદર્શન આપશે. તમારી જાત વિશે સારું વિચારો, કારણ કે, તમે માતા-પિતા છોકરાં વચ્ચેના સંબંધમાં સુધારો લાવવા માટે ખૂબ જ જાગૃત છો.
ક) મા-બાપ છોકરાંના સંબંધની ‘સાચી’ સમજણ
નીચેની પરિસ્થિતિ વિશે વિચારો:
આ બધા સંબંધો વિનાશી છે. તમારે તમારો વ્યવહાર કાળજીપૂર્વક કરવો જોઈએ. જેટલું તમે તેમને ‘એડજસ્ટ’ થશો, તેટલું બધું સારું જ થશે. તમારો ઈરાદો સંબંધને ટકાવવાનો હોવો જોઈએ, ભલે ને સામી વ્યક્તિ તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે. જેટલું બની શકે તેટલું વસ્તુને સ્થિર રાખવાના પ્રયાસો કરો.
વ્યવહારિક જગતમાં, તમે આ નાટકના પાત્ર હોવ તે રીતે બધો વ્યવહાર ભજવવો જોઈએ. એવું બધું જ કરો જે કરવું જોઈએ, પરંતુ લાગણીવશ થયા વિના. જ્યારે બાળક હસતું હોય છે ત્યારે માતા તેને ખૂબ પ્રેમથી ભેટે છે, જેથી કુદરતી રીતે જ બાળક ચિડાઈ જાય છે. આ અજ્ઞાનતા છે, જે માલિકીપણાનું વર્તન દર્શાવે છે. જ્યારે જ્ઞાની પુરૂષ બધી વ્યવહારિકતામાંથી મુક્ત રહે છે અને તેથી દરેક તેનાથી ખુશ રહે છે.
પ્રશ્નકર્તા: હું માતા-પિતાની કાળજી લેવા ઈચ્છું છું અને માતા-પિતા સાથેના વ્યવહારને સુંદર રાખવાની ઈચ્છા છે, પરંતુ મને તેમના દોષ દેખાયા કરે છે. તો મારે શું કરવું જોઈએ?
દાદાશ્રી: જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા’ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે?
તું સમજી ગયો? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું? ઈગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને? કે તારે અવળું બોલવું જોઈએ?
પ્રશ્નકર્તા: ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું? મિસ્ટેક થઈ જાય તો શું?
દાદાશ્રી: હા, કેમ લપસી નહીં પડાતું? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડ્યું તો તે ફાધરેય સમજી જશે કે આ લપસી પડ્યો બિચારો. આ તો જાણીજોઈને તું એ કરવા જઉં, તો ‘તું અહીં કેમ લપસી પડ્યો?’ તે હું જવાબ માંગું. ખરું-ખોટું? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાંય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધા સમજી જશે, કે આવું કરે નહીં આ.
એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં? તને સુખી રાખવાની ઈચ્છા ખરી કે નહીં એમને?
પ્રશ્નકર્તા: હા. એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.
દાદાશ્રી: હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ થવું તો ના જોઈએ, હવે ‘સુખ આપવા આવી છું’ એવું મનમાં હોવું જોઈએ. ‘મારી એવી શી ભૂલ થઈ’ કે મા-બાપને દુઃખ થયું.
બાપા ખરાબ લાગતા નથી? એ લાગશે ત્યારે શું કરીશ? એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી, આપણને ભેગું થયું એ બધું સારી ચીજ હોય છે. કારણ કે આપણા પ્રારબ્ધનું છે. મા મળી તેય સારી. ગમે તેવી કાળી હોય, તોય આપણી મા એ સારી. કારણ કે આપણને પ્રારબ્ધમાં મળી એ સારી. એવી બીજી બદલી લેવાય?
૧. શા માટે આપણે આપણા માતા-પિતાની કાળજી લેવી જોઈએ? આ વિશે વધુ જાણવા માટે “માતા-પિતાનું મહત્ત્વ” વિશેનો લેખ વાંચો.
૨. “વ્યવહારમાં દોષો જોવાનું કઈ રીતે બંધ કરવું” તેના વિશે સમજ મેળવો.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events