Related Questions

માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?

 

Parent Child

માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત બનાવવા માટે વ્યક્તિગત રીતે પ્રયાસો કરવા જોઈએ. પ્રસ્તુત અંકના પહેલા ભાગમાં માતા-પિતાએ શું કરવું જોઈએ તેની ચર્ચા છે અને પછીના ભાગમાં બાળકોએ તેમના માતા-પિતા સાથેના સંબંધો મજબૂત કરવા શું કરવું જોઈએ તેની વાતો છે. પરંતુ, માતા-પિતાએ બાળકો પાસે તેમનો ભાગ યોગ્ય ભજવાય તેવી અપેક્ષા ન રાખવી જોઈએ અને એ જ રીતે બાળકોએ પણ માતા-પિતા પાસે અપેક્ષા ન રાખવી જોઈએ. આવું ત્યારે જ બને જ્યારે સામાને સુધારવાની અપેક્ષા વગર આપણે જ સુધરી જઈએ.

માતા-પિતા માટે: માતા-પિતા અને બાળકોના સંબંધોની મજબૂતાઈ!

માતા-પિતા અને બાળકોના સંબંધને મજબૂત કરવા માટે, વ્યક્તિએ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. માતા-પિતાની ભૂમિકા સંતાનોના ઉછેર, માર્ગદર્શન અને છેલ્લે મિત્ર સુધીની રહે છે. સાત કે આઠ વર્ષની ઉંમર સુધી જો બાળક ભૂલો કરે છે તો તમારે તેમને માર્ગદર્શન આપવું જોઈએ અને જો જરૂર જણાય તો તેઓ માટે શિસ્તના પગલા પણ લેવા જોઈએ. બારથી પંદર વર્ષ સુધી તમે તેમને માર્ગદર્શન આપી શકો છો. પરંતુ, સોળ વર્ષ પછી તમારે તેમના મિત્ર બની જવું જોઈએ.

સૈદ્ધાંતિક રીતે, આપણે જાણવું જોઈએ કે માત્ર પ્રેમ અને સમજણ જ બાળકના હૃદયને સ્પર્શી શકે છે. પરંતુ, વ્યવહારિક રીતે તેમનામાં થોડી અધૂરાશ હોય છે, જે આપણે જ પૂર્ણ કરી શકીશું! તેથી, ચાલો આ માતા-પિતા અને બાળકો વચ્ચેના મૂલ્યવાન સંબંધો માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે સમજીએ, જેથી તમારું બાળક સુખી અને આત્મવિશ્વાસુ બની શકે.

અ) આ ચાવીઓની જાગૃતિ તમારા ધ્યાનમાં મદદ કરશે:

  • દરેક બાળક અજોડ છે અને જન્મથી પોતાનું વ્યક્તિત્વ સાથે લઈને જ આવેલ હોય છે, તમારે માત્ર તેમને મદદ કરવાની અને કેળવવાનું છે કે જેથી તેઓ ખીલી શકે. જેવી રીતે બીજ કયું વૃક્ષ થશે, સંતરાનું કે સફરજનનું તે લઈને જ આવેલ હોય છે, તેવું જ તમારા બાળકનું છે. તે તેમની સાથે કર્મનું બીજ લઈને જ આવેલ હોય છે, જે પ્રમાણે તેઓ મોટા થાય છે.
  • તમારી જાતને અને તમારા બાળકને કોઈ પણ શરતો વિના પ્રેમ કરો.
  • તમારા બાળકની સારી બાબતોને પ્રોત્સાહન આપો અને ખરાબ બાબતોને અવગણો, જેવી રીતે આપણે ફૂલની પ્રશંસા કરીએ છીએ પરંતુ, કાંટાને અવગણીએ છીએ. તેઓની સારી બાબતો એટલી બધી ખીલશે કે જેથી તેમની ખરાબ બાબતો તેની મેળે જ દૂર થઈ જશે.
  • થોડો સમય લો અને તમારા બાળકની અંદર રહેલ સારી બાબતોનું લીસ્ટ બનાવો, હા અત્યારથી જ તમારી આંખો બંધ કરો અને તેઓના હાસ્ય, સ્વભાવ, અદભૂત કાર્યો વગેરે ઉપર વિચાર કરો.
  • એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં સખતાઈ રાખી તટસ્થ દ્રષ્ટિકોણ અપનાવવાનો પ્રયત્ન કરો. સખતાઈ એટલે ગુસ્સો નહીં, પરંતુ અમુક ખાસ સંજોગોમાં જ તાપ લાગે તેવો વ્યવહાર રાખવો. તમારા અવાજમાં દૃઢતા સાથે નાટકીય રીતે તેમને ઠપકો આપો પરંતુ, તમારા ચહેરા પરના હાવભાવ બગડવા દેશો નહીં. અમુક માતા-પિતા એવા હોય છે કે તેઓ વધુ પડતી સત્તા જમાવતા હોય છે અને હંમેશાં તેમના બાળકોને સૂચનો અને નિયમો બતાવ્યા કરતા હોય છે, જ્યારે અમુક એવા માતા-પિતા પણ હોય છે કે જેઓ હંમેશાં તેમના બાળકને ખુશ રાખવા માટે તેમનું વધુ પડતી જ કાળજી રાખતા હોય છે. વધુ પડતી કાળજી બાળકના વિકાસને રૂંધી નાખે છે. આવી વધુ પડતી કાળજીને દૂર કરો, એ જ મા-બાપ છોકરાંના મજબૂત સંબંધો માટેની મહત્ત્વની ચાવી છે.
  • તમારું બાળક તમારી સાથે અસભ્ય શબ્દો બોલે અને તમારો અનાદર કરે તો પણ તમે તમારી ફરજો બજાવો. મા-બાપ તરીકે તમારી ફરજ એ છે કે તેમનો ઉછેર કરવો અને સારી રીતે બાળકને મોટું કરવું અને તેમને સાચા રસ્તા તરફ દોરી જવું. જો તે તમારી સાથે અપમાનજનક શબ્દો બોલે છે અને તમે પણ તેમની સાથે આવું જ કરો છો, તો તે બળવાખોર થઈ જશે. તમારા બાળકના આવા અસભ્ય વર્તન પાછળ શું કારણ છે તેના પર વિચારણા કરો, તમને આ પરિસ્થિતિને દૂર કરવાની કોઈ કલ્પના જરૂર મળશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છેવર્તન તમારી સમજણનું જ પરિણામ છે. જ્યારે પરિસ્થિતિ ઠંડી પડી જાય ત્યારે તમારા બાળકની બાજુમાં બેસો અને શાંતિથી અને પ્રેમપૂર્વક વાતને સમજાવો. જો તમે તમારા બાળકોના મિત્ર બની જશો, તો તેઓ સુધરશે. પરંતુ, જો તમે માતા-પિતા તરીકેની તમારી સત્તા જમાવશો, તો તેમને ગુમાવવાનું જોખમ રહેલું છે.

બ) રોજબરોજના વ્યવહારમાં મા-બાપ છોકરાંના સંબંધને મજબૂત બનાવવા માટેના વ્યવહારુ દ્રષ્ટાંતો:

૧. સાંભળો: તેમના પ્રેમને અને તમારા ઉપરના વિશ્વાસને જીતવા માટે તેમનું સાંભળો અને તેમની સાથે સંમત હો તો કંઈક કહો અથવા મૌન રહો. પરંતુ, કોઈ તારણ ઉપર ન આવી જાવ અને રોજબરોજની વાતચીતમાં તેમનો વિરોધ ન કરો.

૨. વાતો કરો: માતા-પિતા માટે આ એક ખૂબ જ મહત્ત્વનું પાસું છે, બાળકો સાથે કઈ રીતે વાતો કરવી! સમજણ સાથે અને પ્રેમથી તેમજ શાંતિથી બોલો, ફક્ત થોડા શબ્દો જ ઉપયોગમાં લો અને એક દિવસ તમે તેને જીતી જશો. તમને આના પરિણામો તરત જ જોવા નહીં મળે. તમારો પ્રેમ એક મહિના સુધી સતત શરૂ રાખો અને પછી તેનું પરિણામ જુઓ.

કઈ રીતે વાતો કરવી તેની વિગતવાર સમજણ માટે, વાંચો “૨. બાળક સાથે કઈ રીતે વાતો કરવી અને કઈ રીતે વર્તવું?”

૩. મિત્રોની જેમ સમય પસાર કરો:

  • થોડુંક ઘરનું કામ તમારા બાળક પાસે કરાવો અથવા નાની ઉંમરથી જ તમારા કામમાં તેને મદદ કરવાનું કહો, જેથી તેઓને તેમની પાસે જે છે તેની કિંમત સમજાય અને તેમનામાં માલિકીની ભાવના પ્રગટ થાય. તેમને નિષ્ફળ થવા દો; વસ્તુઓ થોડી બગડવા દો, કારણ કે તેમાંથી જ તેમને અનુભવ થાય છે.
  • સાથે હસો. તમારા બાળકને જેમાં રસ હોય તેમાં રસ દર્શાવો. તમારે તમારા બાળક સાથે મિત્ર તરીકે વર્તવું જોઈએ; રમતગમત રમો, વીડિયો ગેમ્સ વિશે વાતો કરો, સાથે જમો, ચા પીઓ, વાર્તાઓ કહો, બાળપણના તમારા અનુભવો કહો, વગેરે.
  • દરરોજ સવારે તેઓ સ્નાન કરી લે પછી, જગતના કલ્યાણ માટે અને મોક્ષ માટે ભગવાન સમક્ષ તેમને પ્રાર્થના કરવાનું શીખવો. તેમની સાથે પ્રાર્થના કરો, જેથી તેઓ તમારી પાસેથી શીખે.

૪. જ્યારે વસ્તુઓ બગડે ત્યારે:

ક્યારેક એવો સમય આવશે કે જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે અને આપણે આપણા બાળકને દુ:ખ થાય એવા શબ્દો કહીએ છીએ. સૌથી અગત્યની વાત તો એ છે કે, ગુનાના ભાવને કારણે લાગણીશીલ નહીં થઈ જવાનું કે ગુસ્સે નહીં થવાનું અને સત્તા નહીં જમાવવાની. આ ઊલટી જેવું છે, જે થઈને જ રહે છે. હવે તેને ચોખ્ખું કરી નાખવાનું. જ્ઞાની પુરૂષ દાદા ભગવાન આપણને આપણા ખરાબ કર્મોને ભૂંસવા માટેનો અંતિમ રસ્તો બતાવે છે, પ્રતિક્રમણ દ્વારા, આપણે આપણા હૃદયમાંથી ખરાબ ભાવોને ભૂંસી શકીએ. માટે, ખરાબ સ્પંદનો આપણા તરફથી બંધ થઈ જશે અને ધીમે ધીમે સામી વ્યક્તિને આપણા વિશે કોઈ ફરિયાદ નહીં રહે. મા-બાપ છોકરાંના સંબંધોને મજબૂત કરવા માટે આ જરૂરી છે.

૫. જ્યારે તમારું બાળક સાંભળવાનું બંધ કરી દે:

ક્યારેક એવો સમય આવશે જ્યારે તમને અંદરથી અનુભવાશે કે તમે તમારા બાળકના હિત માટે કહી રહ્યા છો. પરંતુ, તેઓ તમને સાંભળતા નથી અને ઉપરથી તમને કહેવા લાગે છે કે ભાષણ બંધ કરો. આ સમયે, જ્યારે બોલેલા શબ્દો કામ ન આવે અને તમે તમારા બાળકને સુધારવા ઈચ્છો છો, ત્યારે પ્રાર્થના એ અંતિમ વસ્તુ છે. તમારી જાતને પ્રાર્થના દ્વારા શક્તિશાળી બનાવો.

અને આ બધાથી ઉપર, આ બધું વાંચીને અભિભૂત નહીં થઈ જતા. તમારા સંબંધને મજબૂત બનાવવાનો નિશ્ચય જ તમને માર્ગદર્શન આપશે. તમારી જાત વિશે સારું વિચારો, કારણ કે, તમે માતા-પિતા છોકરાં વચ્ચેના સંબંધમાં સુધારો લાવવા માટે ખૂબ જ જાગૃત છો.

ક) મા-બાપ છોકરાંના સંબંધની ‘સાચી’ સમજણ

નીચેની પરિસ્થિતિ વિશે વિચારો:

  • મા-બાપ છોકરાંનો વ્યવહાર ‘રિયલ’ છે કે ‘રિલેટિવ’?
  • શું તમારા બાળકના જન્મ પહેલા તમારું અસ્તિત્વ હતું?
  • એક બાળક કહે છે, ‘પપ્પા, હું તમારા વિના જીવી શકું નહીં. હું અને મારા પિતા બંને ખરેખર એક જ છીએ ને!’ પરંતુ, જ્યારે પિતાનું અવસાન થાય છે, ત્યારે બાળક તેની સાથે મૃત્યું નથી પામતું, ખરું ને? શું આ રીતે કોઈ મરી જાય છે? બધા ખૂબ ડાહ્યા હોય છે, ખરું ને?

આ બધા સંબંધો વિનાશી છે. તમારે તમારો વ્યવહાર કાળજીપૂર્વક કરવો જોઈએ. જેટલું તમે તેમને ‘એડજસ્ટ’ થશો, તેટલું બધું સારું જ થશે. તમારો ઈરાદો સંબંધને ટકાવવાનો હોવો જોઈએ, ભલે ને સામી વ્યક્તિ તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે. જેટલું બની શકે તેટલું વસ્તુને સ્થિર રાખવાના પ્રયાસો કરો.

વ્યવહારિક જગતમાં, તમે આ નાટકના પાત્ર હોવ તે રીતે બધો વ્યવહાર ભજવવો જોઈએ. એવું બધું જ કરો જે કરવું જોઈએ, પરંતુ લાગણીવશ થયા વિના. જ્યારે બાળક હસતું હોય છે ત્યારે માતા તેને ખૂબ પ્રેમથી ભેટે છે, જેથી કુદરતી રીતે જ બાળક ચિડાઈ જાય છે. આ અજ્ઞાનતા છે, જે માલિકીપણાનું વર્તન દર્શાવે છે. જ્યારે જ્ઞાની પુરૂષ બધી વ્યવહારિકતામાંથી મુક્ત રહે છે અને તેથી દરેક તેનાથી ખુશ રહે છે.

બાળકો માટે:

પ્રશ્નકર્તા: હું માતા-પિતાની કાળજી લેવા ઈચ્છું છું અને માતા-પિતા સાથેના વ્યવહારને સુંદર રાખવાની ઈચ્છા છે, પરંતુ મને તેમના દોષ દેખાયા કરે છે. તો મારે શું કરવું જોઈએ?

દાદાશ્રી: જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા’ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે?

તું સમજી ગયો? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું? ઈગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને? કે તારે અવળું બોલવું જોઈએ?

પ્રશ્નકર્તા: ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું? મિસ્ટેક થઈ જાય તો શું?

દાદાશ્રી: હા, કેમ લપસી નહીં પડાતું? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડ્યું તો તે ફાધરેય સમજી જશે કે આ લપસી પડ્યો બિચારો. આ તો જાણીજોઈને તું એ કરવા જઉં, તો ‘તું અહીં કેમ લપસી પડ્યો?’ તે હું જવાબ માંગું. ખરું-ખોટું? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાંય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધા સમજી જશે, કે આવું કરે નહીં આ.

એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં? તને સુખી રાખવાની ઈચ્છા ખરી કે નહીં એમને?

પ્રશ્નકર્તા: હા. એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.

દાદાશ્રી: હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ થવું તો ના જોઈએ, હવે ‘સુખ આપવા આવી છું’ એવું મનમાં હોવું જોઈએ. ‘મારી એવી શી ભૂલ થઈ’ કે મા-બાપને દુઃખ થયું.

બાપા ખરાબ લાગતા નથી? એ લાગશે ત્યારે શું કરીશ? એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી, આપણને ભેગું થયું એ બધું સારી ચીજ હોય છે. કારણ કે આપણા પ્રારબ્ધનું છે. મા મળી તેય સારી. ગમે તેવી કાળી હોય, તોય આપણી મા એ સારી. કારણ કે આપણને પ્રારબ્ધમાં મળી એ સારી. એવી બીજી બદલી લેવાય?

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on