Related Questions

બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?

આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક પ્રોત્સાહન એ તેની ચાવી છે. તેમને સપનું સેવવા દો. એવું સપનું કે જેના માટે તે ઈચ્છા રાખતો હોય. તેમના વ્યક્તિત્વનો અભ્યાસ કરો અને સમજણ આપો, કોઈ ભણવામાં હોશિયાર હોય છે, તો કોઈ રમતગમતમાં, કોઈ સર્જનાત્મકતામાં, તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં. તેમની રૂચીને ઓળખ્યા પછી, તેને અનુરૂપ ધ્યેય નક્કી કરો.

એક વખત હેતુ યોગ્ય રીતે સમજાઈ જાય, પછી તેને અનુસરો. પછી શિક્ષણનું મહત્ત્વ સમજાવો, તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપો. પરમ પૂજ્ય દાદાશ્રી રોજબરોજના ઝઘડાઓ અને બાળકના શિક્ષણ માટે માતા-પિતાની મૂંઝવણોના સમાધાન માટે માર્ગદર્શન આપે છે. વિગતવાર જાણવા માટે વાંચો:

Parent Child

બાળકને ભણવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કરવું: ભણતરને રમતમાં પરિવર્તિત કરી દો

પ્રશ્નકર્તા: આજના છોકરાંઓ ભણવા કરતા રમતમાં ધ્યાન વધારે આપે છે, તેઓને ભણતર તરફ દોરવા તેમની પાસેથી કેવી રીતે કામ લેવું, જેથી છોકરાંઓ પ્રત્યે કંકાસ ઊભો ના થાય?

દાદાશ્રી: ઈનામની યોજના કાઢો ને. છોકરાને કહીએ કે પહેલો નંબર આવશે તેને આટલું ઈનામ આપીશ અને છઠ્ઠો નંબર આવશે તેને આટલું ઈનામ. અને પાસ થશે તેને આટલું ઈનામ. કંઈક એને દેખાડો. હમણે તરત જ વેપાર થાય અને તેમાં નફો થાય એવું કંઈક દેખાડો એને તો લલકારશે. બીજો રસ્તો શું કરવાનો? નહીં તો પ્રેમ રાખો. જો પ્રેમ હોય ને તો છોકરાં બધુંય માને. મારી જોડે છોકરાંઓ બધુંય માને છે. હું જે કહું એ કરવા તૈયાર છે. નહીં તો પછી આપણે એને સમજણ પાડ પાડ કરવી પડે. પછી જે કરે એ સાચું.

બાળકોના શિક્ષણનું મહત્ત્વ

પ્રશ્નકર્તા: ભણવાનો શું ધ્યેય હોવો જોઈએ?

દાદાશ્રી: ઊંધે રસ્તે ના જાય તે. અભણ હોય તે ક્યાં ક્યાં જતો હોય? અભણને ટાઈમ મળે, તે કઈ બાજુ જાય? એ ભાંગફોડિયામાં પેસી જાય બધું. એટલે ભણવાથી આપણી આટલી સ્થિરતા રહે છે અને થોડુંક એમનામાંય ભણવાથી વિનય તો સહેજ આવે જ છે. હાઉ ટુ એડજસ્ટ વિથ પબ્લિક એ આવે છે. આ ભણતર વધ્યું એને લીધે ડેવલપ થયો. ખોટાં દુરાગ્રહ ને ખોટી ધમાલો બધી તૂટી ગઈ.

શિક્ષણ સાથે, વ્યવહારુ જ્ઞાન પણ જરૂરી છે

દાદાશ્રી: એકલું ભણભણ કરવાની દાનતમાં હોય એને વેદિયો કહે છે. વેદિયો શબ્દ આપણામાં કહે છે ને? પણ આજના છોકરાંઓને ભાન જ નથી, એક જ ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે. એ ગણેલા નથી અને અમારા વખતમાં તો ગણતર અને ભણતર બન્ને સાથે ચાલતું અને અત્યારે તો ભણતર, તેય એક જ લાઈન, પછી આવડી જ જાય ને! એમાં શું કરવાનું બીજું? ભણતર એ બધું થિયેરીટકલ છે, એ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ થાય ત્યારે સાચું, ગણતર એ પ્રેક્ટિકલ છે!

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે સમજણ જ પાયાની વસ્તુ છે. બાળકોને સાચું જ્ઞાન આપો અને બાકીનું બધું કુદરતના હાથમાં છોડી દો.

બાળકોને શિક્ષણ માટે માર્ગદર્શન આપવા માતા-પિતા માટે અહીં કેટલીક રીતો બતાવેલ છે:

  • તમારે સૌ પ્રથમ તેને શેમાં રૂચી છે તે શોધવું જોઈએ, તમારી ઈચ્છા નહીં, જેમ કે, તમે તેને રમતગમતમાં આગળ જોવા ઈચ્છો છો, પરંતુ તે વિજ્ઞાન, કોમ્પ્યુટર કે સંગીતમાં રસ ધરાવતો હોય.
  • એક સમયે નાના કાર્યથી જ શરૂઆત કરો.
  • ‘શા માટે તે ભણવામાં રસ ધરાવતો નથી’, તેનું કારણ શોધવા માટે તેની સાથે શાંતિથી વાતો કરો અને જો શક્ય હોય તો કઈ રીતે તેનો ઉકેલ લાવી શકાય તે માટે તેને પૂછો. જ્યારે તમે તેને પ્રેમ આપશો ત્યારે તે સારો બનશે.
  • ક્યારેક બાળકને ધીમે ધીમે પંપાળો અને તેના માથે હાથ ફેરવો અને તેને કહો કે તમે હંમેશાં તેની તરફ જ છો અને એવું વ્યક્ત કરો કે તેના માર્ક્સ મહત્ત્વના છે પરંતુ, તે વધુ મહત્ત્વનો છે.
  • ઉપરાંત, ક્યારેય તેઓની સરખામણી ન કરો. સરખામણી તે પરિસ્થિતિ માટે અને સામી વ્યક્તિ માટેની પીડા અને નકારાત્મક લાગણી ઊભી કરે છે.
  • માત્ર બાળકોના શિક્ષણ માટે જ નહીં, પરંતુ તમે જે કંઈ ઉપયોગી નવી વસ્તુ તેને શીખવવા ઈચ્છતા હોવ તેમાં પણ પ્રોત્સાહન આપવાની રીત અજમાવો.
Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on