ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ તમે શું કહો છો તે સાંભળે જ નહીં, તો તમે શું કરશો? શું તમે એવો પ્રયાસ નહીં કરો કે જેથી સામી વ્યક્તિ તમને સાંભળે? એ જ રીતે જ્યારે બાળકોને તમારું સાંભળવાનું આવે છે, ત્યારે તેમને આવું જ થાય છે; તમારે એ જાણી લેવું જોઈએ કે બાળકો સાથે કઈ રીતે વાત કરવી, જેથી તેઓ તમને સાંભળે.
રોજની વાતચીતો જેમ કે, શાળાએથી આવ્યા પછી હોમવર્કની વાતો, શાળાની બીજી વાતો ખૂબ જ મહત્ત્વની હોય છે. આપણે આ વાતચીતો વિવાદમાં ન પરિણમે એવું ઈચ્છતા હોઈએ છીએ. આપણે એવું મુખ્ય બટન દબાવી રાખવું જોઈએ કે આપણા શબ્દો તેમને દુ:ખ ન પહોંચાડે. દિવસની શરૂઆત પ્રેમાળ શબ્દોથી કરો. બાળકો આપણા આશ્રિત છે. તેઓ અહીં આપણા પ્રેમ અને હૂંફ માટે છે.
આદેશાત્મક શબ્દોથી બાળકોમાં ચીડ ઉત્પન્ન થાય છે, જેમ કે, “આ કર ને પેલું કર અથવા આ ન કર.” એવું ધ્યાનમાં રાખો કે, જ્યારે તમારે બોસ કે તમારા ધણી નીચે કામ કરવું પડે છે, જે તમારી પાછળ આખો વખત બૂમો પાડ્યા કરે કે, ‘આ પૂરું કરો, જલદી કરો, તારે કાયમ મોડું જ થાય છે, તમારા કામમાં કાંઈ ઠેકાણા જ નથી હોતા...’ તો તમને કેવું અપમાનજનક લાગે છે. તમારું બાળક નાનું છે, પરંતુ તેની પાસે સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને તેની પસંદ મુજબ કરવાની સ્વતંત્રતા છે.
આ ધ્યાનમાં રાખો કે, જ્યારે તમને તમારા બોસ, મિત્રો અથવા પરિવાર તરફથી કોઈ પ્રશંસા મળે છે, ત્યારે તમને કેટલી ખુશી થાય છે. તેથી જ તમે દરરોજ તમારા બાળકની નાની નાની વસ્તુઓ બાબતે પ્રશંસા કરો અને તેને પ્રોત્સાહિત કરો.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "મન છે તે વર્ષોના વર્ષો ગયા, પણ એક સહેજેય નેગેટિવ થયું નથી મારે. સહેજેય, કોઈ પણ સંજોગોમાં નેગેટિવ થયું નથી. આ મન જો પોઝિટિવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટિવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટિવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ નહીં ને નેગેટિવય નહીં!"
પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેક્ચર મારી રહ્યા છો, કહે?
દાદાશ્રી: તેની સાથે સામે દલીલો કરવાને બદલે જો તમે ખરેખર તેઓને પ્રેમથી શીખવશો, તો પછી તેઓની દલીલો ઓછી થશે. આ દલીલો એ તમારું રિએક્શન જ છે. અત્યાર સુધી, તમે પણ સતત આવું જ કરતા હતા, નહીં! તે તેના મનમાંથી જશે નહીં, તે ચોક્કસપણે ભૂંસી ન શકાય. તેથી પછી તેના કારણે તે સતત દલીલો કર્યા કરે છે. એક પણ બાળક મારી સાથે દલીલો કરતું નથી. એવું એટલા માટે કે હું તમારા બધા સાથે સાચા પ્રેમથી વાતો કરું છું.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events