આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે કે, ‘શું મારે છૂટાછેડા લેવા જોઈએ?’ ‘શું છૂટાછેડા એ મારા મનની શાંતિ પાછી મેળવવા માટેની ચાવી છે?’ વાસ્તવિકતામાં એવું બને છે કે જ્યારે પણ પતિ-પત્ની એક જ કલાક માટે જો એકબીજા સાથે ઝઘડ્યા હોય, તો પણ ડિવોર્સ માટે વિચારવાનું શરુ કરી દે છે. સમય જતા જેમ ઘર્ષણ વધે છે, તેમ તેમ ડિવોર્સ લેવાનો તેઓનો આ વિચાર વધુ તીવ્ર થાય છે અને એક બીજમાંથી મોટું વૃક્ષ બની ઊભું રહે છે.
જો તમારા જીવનસાથીના કારણે સંબંધમાં તિરાડ પડતી હોય, તો એમાં સાંધો જોડાવી આપવાની જવાબદારી તમારી છે, તો જ તમારું લગ્નજીવન ટકી રહેશે, નહીં તો તે તૂટી જશે. પરમ પૂજ્ય દાદાશ્રી નીચે દર્શાવેલ મુજબ વધુ સમજાવતા કહે છે:
દાદાશ્રી: કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક જ વસ્તુ કહીએ, 'એડજસ્ટ એવરીવ્હેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને 'આવો છે ને તેવો છે'.
પ્રશ્નકર્તા: આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય? બનતું ના હોય ને એ લોકો ડિવોર્સ લે છે તે?
દાદાશ્રી: ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે? જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવા વિચારો હતા, ત્યાં ડિવોર્સના વિચારો શોભે? ગમે છે તને ડિવોર્સ?
લગ્નજીવનને કેવી રીતે ટકાવી રાખવું એ શીખવું હોય, તો ઉત્તમ ઉપાય એ છે કે એવા લોકોના અનુભવો સાંભળવા કે જેઓ લાંબા સમયથી લગ્નજીવન નભાવી રહ્યા છે. અહીં નીચે એવા જ એક બેનનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે, જે એંશી વર્ષથી લગ્નજીવન નભાવતા હતા. એમનું લગ્નજીવન આટલું લાંબુ કેવી રીતે ટક્યું હશે, ચાલો જાણીએ...
આપણા સંસ્કાર છે આ તો. લડતા લડતા એંશી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતો ને, તે એંશી વર્ષના કાકીને, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તોય પણ આવા ધણી ફરી નહીં મળે', એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને...
લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતા કરતા એંશી વર્ષ સુધી ચાલે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, “અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછા એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી અણસમજણની ભડક. ઘણા છૂટા પડી ગયેલા રાગે પડી ગયા.” આજે પણ આ શક્ય છે! કારણ કે, ઘણા દંપતી આજે સુખેથી જીવે છે અને પૂજ્ય દીપકભાઈને મળ્યા પછી તમે પણ એમાંના એક બની શકો છો.
૧) અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે. સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ!!! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ દુનિયામાં!
૨) છૂટેલાની સમજણે ચાલીશ તો છૂટીશ ને બંધાયેલાની સમજણે ચાલીશ તો બંધાઈશ.
જો તમે ડિવોર્સ લેવાના અણી પર ઊભા હો એવી પરિસ્થિતિ હોય અને તમને ઉપાય જાણવો હોય કે હું કેવી રીતે લગ્નજીવનને બચાવું તો તમે એક ખાસ પ્રાર્થના દ્વારા માફી માંગી શકો છો જેને પ્રતિક્રમણ કહેવાય છે. એ તમારા સંબંધને સુધારવામાં ચોક્કસ મદદરૂપ નીવડશે.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events