Related Questions

શું મારે છૂટાછેડા લેવા જોઈએ?

આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, “શું મારે છૂટાછેડા લેવા જોઈએ? શું છૂટાછેડા મારા મનની શાંતિ પાછી મેળવવા માટેની ચાવી છે?” હકીકત તો એ છે કે જ્યારે પતિ-પત્ની વચ્ચે જો એક જ કલાક ઝઘડો ચાલ્યો હોય તો પણ તેઓ છૂટાછેડા માટે વિચારવા લાગે છે. સમય જતાં, જેમ ઘર્ષણ વધે તેમ છૂટાછેડા લેવાનો વિચાર વધારે પ્રબળ બનતો જાય છે અને ધીરે-ધીરે વિચારોના બીજમાંથી એક મોટું ઝાડ બની જાય છે.

સાચી સમજણ

જો આપણા પાર્ટનર દ્વારા સંબંધમાં તિરાડ પડતી હોય તો એને સાંધવાની જવાબદારી આપણી છે. તો જ લગ્નજીવન ટકી રહેશે, નહીં તો તે તૂટી જશે. પરમ પૂજ્ય દાદાશ્રી નીચે મુજબ વધુ સમજાવતા કહે છે:

દાદાશ્રીકંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારુંએડજસ્ટેબલ  ના હોય તો છૂટું થઈ જવું સારુંઅને નહીં તો અમે તો એક  વસ્તુ કહીએ કે 'એડજસ્ટ એવરીવ્હેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને 'આવો છે ને તેવો છે'.

પ્રશ્નકર્તા: આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય કે બનતું ના હોય ને એ લોકો ડિવોર્સ લે છે તે?

દાદાશ્રી: ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે! આ કંઈ કપ-રકાબીઓ છે? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો-સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે?! જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવા વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે? ગમે છે તને ડિવોર્સ?

બીજાના અનુભવો પરથી શીખવું

લગ્નજીવનને ટકાવી રાખવાનો ઉત્તમ ઉપાય એ છે કે લાંબા સમયથી લગ્નજીવન નભાવી રહ્યા હોય એવા લોકોના અનુભવો જાણવા. નીચે એંશી વર્ષથી લગ્નજીવન નભાવી રહેલાં એક બહેનના અનુભવનું વર્ણન છે. એમનું લગ્નજીવન આટલું લાંબુ કેવી રીતે ટક્યું હશે, ચાલો જાણીએ...

”આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, ‘માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તોય પણ આવા ધણી ફરી નહીં મળેકહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને...

લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે.”

પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે, અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો! છૂટાછેડા લેવાના હોયને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછાં એ બેઉ જણા ચોંટી જ રહે. ખાલી ભડક અણસમજણનીઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા.

આજે પણ આ વાત એટલી જ સાચી ઠરે છે! કારણ કે પૂજ્ય દીપકભાઈને મળ્યા પછી ઘણા પરિણીતો આજે સુખેથી જીવે છે! તમે પણ આમાંના એક બની શકો છો.

×
Share on