Related Questions

કોઈ સ્વજન મૃત્યુની નજીક હોય તો તેને કેવી રીતે સાચવવા?

પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી : જેનો અંતકાળ નજીક આવ્યો હોય, એમને તો બહુ સાચવવા જોઈએ. એમના બોલે બોલ સાચવવા પડે. એમને 'બેક' ના મરાવવું જોઈએ. બધાએ એમને ખુશ રાખવા અને એ અવળું બોલે તોય તમારે 'એક્સેપ્ટ' કરવું કે, 'તમારું ખરું છે !' એ કહેશે, 'દૂધ લાવો' તો તરત દૂધ લાવી આપીએ. ત્યારે એ કહેશે, 'આ તો પાણીવાળું છે, બીજું લાવી આપો !' તો તરત બીજું દૂધ ગરમ કરી લઈ આવીએ. પછી કહીએ કે, 'આ ચોખ્ખું-સારું છે.' પણ એમને અનુકૂળ આવે એવું કરવું જોઈએ, એવું બધું બોલવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એમાં સાચા-ખોટાની ભાંજગડ નથી કરવાની ?

દાદાશ્રી : આ ખરું-ખોટું તો દુનિયામાં હોતું જ નથી. એમને ગમ્યું એટલે બસ, એવી રીતે બધું કર્યા કરીએ. એમને અનુકૂળ આવે એવી રીતે વર્તવું. એ નાના બાબા જોડે આપણે કેવી રીતે વર્તીએ છીએ ? બાબો કાચનો પ્યાલો ફોડી નાખે તો આપણે એને વઢીએ ? બે વર્ષનો બાબો હોય, તેને કશું કહીએ કે કેમ ફોડી નાખ્યો કે એવું તેવું ? બાબા જોડે વર્તન કરીએ એવી રીતે, એમની જોડે વર્તન કરવું.

×
Share on
Copy