પ્રશ્નકર્તા :આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે ત્યારે તિબેટના લામાઓમાં એમ કહે છે કે એ લોકો એના આત્માને કહે છે કે તું આવી રીતે જા. અથવા તો આપણામાં જે ગીતાના પાઠ કરાવે છે, કે આપણામાં કોઈ સારા કંઈ શબ્દ એને સંભળાવે છે, એનાથી એની પર કોઈ છેલ્લા કલાકમાં બધી અસર થાય ખરી ?
દાદાશ્રી : કશું વળે નહીં. બાર મહિનાના ચોપડા તમે લખો છો, તે ધનતેરસથી તમે નફો માંડ માંડ કરો અને ખોટ કાઢી નાખો તો ચાલે ?
પ્રશ્નકર્તા : ના ચાલે.
દાદાશ્રી : કેમ એમ ?
પ્રશ્નકર્તા : એ તો આખા વર્ષનું જ આવેને !
દાદાશ્રી : ત્યારે પેલું આખી જિંદગીનું સરવૈયું આવે. આ તો લોકો છેતરે છે. લોકોને મૂર્ખ બનાવે છે.
પ્રશ્નકર્તા : દાદા, માણસની છેલ્લી અવસ્થા હોય, જાગૃત અવસ્થા હોય, હવે તે વખતે કોઈ એને ગીતાનો પાઠ સંભળાવે અગર તો કંઈક બીજું શાસ્ત્રનું સંભળાવે, એના કાને કાન કંઈ કહે....
દાદાશ્રી : એ પોતે કહેતો હોય તો, એની ઇચ્છા હોય તો સંભળાવવું.
Q. કોઈ સ્વજન મૃત્યુની નજીક હોય તો તેને કેવી રીતે સાચવવા?
A. પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું... Read More
Q. શું મર્સી કિલિંગ એ કોઈ વ્યકિતની લાંબા સમયની પીડાનો અંત લાવવાનો સાચો રસ્તો છે?
A. પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી... Read More
A. પ્રશ્નકર્તા : આ શ્રાદ્ધમાં તો પિતૃઓને જે આહ્વાન થાય છે, તે બરોબર છે ? તે વખતે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ... Read More
Q. મારા પુત્રનાં અકસ્માત મૃત્યુનું કારણ શું ?
A. પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ? દાદાશ્રી : આ જગતમાં જે... Read More
Q. શું આપણાં ભાવનાં સ્પંદનો મૃત વ્યકિતને પહોંચે છે?
A. છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુઃખ પડે છે. આપણાં લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે... Read More
A. પ્રશ્નકર્તા : કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય ? ભૂતપ્રેત થાય ? દાદાશ્રી : આપઘાત કરવાથી તો... Read More
A. મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં જેવી કે દેવ, તિર્યંચ કે નર્કમાં જઈને આવી પાછો મનુષ્યદેહ મળે.... Read More
A. એટલે મરણને કહીએ કે, 'તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ 'સમાધિ મરણ'... Read More
A. અંતિમ સમયની પ્રાર્થના ! હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા તથા ના નામની... Read More
subscribe your email for our latest news and events