આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો?
પ્રશ્નકર્તા: તકલીફ પેદા થાય.
દાદાશ્રી: આ કોર્ટમાં ફી લે, સો રૂપિયા પડશે, દોઢસો રૂપિયા પડશે. ત્યારે કહેશે, 'સાહેબ, દોઢસો લઈ લો.' પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને!
પ્રશ્નકર્તા: પેટ લાગી હોય તો એમ કહેવું જ પડેને?
દાદાશ્રી: પેટ લાગી છે, એ વિચાર કરશો જ નહીં. કોઈ જાતના પરોપકાર કરશોને તો તમને કોઈ અડચણ નહીં આવે, હવે લોકોને શું થાય છે? હવે અધૂરું સમજીને કરવા જાયને, એટલે અવળી 'ઈફેક્ટ' આવે એટલે પાછું મનમાં શ્રદ્ધા ના બેસે ને ઊડી જાય. અત્યારે કરવા માંડે તો બે-ત્રણ અવતારેય રાગે પડે એ. આ જ 'સાયન્સ' છે.
પ્રશ્નકર્તા: હું જ્યારે લોકોના દુઃખો અને ભોગવટા જોઉં છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. તો હું શું કરી શકું? મહેરબાની કરીને મને સમજાવો.
દાદાશ્રી: આ જ્ઞાન પછી સામા માણસને ગમે તે થાય, પણ તમને દુઃખ થાય નહીં ને એનું દુઃખ દૂર થાય, પછી તમને કરુણા રહેશે. આ અત્યારે તો તમને દયા રહે છે કે બિચારાને શું દુઃખ થતું હશે, શું દુઃખ થતું હશે? એની તમને દયા રહે છે. એ દયા હંમેશાં આપણને દુઃખ આપે. દયા હોય ત્યાં અહંકાર હોય જ. દયાના ભાવ સિવાય પ્રકૃતિ સેવા કરે જ નહીં અને આ જ્ઞાન પછી તમને કરુણા ભાવ રહેશે.
ક્લિક કરો પ્રત્યક્ષ પૂજ્ય દીપકભાઈ દેસાઈના માધ્યમ થકી યોજાતી જ્ઞાનવિધિ (સેલ્ફ રિયલાઈઝેશનના પ્રયોગ)નું શેડ્યુલ જાણવા માટે.
Book Name: સેવા-પરોપકાર (Page #2 Paragraph #3, #4, #5, #6, #7)
Q. જીવનમાં સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય?
A. પ્રશ્નકર્તા: જીવન સાત્ત્વિક અને સરળ બનાવવા માટે ઉપાયો કયા? દાદાશ્રી: તે લોકોને તારી પાસે હોય એટલું... Read More
A. પ્રશ્નકર્તા: હું જાણવા માંગતો હતો કે, આપણે શા માટે લોકોની સેવા કે મદદ કરવી જોઈએ? આ બાબતે આપ મને... Read More
A. પ્રશ્નકર્તા: લોક સેવા કરતાં કરતાં એમાં ભગવાનના દર્શન કરીને સેવા કરી હોય તો બરાબર ફળ આપે... Read More
Q. પરોપકાર સરખો: સારા કે ખરાબ લોકો માટે
A. પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો... Read More
Q. લોકોને મદદ કરવાનો સો ટકા ભાવ રાખો.
A. આ કોઈ ઝાડ પોતાના ફળો પોતે ખાય છે? ના. એટલે આ ઝાડો મનુષ્યને ઉપદેશ આપે છે કે તમે તમારાં ફળ બીજાને... Read More
Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?
A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની... Read More
Q. મા-બાપની સેવા શા માટે કરવી?
A. પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ... Read More
Q. શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?
A. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો. દાદાશ્રી: સમાજ... Read More
A. પ્રશ્નકર્તા: 'પોતાની સેવાથી' આપનો કહેવાનો આશય શું છે? શું આપ એ મને સમજાવશો? દાદાશ્રી: બે પ્રકારના... Read More
subscribe your email for our latest news and events