જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે: 'જ્ઞાની પુરુષ' આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય. 'પઝલ' 'સોલ્વ' થઈ જાય બધાં.
પરમ પૂજ્ય દાદા ભગવાનપાપ-પુણ્ય એટલે શું? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું માટે પુણ્ય બંધાશે.
પરમ પૂજ્ય દાદા ભગવાન'કોઈ જીવ, કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખલ કરી ના શકે' આ સિદ્ધાંત જો કોઈ સમજી ગયો તો પોતે સ્વતંત્ર થઈ જાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events