
મોક્ષની ભાવના સાચી ક્યારે કહેવાય? મોક્ષની ભાવના એકધારી હોવી જોઈએ. આ તો કેવું કે એક દિશામાં મોક્ષની ભાવના હોય અને બીજી કેટલી બધી દિશામાં સંસારી ભાવના હોય. તેનું 'પ્લસ-માઈનસ' થઈ જાય! અને 'મૂળ' ભાવના ઊડી જાય! ભાવના તો એકધારી હોવી જોઈએ, તો જ એ ફળીભૂત થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારી મીઠી વાણી સ્લીપ કરાવે અને સ્યાદ્વાદી માધુર્ય વાણી ઊર્ધ્વગામી બનાવે !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા સંસારીય નથી ને અસંસારીય નથી. સંસારી-અસંસારી એ બધું દેહને માટે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનયથાર્થ વ્યવહાર એ સાપેક્ષ વસ્તુ છે. એટલે સંસારી વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. સાધુ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. પણ જ્યાં આત્મા ને પરમાત્માની વાત હોય ત્યાં જે વ્યવહાર હોય, તે શુદ્ધ વ્યવહાર હોય. એ વ્યવહાર હોય છતાં બંધન ના થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનજે વ્યવહારમાં છે, ને જેની વ્યવહારમાં જ વર્તના છે તે બધા સંસારી. અને 'સિદ્ધ'ને તો વ્યવહારની વર્તના જ ના હોય. એટલે એ અસંસારી ! અને બીજા એક એવાં પ્રકારના હોય છે કે જે સંસારમાં છે છતાં જેને વ્યવહારની વર્તના નથી, એવાં 'જ્ઞાની પુરુષ' અસંસારી કહેવાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
