આ લોકો જાણે છે તે મોક્ષમાર્ગ નથી. એ સંસાર માર્ગ છે. મોક્ષનો માર્ગ કલ્પિત નથી. એ શુદ્ધ માર્ગ છે. જ્યાં કોઈ ચિંતા ના હોય, ઉપાધિ ના હોય. ઉપાધિમાં સમાધિ હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનસભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. મોક્ષમાર્ગ એટલે સાદાઈ હોવી જોઈએ. ત્યાં એટીકેટનાં ભૂતાં ના હોવાં જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનબીજા કોઈને દુઃખદાયી ન થઈ પડે એવાં ક્રોધ-માન-માયા-લોભ હોવાં જોઈએ. બીજા કોઈનેય દુઃખદાયી નહીં, પોતાને જ દુઃખ કર્યા કરે એટલી લિમિટ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events