અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ!
એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો! એની વાઈફેય મરી ગયેલી. એને બે છોકરાં, એક દોઢ વર્ષનું ને બીજું ત્રણ વર્ષનું. બે છોકરાં મૂકીને બંને મરી ગયા. એટલે ગામવાળા બધા ભેગા થયા કે આ બ્રાહ્મણના છોકરાંઓનું શું કરવું? તે કોઈ એમને પાળવા તૈયાર થયું નહીં. ત્યારે એક બીજો પરદેશી મારવાડી બ્રાહ્મણ હતો તે કહે છે કે, 'ભઈ, મારે છોકરો નથી, મને એક આપો તો હું લઉં.' આ પરદેશી બ્રાહ્મણે એક છોકરું લીધું, ત્રણ વર્ષનું. હવે દોઢ વર્ષના છોકરાનો કોઈ ઘરાક જ ના થાય. આ કોણ ઉથામે, બલા આવી? એના છોકરાને ઉથામે કે પારકાના ઉથામે? ત્યારે એક શૂદ્ર હતો તે કહે, 'સાહેબ, મારે છોકરું નથી. મને જો આપો તો હું ઉછેરું.' ત્યારે ગામવાળા કહે કે, 'આ છોકરો મરી જશે, એના કરતા શૂદ્રને આપો ને!' તે છોકરું શૂદ્રને આપ્યું. તે શૂદ્રને ત્યાં ઉછર્યો ને અઢાર વર્ષનો થયો ને પેલો છોકરો વીસ વર્ષનો થયો. બ્રાહ્મણના ઘરવાળો છોકરો દારૂના પીઠા આગળ દારૂ વિરુદ્ધ પિકેટિંગ કરવા માંડ્યો. બંને ભાઈઓ, એક માના છોકરાંઓ. તે આ શૂદ્રના સંસ્કારમાં આવ્યો, એટલે દારૂ ગાળવા માંડ્યો અને પેલો છે તે બ્રાહ્મણના સંસ્કારમાં રહ્યો તે પિકેટિંગ કરવા માંડ્યો કે દારૂ ના પીવાય, આમ ને તેમ. પછી એ ગામમાંથી એક મોટા જ્ઞાની પુરુષ જતા હતા. તેમને કોઈએ પૂછ્યું કે સાહેબ, આ બેમાં કોનો મોક્ષ થશે? દારૂ ગાળે છે એનો કે દારૂનો વિરોધી જ છે એનો? ત્યારે એ જ્ઞાની પુરુષે કહ્યું, 'ભઈ, આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને પેલો પીવાનો અહંકાર કરે છે, બેઉ અહંકારી છે. મારે ત્યાં બંનેમાંથી કોઈનેય મોક્ષ ના મળે.' આ તો આવો ન્યાય છે જગતનો. ન્યાય સમજી લેજો.
આ સાધુઓ ત્યાગનો અહંકાર કરે છે ને આ ગ્રહણનો અહંકાર કરે છે, બેઉ ત્યાં પહોંચે નહીં. જેને ગ્રહણ-ત્યાગ જેવી વસ્તુ જ નહીં, જે સહજભાવે આવે છે તે જીવે છે, ખાય છે, પીવે છે, તો તેનો મોક્ષ છે. આ સમજવું તો પડશે ને? આમ કેમ? આ પોપાબાઈનું રાજ નથી. આ તો એક્ઝેક્ટ (બરાબર) કાયદેસર છે. એક ઘડીવાર કાયદાની બહાર ના ચાલે. આપણી કોર્ટોમાં ગપ્પાં ચાલે છે, ત્યાં ખટપટ કરવી હોય તો કરાય.
1. 'હા' શબ્દમાં બહુ બધી શક્તિ છે અને 'ના' શબ્દમાં બહુ અશક્તિ છે.
2. અનુકૂળ 'પોલિશ' કરે છે ને પ્રતિકૂળ ઘડતર કરે છે. માટે બેઉમાં આપણને શો વાંધો છે?
3. સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય છે.
4. 'નેગેટિવ' 'પોઝિટિવ' ના થાય ને 'પોઝિટિવ' 'નેગેટિવ' ના થાય. કારણ બંને દ્વંદ્વ છે ને 'પોતે' દ્વંદ્વાતીત છે!
1) તમારી કોઈ ક્રિયા ભગવાનને ત્યાં જોવામાં આવતી નથી. ભગવાનને ત્યાં તો તેં શેનો અહંકાર કર્યો, એ પકડવામાં આવે છે. ભગવાન તો કહે છે, તેં અહંકાર કર્યો માટે તું પાછો જા. અમારે તો અહંકારનો રોગ ના જોઈએ. મેં ત્યાગ કર્યો છે ને મેં કોઈ દહાડો દારૂ પીધો નથી. એ બધું મારે સાંભળવું નથી. એનું ફળ મળશે. તેં જે કર્યું છે એનું ફળ મળશે. મારે તો તેં અહંકાર નથી કર્યો એ જોઈએ છે.
2) ત્યાગ કર્યો તેમાં કોઈની ઉપર શો ઉપકાર કર્યો? તેં ગ્રહણ કર્યું હતું તો ત્યાગ કરવાનો વખત આવ્યો. પણ ગ્રહણ જ ના કર્યું હોત તો? પૈણ્યા પછી હવે બૈરીનો ત્યાગ કરીએ, તો પૈણ્યો જ ના હોત તો? એને ત્યાગ કરવાનો વખત જ ક્યાંથી આવે? આ તો ત્યાગનો પાછો લહાવો લેવો છે. 'મેં ત્યાગ કર્યો' કહે.
Book Name: આપ્તવાણી 10 (U) (Page #469 and Page #470)
Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે, તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events
