પ્રશ્નકર્તા: 'નમો ઉવજ્ઝાયાણં.'

દાદાશ્રી: ઉપાધ્યાય ભગવાન! એનો શું અર્થ થાય? જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધા ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે પોતે સમજે ખરા છતાં આચાર સંપૂર્ણ નથી આવ્યા. એ વૈષ્ણવોના હોય કે જૈનોના હોય કે ગમે તેના હોય અને આત્મા પ્રાપ્ત કરેલો હોય. આજના આ સાધુઓ છે એ બધા ચાલે નહીં. આમાં આત્મા પ્રાપ્ત કરેલો નથી. આત્મા પ્રાપ્ત કરે એટલે ક્રોધ-માન-માયા-લોભ જતા રહે, નબળાઈઓ જતી રહે. અપમાન કરીએ તો ફેણ ના માંડે. આ તો અપમાન કરે તો ફેણ માંડે ખરા? તે એ ફેણ માંડે તે ના ચાલે ત્યાં.
પ્રશ્નકર્તા: ઉપાધ્યાય એટલે જાણે ખરા કહ્યું, તો શું જાણે એ?
દાદાશ્રી: ઉપાધ્યાય એટલે આત્મા જાણે, કર્તવ્યને જાણે, આચારને પણ જાણે, છતાં આચાર કેટલાક આવ્યા હોય ને કેટલાક આચાર ના આવ્યા હોય. પણ સંપૂર્ણ આચાર મહીં નહીં થવાથી તે ઉપાધ્યાય પદમાં છે. એટલે પોતે હજુ ભણે છે ને બીજાને ભણાવે છે.
Book Name: ત્રિમંત્ર (Page #18)
A. નમો અરિહંતાણં હું એવા અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે,... Read More
Q. ત્રિમંત્ર એટલે શું અને ત્રિમંત્રની આરાધના કરવાથી શું ફાયદો થાય છે?
A. ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્ર એ નિષ્પક્ષપાતી... Read More
A. ઓળખાણ, અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More
Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?
A. પ્રશ્નકર્તા: અરિહંત ભગવાન એટલે કે ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું? દાદાશ્રી: ના,... Read More
Q. આચાર્ય ભગવંતોમાં કયા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા: 'નમો આયરિયાણં.' દાદાશ્રી: અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે... Read More
A. પ્રશ્નકર્તા: 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી: લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More
A. પ્રશ્નકર્તા: ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ સમજાવો. દાદાશ્રી: વાસુદેવ ભગવાન! એટલે જે વાસુદેવ ભગવાન નરના... Read More
Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?
A. પ્રશ્નકર્તા: લોએ એટલે શું? દાદાશ્રી: નમો લોએ સવ્વસાહૂણં. લોએ એટલે લોક. આ લોક સિવાય બીજું અલોક... Read More
A. પ્રશ્નકર્તા: ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે? દાદાશ્રી: હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન... Read More
Q. જય સચ્ચિદાનંદનો અર્થ શું છે?
A. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા... Read More
subscribe your email for our latest news and events
