
આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં, તોય એનું વચનબળ થાય.
શીલવાન પુરુષનો શબ્દ કંઈ કામ કરે, બાકી બીજું કોઈ બોલે એનું કામ ના કરે. વિષયનો એક દહાડોય જરા વિચાર આવ્યો હોય તો કામ કરે નહીં. એક દહાડોય લક્ષ્મીનો વિચાર આવ્યો હોય તો કામ ના કરે. કારણ કે, એ લીકેજ કહેવાય.
એક ફેરો જૂઠું બોલવાથી માણસનામાં બહુ જ નુકસાન થાય છે, જબરજસ્ત નુકસાન થાય. પણ એને ખબર નથી. કેટલું નુકસાન ખમીને એ પોતે રક્ષણ કરે છે પોતાનું. એક ફેરો ચોરી કરવાથી જબરજસ્ત નુકસાન થાય છે, પણ એ ખબર નથી. એટલે એમ શું નુકસાન ગયું એ ખબર નથી. આ સૂક્ષ્મમાં નુકસાન થાય છે. એટલે એનો પ્રતાપ, એનું શીલવાનપણું બધું ખલાસ થઈ જાય છે. માણસ વેચી મારે છે બધું શીલવાનપણું. એનો પ્રભાવ પડે નહીં પછી.
મારા શબ્દો એવા છે ને, વચનબળવાળા છે. શીલવાન પુરુષના શબ્દો છે. સત્યાવીસ વર્ષથી જે દેહના માલિક પોતે નથી, જે મનના માલિક નથી, જે વાણીના માલિક નથી, એના શબ્દો છે આ તો.
વચનનું બળ હોય છે એ, કારણ કે જેટલું એનું શીલ, ચારિત્ર એટલું બધું બળ! અને ચારિત્ર એટલે કમ્પ્લીટ મોરાલિટી, કમ્પ્લીટ સિન્સિયારિટી, એનું નામ ચારિત્ર. કમ્પ્લીટ મોરાલિટી, સેન્ટ પણ ઓછી નહીં. કમ્પ્લીટ સિન્સિયારિટી, સેન્ટ પણ ઓછી નહીં. એ ચારિત્ર હોય ત્યાં બધું જ ચાલે.
જેની વાણીથી કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય તે શીલવાન. શીલ વગર વચનબળ ઉત્પન્ન ના થાય.
1. શીલવાનમાં મોરાલિટી, સિન્સિયારિટી, બ્રહ્મચર્ય એ બધું હોય, પછી સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે. સહજ જ સામાના આગળ નમ્ર થઈને જ બોલે. પછી સહજ સરળતા હોય. સરળતા કરવી ના પડે.
2. શીલવાનનો એવો પ્રભાવ પડે કે, કોઈ ગાળો આપવાનું નક્કી કરીને આવ્યો હોય તો પણ સામે આવે કે એની જીભ સિવાઈ જાય. એવો આત્માનો પ્રભાવ છે!
3. સંસારમાં વાણી નીકળી, એ ચારિત્રબળની ઓળખ કહેવાય. (એ) વાણી મીઠી-મધુરી, કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં, ઉપઘાત (અથડામણ) થાય નહીં એવી વાણી હોય.
દાદાવાણી Magazine January 2014 (Page #8 and Page #9)
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. વાંકા જોડે વાંકા થઈએ તો? પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી... Read More
A. પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું? દાદાશ્રી: શેની ખામી... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
subscribe your email for our latest news and events
