તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ.
નીચેની પરિસ્થિતિ ધ્યાનમાં લો અને તે દરેક કાર્ય માટેનું શું કારણ હોઈ શકે તે વિચારો.
ઉપરની તમામ પરિસ્થિતિમાં, એવું કયું સામાન્ય પરિબળ છે જે બાળકોને આવું કરવા પ્રેરે છે?
બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે છોડાવવું, તે માટે આ ચાવીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે કોઈ બાળક ચોરી કરે છે અથવા તેને કોઈ ખરાબ આદત છે, ત્યારે માતા-પિતાએ સૌ પ્રથમ તો તેને ઠપકો આપવો જોઈએ નહીં અને તેમની સમજણમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. દરેક કાર્ય એ પરિણામ છે. અને જ્યારે કારણ બદલાઈ જાય ત્યારે પરિણામ આપોઆપ બદલાઈ જાય છે. તેના બદલે તમે તો પરિણામ ઉપર જ ધ્યાન આપો છો અને કહેતા ફરો છો કે, “મારું બાળક સાવ આવું છે; સાવ નકામો છે, ચોર છે”, પછી બાળક શું કરે? તે મનમાં ગાંઠ વાળે છે કે, ‘તેઓને જે ગમે તે બોલવા દો, હું તો આવું જ કરીશ.’ આ રીતે, માતા-પિતા તેઓના બાળકને વધુ ને વધુ ચોર બનાવી રહ્યા છે. માટે, તેણે જે કંઈ કર્યું છે તે વાતને છોડી દો અને અત્યારે તો એના ભાવને બદલવાનો પ્રયાસ કરો! તેઓના અભિપ્રાયમાં બદલાવ લાવો!
તેઓના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવો અને કહો, “અહીં આવ બેટા! જે રીતે તું કોઈના લઈ લે છે, તે રીતે જો કોઈ તારા ખિસ્સામાંથી પૈસા લઈ લે તો તને સારું લાગે, તે સમયે તને કેટલું દુ:ખ થાય? તે જ રીતે, શું તેને પણ દુ:ખ નહીં થતું હોય?” તમારે આ રીતે બાળકને વિગતવાર સમજાવવું જોઈએ. જ્યારે તમે તેના ઉપર હાથ મૂકો છો, ત્યારે તે બાળકને ખૂબ જ સારું લાગે છે. તેનું હૃદય પણ શાંત થશે. પછી કહેવું કે, “બેટા, આપણે પ્રતિષ્ઠિત કુટુંબના છીએ”, પછી તે તેનો ભાવ ફેરવશે કે, ‘આવું કરવું ખરેખર યોગ્ય નથી.’
વધુમાં, તમે નીચે દર્શાવેલ પદ્ધતિથી બાળકને ખરાબ આદતોમાંથી મુક્ત કરવામાં મદદ કરી શકશો.
બાળક એવું માનવા લાગવું જોઈએ કે ચોરી કરવી એ યોગ્ય નથી. તે આપણે આગળ વાંચીશું અને એનાથી વધુ દૃઢ બનાવીશું.
તેને એવું વિશ્લેષણ કરવા દો કે ચોરી કરવાથી શું ફાયદો થયો અને જો તે પકડાઈ જશે તો તેનું શું પરિણામ આવશે. દાખલા તરીકે, બાળકે તેના મિત્રના બેગમાંથી મીઠાઈ ખરીદવા ૧૦ રૂપિયા ચોરી લીધા. જે મીઠાઈ તેને જોઈતી હતી, તે ખરીદવાથી અને ખાવાથી તે ખુશ થશે. તેને પ્રેમથી પૂછો, જ્યારે તે ચોરી કરી રહ્યો હતો ત્યારે તેને કેવો અનુભવ થતો હતો. શું તેને પકડાવાનો ડર લાગતો હતો? ચોરી કરવાના પરિણામો વિશે તેણે વિચાર્યું હતું? સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું હૃદય ભારે હતું કે હળવું? જો પકડાઈ ગયો હોત તો તેના ક્લાસમાં તેની શી દશા થાત? શું કોઈ તેના પર ફરી વખત વિશ્વાસ કરશે, વગેરે.
તમારે તેને એવું કહીને ખાતરી આપવી જોઈએ કે, તેઓ પોતાની જાતને ગંભીર જોખમમાં મૂકવાને બદલે, જો તેમને કશું જોઈતું હોય, તો તે લઈ આપવા માટે તેમના માતા-પિતાને કહી શકે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સમજાવ્યા પ્રમાણે પ્રતિક્રમણ એ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે, જે બધી જ ભૂલો અને સામાને જે કંઈ પણ દુ:ખ આપ્યા હોય તે બધું ચોખ્ખું કરી દે છે. તે પછીના ભવ માટે વાવેલા કર્મોના હિસાબોને પણ મૂળમાંથી કાઢવામાં મદદ કરે છે.
જ્યારે પણ બાળક એકની એક ભૂલ ફરી વખત કરે છે, ત્યારે તેની ખાતરી લો કે તેઓ તેમની ભૂલનું રક્ષણ ન કરે. તેઓએ તે સ્વીકારવું જોઈએ કે આ તેમની જ ભૂલ છે અને ફરી ક્યારેય ન થાય. દાખલા તરીકે, જ્યારે તેઓ ચોરી કરે છે અને કહે છે કે પરીક્ષા માટે પેન ખરીદવી જરૂરી હતી અને તે સમયે આવું કરવું જરૂરી હતું. જ્યારે તેને એવું લાગે છે કે તે પરિસ્થિતિમાં ચોરી કરવી એ સાચી વાત હતી, તો તેઓ ભૂલનું રક્ષણ કરે છે. જે ભૂલનું રક્ષણ કરવામાં આવે છે તે ક્યારેય જતી નથી. તેથી, કારણ ગમે તે હોય, તેઓની માન્યતા એ જ હોવી જોઈએ કે ચોરી ક્યારેય ન કરવી જોઈએ. તેઓનો આવો શુદ્ધ ભાવ હોવા છતાં પણ એવું બનશે કે તેઓની ક્રિયા ખોટી હોય. પરંતુ, તેઓ ક્રિયાનો પક્ષ નહીં લે તો, તેઓની ભૂલની તીવ્રતા ઓછી થશે અને પછી તેનો અંત આવશે. માતા-પિતા પ્રેમાળ હોવા જોઈએ અને ધીરજ રાખવી જોઈએ, એવી ખાતરી રાખીને કે ઉપરના બધા જ સ્ટેપ્સ અનુસરવાથી બાળક તેમની ભૂલમાંથી બહાર આવશે જ.
પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા બતાવેલ પ્રતિક્રમણ કઈ રીતે કરવું તે બાળકોને શીખવો.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events