
એ સામાન્ય છે કે, જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે તમને શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે” એ તમારા મનમાં પહેલા શંકા જન્માવે છે. જો તમે કોઈ પુરાવા વગર તેને ઘર કરવા દેશો, તો તે નિશ્ચિતપણે તમારા સંબંધોને કાયમ માટે જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે. તેથી, અસરકારક રીતે આ શંકામાંથી છૂટવું એ જ મુખ્ય ચાવી છે. આ શંકા સૂક્ષ્મ છે, તમારા જીવનસાથી વિશે તમારા મનમાં નીચે મુજબના સવાલો ઊભા કરીને તે સ્થૂળરૂપે નિમિત્ત બને છે:
આવા સવાલોથી તમને કેવો અનુભવ થશે? શું તમને એવું લાગે છે કે મારી પત્ની કે પતિ મને છેતરી રહ્યા છે? શું તમે અસ્વસ્થ અને બેચેન થઈ જશો? શું તેનાથી તમને તમારા સંબંધોની મજબૂતી વિશે પ્રશ્નો થશે?
હકીકતમાં, તમારા જીવનસાથી તમને છેતરી રહ્યા છે તેની ચિંતા કે શંકાના વિચારોને ઘર કરવા દેવા, તે તમારા સંબંધોની ઈમારતમાં તડ પાડવા સમાન છે. અને જો તમે આ વિચારોને એક ક્ષણ માટે પણ મનમાં રાખશો, તો તેમાંથી અસરમુક્ત રહીને બહાર નીકળવાનો મોકો બહુ ઓછો કે નહીંવત્ હોઈ, એવા બ્લેક હોલમાં તમે ફસાઈ જશો. તેથી, જેટલું બને તેટલું આવા વિચારોથી દૂર રહેવું તે જ ઉત્તમ છે.
તો આવા વિચારોમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે, જે તમારા મનને સ્વસ્થ રાખે અને છેતરપિંડીમાંથી મુક્ત કરી શકે?
પહેલું, તમારા મનમાં આવા વિચારો આવવા જ ના દો. તેઓ કહે છે તેમ, 'સાવચેતી એ સારવાર કરતા વધુ સારી છે.' જ્યારે તમે સંબંધોમાં વણાયેલા છો, ત્યારે તમારે તમારા જીવનસાથી પર શંકા ન રાખીને તેના પર વિશ્વાસ રાખો. અંતે, વિશ્વાસ એ દરેક સંબંધોમાં મુખ્ય પાયારૂપ છે.
ચાલો, ઊંડાણથી જાણીએ કે શંકા કેવી રીતે ઊભી થાય છે, જેથી તમે સમજી શકો કે તે ઊભી થતા પહેલા તેને કેવી રીતે અટકાવી શકાય:
જ્યાં અતિશય રાગ હોય ત્યાં તીવ્ર શંકા થાય છે અને પછી શંકાનો કીડો તમને અંદરથી ખોતરી ખાય છે. જ્યારે સામી વ્યક્તિના વ્યવહાર કે વર્તન તમારી અપેક્ષા કરતા થોડા પણ જુદા પડે, ત્યારે શંકાના વિચારો શરૂ થાય છે. જ્યારે આપણા મનથી પણ આ ગૂંચવાડાનું સમાધાન થઈ શકતું નથી, ત્યારે આપણને શંકા થાય છે કે, “આ આવું શા માટે છે?” “શું આવું એટલા માટે છે કે મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે?”
અગર તમારા જીવનસાથી ઘરે મોડા આવે, તેમને સમજાવો અને તેમની જોડે ચર્ચા કરો, પરંતુ શંકા કરશો નહીં. શંકા ખરેખર મુશ્કેલીને પોષણ આપે છે. હા, તમારે તેમને ચેતવવા જોઈએ, પણ શંકાશીલ થવું નહીં.
શંકા અને ભય એ કારણ અને પરિણામ જેવા છે. શંકાના એક બીજમાંથી આખું જંગલ બની જાય છે. ક્યારેક શંકાના વિચારો તમારી અંદર જ ઊભા થાય અને થોડી વાર માટે પણ જો તેને ચાલુ રહેવા દેવામાં આવે, તે સામા વ્યક્તિને પહોંચી જશે અને આમ લંબાયા જ કરશે. તેથી, તેને ઊગતા પહેલા જ ઉખાડી નાખવા એ જ ઉત્તમ છે.
શું તમે કંઈક એવું જોયું છે અને તેના કારણે તમે શંકાશીલ છો? અને જો એવું હોય તો શું તમે એ જોયું ત્યારે પહેલા એ નહોતું બની રહ્યું? લોકો જે ચોરી કરતા પકડાય તેને ચોર કહે છે. પરંતુ, જે પકડાતા નથી તેઓ છૂપી રીતે ચોરી કરે જ છે ને? જેઓ ક્યારેક ચોરી કરતા હોય તે પકડાઈ જતા હોય છે. અને તેઓ પકડાયા તેથી લોકો તેને ચોર કહે છે. ખરો ચોર એ છે કે જે પકડાય નહીં, પરંતુ આ જગત આવું જ છે.
જો તમે તમારા જીવનસાથીને કોઈ એવી સ્થિતિમાં જુઓ છો, તો તરત પ્રતિક્રિયા આપવી નહીં. એક પગલું પાછળ જાઓ અને પોતાને આ દ્રશ્યથી ડિસ્કનેક્ટ કરો. તમે ગુસ્સો કરીને વધારે નુકસાન કરો એની પહેલા જ તમારી જાતને વિચારવાનો સમય આપો અને તમે જે જોયું તેના પર વિચારો.
તમને થોડું કપરું લાગશે, પરંતુ તમે હળવા થઈ જશો. આ વિચારી જુઓ, તમે તમારી શંકાને પાછળ મૂકીને, આગળ વધી શકો છો. શાંતિથી તમારા જીવનસાથી સાથે વાત કરો અને હવે આગળ શું કરવું તે નક્કી કરો. શું તેણે જે કર્યું છે તેનો તે પસ્તાવો કરે છે? કે પછી આ સમય છે કે તમે વધુ નુકસાન થતા અટકાવી શકો છો? જો તમે તમારા જીવનસાથીને બીજો મોકો આપવાનું નક્કી કરો છો, તો પછી તમારે સંપૂર્ણપણે તમારી શંકા અને સંશયને ભૂંસી નાખવા જરૂરી છે, નહીંતર, આવા વિચારો તમારો પીછો કર્યા કરશે અને વધારે નુકસાન કરશે. જો તમે છૂટા પડવાનું નક્કી કરો છો તો તે મૈત્રીપૂર્વક કરો. કારણ કે, તમારા જીવનસાથી તમને છેતરી રહ્યા છે, તે બાબતે ગુસ્સે થવાથી અને દુ:ખી થવાથી તમે તમારા દુ:ખમાં વધારો કરશો.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?
A. કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. છૂટાછેડા થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે... Read More
Q. શું મારે છૂટાછેડા લેવા જોઈએ?
A. આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, “શું મારે છૂટાછેડા... Read More
Q. શું પતિ-પત્નીના સંબંધમાં એકબીજાની ભૂલો જોવી યોગ્ય છે?
A. એવું કેટલી વાર બન્યું હશે કે તમે પાર્ટનરને એમની ભૂલો બતાડવાનું મન થયું હોય અથવા તમારી સાથે એવું... Read More
Q. જીવનસાથીના પ્રતિક્રમણ શા માટે કરવા જોઈએ?
A. ઘણીવાર વ્યવહારમાં આપણી વાણીથી કે વર્તનથી આપણા જીવનસાથીને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક એમના માટે... Read More
Q. શું લગ્ન પહેલાં ડેટિંગ કરવું જોઈએ કે નહીં?
A. લગ્નની ઉંમર થાય ત્યારે લોકોને મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, “લગ્ન કરી લેવા જોઈએ કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. જીવનસાથીની પસંદગી, એ આપણા માટે સૌથી અઘરો નિર્ણય બની રહે છે. લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે કેવા... Read More
subscribe your email for our latest news and events
