Related Questions

લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?

તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત રહેવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ ખર્ચ થાય તેનું ધ્યાન રાખો. પહેલેથી જ નક્કી કરી લો કે તમે તમારું ઘર અમુક મર્યાદિત બજેટમાં જ ચલાવશો. જો પૂરતા પૈસા ના હોય તો મોંઘી વસ્તુઓ ખરીદવાની ઉતાવળ ના કરશો. પૈસાની સગવડ હોય તો જ ખર્ચ કરવો.

married life

પૈસા હાથવગા રાખો

એક વખત ઘરખર્ચનું બજેટ નક્કી થઈ જાય, પછી તમારે હંમેશાં તમારા જીવનસાથી માટે એટલા પૈસા સરળતાથી મળી શકે એવી રીતે રાખવા જોઈએ. એવી પરિસ્થિતિ ના આવવા દો કે તેમને તમારી પાસે પૈસા માગવા પડે.

કરકસરમાં ઉદારતા

ઘરમાં કરકસર હોવી જોઈએ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

નબળી પરિસ્થિતિમાં ધીરજનું મહત્ત્વ

તો ચાલો જાણીએ કે, લગ્નજીવનમાં આર્થિક પરિસ્થિતિની સમસ્યાને રોકવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીનું શું કહેવું છે.

પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું?

દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.

આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે?

આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલાં થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ! 'દાદા ભગવાન'નું નામ લે ને પૈસા ના આવે તો તે દાદા ન્હોય! પણ આ લોકો આવું નામ દે નહીં ને, પાછા ઘેર જઈને!!

×
Share on