તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત રહેવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ ખર્ચ થાય તેનું ધ્યાન રાખો. પહેલેથી જ નક્કી કરી લો કે તમે તમારું ઘર અમુક મર્યાદિત બજેટમાં જ ચલાવશો. જો પૂરતા પૈસા ના હોય તો મોંઘી વસ્તુઓ ખરીદવાની ઉતાવળ ના કરશો. પૈસાની સગવડ હોય તો જ ખર્ચ કરવો.

એક વખત ઘરખર્ચનું બજેટ નક્કી થઈ જાય, પછી તમારે હંમેશાં તમારા જીવનસાથી માટે એટલા પૈસા સરળતાથી મળી શકે એવી રીતે રાખવા જોઈએ. એવી પરિસ્થિતિ ના આવવા દો કે તેમને તમારી પાસે પૈસા માગવા પડે.
ઘરમાં કરકસર હોવી જોઈએ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.
તો ચાલો જાણીએ કે, લગ્નજીવનમાં આર્થિક પરિસ્થિતિની સમસ્યાને રોકવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીનું શું કહેવું છે.
પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું?
દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત, પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.
આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે?
આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલાં થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ! 'દાદા ભગવાન'નું નામ લે ને પૈસા ના આવે તો તે દાદા ન્હોય! પણ આ લોકો આવું નામ દે નહીં ને, પાછા ઘેર જઈને!!
કોઈક દહાડે વાઈફ કહે, 'પેલી સાડી મને નહીં લઈ આપો? મને પેલી સાડી લઈ આપવી પડશે.' ત્યારે પેલો કહે કે, 'કેટલી કિંમત તેં જોઈ હતી?' ત્યારે કહે, 'બાવીસસો રૂપિયાની છે, વધારે નથી!' તો આ કહે, 'તમે બાવીસસોની જ છે, કહો છો. પણ મારે અત્યારે પૈસા લાવવા કઈ રીતે? અત્યારે અહીં સાંધા તૂટે છે. બસો-ત્રણસોની હોય તો લઈ આપું, પણ તું બાવીસસોની કહું છું.' એ રીસાઈને બેસી રહ્યા. હવે શી દશા થાય તે? મનમાં એમેય થાય કે બળ્યું આથી ના પૈણ્યો હોય તો સારું!
પતિએ શું કરવું જોઈએ? શું એમણે બાવીસસોની રૂપિયાની સાડી ખરીદવી જોઈએ?
પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, 'એવું બનાવી દો આપણે કે સાડી એની મેળે લાવે જ નહીં. જો આપણને મહિનાના આઠસો પાઉન્ડ મળતા હોય, એટલે આપણે સો પાઉન્ડ આપણા ખર્ચી માટે રાખી અને સાતસો એમને આપી દઈએ પછી આપણને કહે, સાડી લઈ આપો? અને ઊલટી આપણે મશ્કરી કરવી, પેલી સાડી આ સરસ છે, કેમ લાવતા નથી? એનો વેંત (ગોઠવણ) એણે કરવાનો હોય! આ તો આપણે વેંત કરવાનો હોય ત્યારે આપણી પર જોર કરે. આ બધી કળા હું જ્ઞાન થતા પહેલા શીખેલો, પછી જ્ઞાની થયો. બધી કળાઓ મારી પાસે આવી ત્યારે મને જ્ઞાન થયું છે. તો બોલો, આ કળા નથી તેથી જ આ દુઃખ છે ને! આમાં તમને સમજણ પડીને? ભૂલ તો આપણી જ છે ને, કળા નથી તેની ને? કળા શીખવાની જરૂર છે.
પૈસાનો વ્યવહાર પુસ્તક દ્વારા પરમ પૂજ્ય દાદાશ્રીએ એક અદ્ભુત વિજ્ઞાન જગતને અર્પ્યું છે. તે વિશે વધુ વાંચવા અહીં જુઓ.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
