Related Questions

લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?

તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ ખર્ચ થાય તેવું ધ્યાન રાખો. પહેલેથી જ નક્કી કરી લો કે તમારું ઘર અમુક માર્યાદિત બજેટમાં જ ચલાવશો. જો પૂરતા પૈસા ના હોય તો મોંઘી વસ્તુઓ ખરીદવાની ઉતાવળ ના કરશો. પૈસાની સગવડ હોય તો જ ખર્ચ કરવો।

પૈસા હાથવગા રાખો

એક વખત ઘરખર્ચનું બજેટ નક્કી થઈ જાય તો પછી એટલા પૈસા એવી જગ્યાએ રાખો જ્યાંથી તમે અને તમારા પતિ/પત્ની સહેલાઈથી મેળવી શકે. એવી પરિસ્થિતિ ના ઉત્પન્ન થવા દો કે તેમને તમારી પાસે પૈસા માંગવા પડે.

કરકસર માં ઉદારતા

ઘરમાં કરકસર કેવી જોઇએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઇએ. કરકસર રસોડામાં પેસવી ના જોઇએ, ઉદાર કરકસર હોવી જોઇએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઇ મહેમાન આવે તો ય મન બગડી જાય કે ચોખા વપરાઇ જશે ! કોઇ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

નબળી પરિસ્થિતિમાં ધીરજનું મહત્ત્વ

તો ચાલો જાણીએ પરમ પૂજ્ય દાદાશ્રીનું શું કહેવું છે લગ્નજીવનમાં આર્થિક સ્થિતિ સમસ્યાના રોકવા માટે

પ્રશ્નકર્તા: જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ?

દાદાશ્રી: એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત - પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે.

આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ?

આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! 'દાદા ભગવાન' નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય ! પણ આ લોકો આવું નામ દે નહીંને, પાછા ઘેર જઈને !!

×
Share on