Related Questions

આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?

પ્રશ્નકર્તા: આદર્શ ધંધો કોને કહેવાય?

દાદાશ્રી: ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાંય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તે જનાવરમાં ચાર પગમાં જઈશ. ચારપગો થાય પછી પડે તો નહીં ને? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે. 

પ્રશ્નકર્તા: હવે ધંધો કેટલો વધારવો જોઈએ? 

દાદાશ્રી: ધંધો એટલો કરવો કે નિરાંત ઊંઘ આવે, આપણે જ્યારે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ. જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં. 

વ્યાજનો વાંધો?!

પ્રશ્નકર્તા: શાસ્ત્રમાં વ્યાજ લેવાનો નિષેધ નથી ને? 

દાદાશ્રી: આપણા શાસ્ત્રોએ વ્યાજનો વાંધો ઉઠાવ્યો નથી, પણ વ્યાજખાઉ થયો તે નુકસાનકારક છે. સામાને દુઃખ ના થાય ત્યાં સુધી વ્યાજ લેવામાં વાંધો નથી. 

કરકસર, તો 'નોબલ' રાખવી! 

ઘરમાં કરકસર કેવી જોઈએ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઈએ. કરકસર રસોડામાં પેસવી ના જોઈએ, ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે 'નોબલ' કરકસર કરો.

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
  14. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on