Related Questions

બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

પ્રશ્નકર્તા: દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તોય કઈ અસર થતી નથી.

દાદાશ્રી: આ રેલવેના પાર્સલ પર લેબલ મારેલું તમે જોયું છે? 'ગ્લાસ વિથ કેર' એવું હોય છે ને? તેમ ઘરમાં પણ 'ગ્લાસ વિથ કેર' રાખવું. હવે ગ્લાસ હોય અને તમે હથોડા માર માર કરો તો શું થાય? એમ ઘરમાં માણસોને કાચની જેમ સાચવવા જોઈએ. તમને એ બંડલ પર ગમે તેટલી ચીઢ ચઢી હોય તોય તેને નીચે ફેંકો? તરત વાંચી લો કે, 'ગ્લાસ વિથ કેર'! આ ઘરમાં શું થાય છે કે કંઈક થયું તો તમે તરત જ છોકરીને કહેવા મંડી પડો, 'કેમ આ પાકીટ ખોઈ નાખ્યું? ક્યાં ગઈ હતી? પાકીટ કેવી રીતે ખોવાઈ ગયું?' આ તમે હથોડા માર માર કરો છો. 'ગ્લાસ વિથ કેર' સમજે તો પછી સ્વરૂપજ્ઞાન ના આપ્યું હોય તોય સમજી જાય.

આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે? ત્યારે તો ચિઢાય. માટે એ આસક્તિ છે. 

છોકરાં-છોકરી છે તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી તરીકે રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય. ઘરમાં જે બની જાય તેને કરેક્ટ કહેવું, 'ઈન્કરેક્ટ' કહેશો તો કશો ફાયદો નહીં થાય. ખોટું જોનારને બળાપો થશે. એકનો એક છોકરો મરી ગયો તો કરેક્ટ છે, એમ કોઈને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે, બહુ ખોટું થઈ ગયું. દેખાડો કરવો પડે. ડ્રામેટિક કરવું પડે. બાકી અંદરખાને 'કરેક્ટ' જ છે. એમ કરીને ચાલવું. પ્યાલો જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી પ્યાલો! પછી પડી જાય ને ફૂટી જાય એટલે 'કરેક્ટ' છે, એમ કહેવું. બેબીને કહેવું કે, સાચવીને ધીરે રહીને લેજે, પણ મહીં 'કરેક્ટ' છે એમ કહેવું. ક્રોધની વાણી ના નીકળે એટલે સામાને ના વાગે. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ ના કહેવાય, મહીં ઘુમાય તેય ક્રોધ છે. આ સહન કરવું, એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો સ્પ્રિંગ ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું? આનો તો જ્ઞાનથી ઉકેલ લાવી નાખવાનો. ઉંદરડે મૂછો કાપી તે 'જોવાનું' અને 'જાણવાનું' તેમાં રડવાનું શાને માટે? આ જગત જોવા-જાણવા માટે છે!

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
  14. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on