પ્રશ્નકર્તા: કહેતા ના આવડે તો પછી શું કરવું? ચૂપ બેસવું?
દાદાશ્રી: મૌન રહેવું અને જોયા કરવું કે 'ક્યા હોતા હૈ?' સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર. બાકી, જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.
પ્રશ્નકર્તા: અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે?
દાદાશ્રી: ના થઈ શકે. આપણે તો સામો મળે તે કેમ છો? કેમ નહીં? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશે ને જ્યારે ત્યારે? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહો ને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.'
પ્રશ્નકર્તા: એવું કહેવાથીય એ નરમ ના પડે તો શું કરવું?
દાદાશ્રી: નરમ ના પડે તો આપણે શું કરવાનું? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.
Book Name: વાણી, વ્યવહારમાં... (Page #57 and Page #58)
Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?
A. પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી: શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ... Read More
Q. કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં... Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું? દાદાશ્રી: ડાહ્યો માણસ હોય ને તો લાખ... Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે! દાદાશ્રી: છોકરાં તરીકે... Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેક્ચર મારી... Read More
Q. જ્યારે કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે ત્યારે આપણે તેને કંઈ કહેવું જોઈએ કે નહીં?
A. પ્રશ્નકર્તા: પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં? દાદાશ્રી: બોલવાનું. એવું... Read More
Q. મારી ધંધા/કામકાજની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું... Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા: કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું? સમભાવ કેવી રીતે... Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવી રીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી: તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતા હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી... Read More
subscribe your email for our latest news and events