સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવી રીતે વર્તવું ?

જીવનમાં એક યા બીજા કારણે ક્રોધ થઈ જાય છે. શું તમે ક્રોધ માટે ક્યારેય ગંભીરતાથી વિચાર્યુ છે? ક્રોધ કોને કહેવાય? ક્રોધનું પરિણામ શું છે અને તે શા માટે ઊભો થાય છે? સંબંધ સમસ્યાઓમાં ક્રોધ સામે કેવી રીતે વર્તવું? ક્રોધમાંથી કેવી રીતે મુક્ત થવું?

જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથે જ આપણે સંબંધ તોડી નાખીએ છીએ. આપણે આપણા બાળકોને હૂંફ, આરામ અને સલામત ઘર આપવા ઈચ્છીએ છીએ પરંતુ આપણો ક્રોધ બાળકોને તેમનાં પોતાના જ ઘરમાં ડરાવે છે.

ક્રોધી લોકોની સાથે કેવી રીતે વર્તવું? મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો આપણે દઝાઈ મરીએ.

વ્યવહારિક સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે આગળ વાંચો.

તદુપરાંત, તમે તમારા પોતાની જાતને ઓળખવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ) માં ભાગ લો. જે ક્રોધથી ખરી રીતે મુક્ત થવામાં મદદ કરશે.

 

 

ક્રોધ સામે જાગૃતિ

આપણા જીવનમાં આપણી માન્યતાના આધારે સામાવાળાને સાચો કે ખોટો કહેતા હોઈએ છે. અને જો સામેવાળો આપણી માન્યતાથી વિરુદ્ધ કરે ત્યારે ગુસ્સો આવી જાય છે. ક્રોધ સામે કઈ જાગૃતિ ગોઠવવી એના માટે વીડિયો નિહાળો.

play

Top Questions & Answers

  1. Q. સંબંધોમાં ક્રોધ થવાનું કારણ શું છે?

    A. પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું... Read More

  2. Q. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધ સામે કેવીરીતે વર્તવું?

    A. ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસવું જોઈએ, તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ... Read More

  3. Q. પતિ-પત્નીનાં સંબંધોમાં ક્રોધની સામે કેવીરીતે વર્તવું?

    A. પ્રશ્નકર્તા: ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના... Read More

  4. Q. કામ-કાજની જગ્યા પર મને શા માટે ક્રોધ આવે છે?

    A. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભની ખરેખરી રક્ષક માયા અને માનનો ખરેખર... Read More

  5. Q. ક્રોધી લોકોની સાથે કેવીરીતે વર્તવું?

    A. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું ?  દાદાશ્રી : ગરમ તો થઈ... Read More

  6. Q. બાળકો શા માટે પપ્પા કરતાં મમ્મીનો પક્ષ વધારે લે છે?

    A. પ્રશ્નકર્તા : સાત્વિક ચીડ અગર તો સાત્વિક ક્રોધ સારો કે નહીં ?  દાદાશ્રી : એને લોકો શું કહે ? આ... Read More

  7. Q. બાળકોમાં ‘ડીસિપ્લિન’ કેવી રીતે લાવી શકાય?

    A. પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે... Read More

  8. Q. ટૈડકાવો પણ ડ્રામેટિક.

    A. એક બેન્કનો મેનેજર કહે છે કે દાદાજી, હું તો કોઈ દહાદોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો... Read More

  9. Q. ક્રોધ કોને કહેવાય? ગુસ્સો કોને કહેવાય?

    A. પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ? દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર... Read More

  10. Q. ક્રોધમાંથી કેવીરીતે બહાર નીકળવું?

    A. પહેલા તો દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો, ક્ષમા રાખો, એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે,... Read More

Spiritual Quotes

  1. ક્રોધ એ નિર્બળતા છે, એટલે તે થઈ જાય છે. ભગવાને એટલે અબળા કહ્યું છે. પુરુષ તો કોનું નામ કહેવાય ? ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેને ના હોય, એને ભગવાને 'પુરુષ' કહ્યા.
  2. ક્રોધ એ નબળાઈ છે, લોકો એને જબરાઈ માને છે. ક્રોધ કરનાર કરતાં ક્રોધ ન કરનારનો પ્રતાપ કંઈ ઓર જ જાતનો હોય છે!
  3. ચીડ એ મૂર્ખાઈ છે, ફૂલિશનેસ છે ! ચીડને નબળાઈ કહેવાય.
  4. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું નામ ક્રોધ. એટલે પહેલાં પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે.
  5. ક્રોધ એમ ને એમ સ્વભાવથી માણસને આવી શકતો નથી. આ તો એને એનું ધાર્યું કરવું છે.
  6. આપણું નુકસાન કોઈ કરે કે અપમાન કરે તો તે આપણા જ કર્મનું ફળ છે, સામો નિમિત્ત છે એવી સમજણ ફીટ થયેલી હોય તો જ ક્રોધ જાય.
  7. ક્રોધને બંધ કરવાનો ઉપાય ખોળવો એ મૂર્ખતા છે, કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. જેમ પરીક્ષા તમે આપી હોય ને રિઝલ્ટ આવ્યું, હવે હું રિઝલ્ટને નાશ કરવાનો ઉપાય કરું, એના જેવી વાત થઈ. આ રિઝલ્ટ આવ્યું એ શેનું પરિણામ છે, તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે.'
  8. એટલે ક્રોધ-માન-માયા-લોભનો ઉપાય આ છે. પરિણામને કશું ના કરો, એના કૉઝીઝને ઉડાડો તો આ બધા ય જતાં રહેશે.
  9. જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે ક્રોધ આવે છે, ત્યારે ત્યારે તેની નોંધ કરી લેવી અને તેના પર જાગૃતિ રાખવાની. અને જેને આપણા ક્રોધથી દુઃખ થયું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું, પસ્તાવો કરવો ને ફરી નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરવો.
  10. લોભી છે એ જાણે નહીં, માની એ જાણે નહીં, જાણનારો જુદો છે.

Related Books

×
Share on
Copy