જો કોઈ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછી શકો કે શા માટે તે આવું કરે છે અને તમારા મનમાં તે વ્યક્તિ માટે થોડો સમય ઘૃણા પણ ઉત્પન્ન થઈ જશે. આમ કરવાથી તમે જૂના હિસાબ ચૂકવતા ચૂકવતા નવું ખાતું તે વ્યક્તિ સાથે ખોલી નાખો છો. જ્યારે તે વ્યક્તિ તમને ગયા ભવમાં તેને દીધેલું પાછું આપવા આવે છે, ત્યારે તે સ્વીકારી અને જમા કરવાને બદલે તમે તે વ્યક્તિનો ખૂબ જ તિરસ્કાર કરો છો. તે વ્યક્તિ તરફથી એક પણ અપમાન તમે સહન કરી શકતા નથી અને ઉપરથી તમે તે વ્યક્તિનું ઘણી વાર અપમાન કરો છો. હવે માનવ બુદ્ધિ આ ઊંડાણ સુધી કઈ રીતે પહોંચી શકે? તે સમજવાને બદલે લોકો ખૂબ ઊંડાણમાં ચીકણા કર્મો પોતાના માટે બાંધે છે અને ગૂંચામણ વધ્યા જ કરે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાને અપમાનના સમયે કઈ રીતે વર્તવું તેની ઘણી ચાવીઓ આપી છે, ચાલો આપણે તે જોઈએ:
જ્યારે કોઈ તમારું અપમાન કરે છે અને તમારું મન સહેજ પણ તે વ્યક્તિ માટે બગડતું નથી, ત્યારે તમે ખરું તપ કર્યું કહેવાય. જ્યારે આવા પ્રકારનું તપ થાય છે, ત્યારે પોતાની અનંત શક્તિઓ ઉત્પન્ન થાય છે.
વળતર આપીને થપ્પ્ડની માગણી
જો કોઈ તમારું અપમાન કરે છે અથવા તમને અપશબ્દો બોલે છે તો તમે તમારી જાતને નસીબદાર માનો. થોડા વર્ષો પહેલા મેં એવી જાહેરાત કરેલી કે કોઈ પણ વ્યક્તિ જેને પૈસાની જરૂરિયાત હોય તે આવીને મને થપ્પડ મારે અને બદલામાં હું તેને પાંચસો રૂપિયા આપીશ. દરેકે ના કહી અને તેઓ આવું નહીં કરે તેમ કહ્યું. તમે ક્યાંય એવું જોયું છે કે તમારું કોઈ અપમાન કરે અથવા થપ્પડ મારે તેમને પણ તમે તેના પૈસા આપો? તેથી લોકો કે જેનું ઘરમાં રોજ અપમાન થયા કરે છે તેઓએ પોતાની જાતને નસીબદાર માનવા જોઈએ. હું તો પાંચસો રૂપિયા આપવા તૈયાર હોવા છતાં મને એવું સદ્ભાગ્ય ન મળ્યું.
જ્ઞાનપ્રાપ્ત થતા પહેલાં, હું અપમાન માટે ટેવાયેલો ન હતો કારણ કે કોઈ મને એવું કરતું નહીં! હું અપમાન માટે પૈસા આપવા તૈયાર હોવા છતાં, કોઈ'એ મારા ઉપર ઉપકાર ન કર્યો અને તેથી મારે જાતે જ એવું કરવું પડ્યું. હું મારી જાતને એવું કહેતો કે, ‘તમારામાં કાંઈ અક્કલ જ નથી! તમે મૂર્ખ છો! તમે અક્કરમી છો!’ હું મારી જાતને કહેતો કે, ‘તમે કઈ જાતના વ્યક્તિ છો? મોક્ષનો માર્ગ ખૂબ કઠિન છે ત્યારે આવું વર્તન ચાલે?’ હું મારી જાતનું આ રીતે અપમાન કરતો. કોઈએ મારા પર ઉપકાર ન કર્યો તો પછી મારે શું કરવું? બીજી તરફ તમારે તો ક્યાંય અપમાન શોધવા નહીં જવું પડે કે પૈસા પણ નહીં ચૂકવવા પડે કારણ કે, તમને એ ગમે ત્યાંથી મળવાનું છે. તેથી, શું તમારે એ પરિસ્થિતિનો ફાયદો ન મેળવવો જોઈએ?
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે? એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિઓ વિશે વિચારીએ: “ધારો કે, તમે રસ્તા પર ચાલી... Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઈ રીતે મેળવવો? જો આપણે અથડામણ... Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઈએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થાય છે અને આપણે તેવી પરિસ્થિતિમાં કઈ રીતે વ્યવહાર કરવો... Read More
Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?
A. જ્યારે કોઈ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઈએ? એક બાજુ એક... Read More
Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?
A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઈએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે... Read More
Q. કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?
A. તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે: જ્યારે તમારો બોસ તમને... Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઈ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે. જો કે, અથડામણ નિવારવા... Read More
subscribe your email for our latest news and events