Related Questions

જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?

જો કોઈ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછી શકો કે શા માટે તે આવું કરે છે અને તમારા મનમાં તે વ્યક્તિ માટે થોડો સમય ઘૃણા પણ ઉત્પન્ન થઈ જશે. આમ કરવાથી તમે જૂના હિસાબ ચૂકવતા ચૂકવતા નવું ખાતું તે વ્યક્તિ સાથે ખોલી નાખો છો. જ્યારે તે વ્યક્તિ તમને ગયા ભવમાં તેને દીધેલું પાછું આપવા આવે છે, ત્યારે તે સ્વીકારી અને જમા કરવાને બદલે તમે તે વ્યક્તિનો ખૂબ જ તિરસ્કાર કરો છો. તે વ્યક્તિ તરફથી એક પણ અપમાન તમે સહન કરી શકતા નથી અને ઉપરથી તમે તે વ્યક્તિનું ઘણી વાર અપમાન કરો છો. હવે માનવ બુદ્ધિ આ ઊંડાણ સુધી કઈ રીતે પહોંચી શકે? તે સમજવાને બદલે લોકો ખૂબ ઊંડાણમાં ચીકણા કર્મો પોતાના માટે બાંધે છે અને ગૂંચામણ વધ્યા જ કરે છે.

avoid clashes

પરમ પૂજ્ય દાદા ભગવાને અપમાનના સમયે કઈ રીતે વર્તવું તેની ઘણી ચાવીઓ આપી છે, ચાલો આપણે તે જોઈએ:

  • જ્યારે કોઈ તમારા ઉપર તીવ્ર અપશબ્દોનો વરસાદ વરસાવે ત્યારે તમારે ચેતી જવું જોઈએ અને તે વ્યક્તિ સાથે અથડામણ ટાળવી જોઈએ.વિવાદમાં ઊતરવું જોઈએ નહીં.
  • બીજી વ્યક્તિઓનો વ્યૂ પોઈન્‍ટ સમજવાની કોશિશ કરો.શા માટે તેઓ ગુસ્સે થઈ જાય છે અને તમારા પર અપશબ્દોનો વરસાદ વરસાવે છે? એક વખત તમે તેમના ગુસ્સાનું કારણ સમજી જશો, પછી તમે સમસ્યાનું શાંતિથી સમાધાન લાવી શકશો. સામી વ્યક્તિનો ગુસ્સો ઠંડો પડે ત્યાં સુધી રાહ જુઓ. પછી શાંતિથી તે બાબત પર ચર્ચા કરો અને બંને તરફ સ્વીકાર્ય હોય તેવો ઉકેલ લાવો.
  • જ્યારે કોઈ તમારા પર બૂમબરાડા કરીને તમારું અપમાન કરે છે, ત્યારે તે વ્યક્તિ તે વાત વારંવાર કર્યા જ કરશે.તે સમયે તમે તેના બૂમબરાડા પાછળ તે વ્યક્તિ શું કહેવા માગે છે, તેનું કારણ શોધો. તેમના શબ્દો પર ધ્યાન ન આપો, પણ તેઓ શું ઈચ્છે છે અને કરે છે તેના પર ધ્યાન આપો.
  • જ્યારે કોઈ તમારું અપમાન કરે ત્યારે આવેશમાં આવવાના બદલે શાંત અને સ્વસ્થ રહો. જો તમે સામે પ્રતિક્રિયા આપશો તો તમે બળતામાં ઘી હોમો છો.અંતે, સમગ્ર વાતાવરણ સળગી ઊઠશે અને તમને બંનેને નુકસાન થશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે: ‘અપમાન પચાવવાથી અનંત શક્તિઓ ઉત્પન્ન થાય છે.’
  • તરત જ કોઈ પ્રતિક્રિયા ન આપો.જ્યારે તમે અપમાનિત થાવ છો, ત્યારે તમે સૌ પ્રથમ સામે પાછા અપશબ્દો ફેંકવાનું વિચારો છો. નહીં! પરંતુ, અંદરની ગડમથલને શાંત થવા દો. પછી સામી વ્યક્તિ પાસે જાવ અને તેનો વ્યૂ પોઈન્‍ટ સમજો. તમે જે વિચારો છો તે વસ્તુની તેની સાથે ચર્ચા કરો, તમે શા માટે તેવું કર્યું તે સમજાવો. તો પછી તે વ્યક્તિ તમારી જેમ તે વસ્તુને જોઈ શકશે. આ રીતે અપમાન સામે વર્તવું જોઈએ.
  • હકારાત્મક (પોઝિટિવ) દ્રષ્ટિકોણ કેળવો. સામી વ્યક્તિ ગમે તેવા ખરાબ શબ્દો બોલે કે અપશબ્દો કરે, પરંતુ તમને માર્યું તો નથી ને અથવા છરી તો નથી મારી ને, તેવું વિચારો. તેનાથી અપશબ્દોની તીવ્રતા ઘટી જશે.
  • એવી સમજણ કેળવો કે જે કંઈ પણ બની રહ્યું છે, તે તમે પૂર્વે વાવેલું તે તમારા કર્મોનું જ ફળ છે. તમને અપમાનિત કરવા પાછળ સામી વ્યક્તિનો કોઈ દોષ નથી. તે તમારા કર્મો ખપાવવા માટે માત્ર નિમિત્ત જ છે. આ સમજણ તમને કોઈ અસર ન થવામાં અને ભોગવટામાં ન આવી જવાય તે માટે મદદ કરશે. તેવું સ્વીકારો કે, “તમે પૂર્વજન્મમાં કશું ખોટું કર્યું હશે તેથી જ તમે આ જન્મમાં અપમાનિત થાવ છો.” તે તમારી સાથે આ રીતે બોલે છે કારણ કે, તમારો પોતાનો જ દોષ છે. આમ કરીને તે તમને તમારા પૂર્વજન્મના ગુનાઓમાંથી મુક્ત કરે છે. તમને તે વ્યક્તિ માટે કોઈ ખરાબ ભાવના ન થવી જોઈએ. ઊલટાનું, તમારે તે વ્યક્તિના ઋણી બનવું જોઈએ, કારણ કે, તે તમને તમારા કર્મોમાંથી છોડાવે છે અને છતાં પણ તમે તે વ્યક્તિનો તિરસ્કાર કરો છો!

જ્યારે કોઈ તમારું અપમાન કરે છે અને તમારું મન સહેજ પણ તે વ્યક્તિ માટે બગડતું નથી, ત્યારે તમે ખરું તપ કર્યું કહેવાય. જ્યારે આવા પ્રકારનું તપ થાય છે, ત્યારે પોતાની અનંત શક્તિઓ ઉત્પન્ન થાય છે.

×
Share on