
આપણને કોઈ વઢીને છોડે તે ઋણાનુબંધ સારું. એના મનમાં રહે કે આને કેવો ટાઢો પાડ્યો! આપણે વઢીને છૂટા થઈએ એ હિસાબ સારો નહીં.
— પરમ પૂજ્ય દાદા ભગવાનઅનંત અવતાર ભટક ભટક કરે ત્યારે કો’ક ફેરો મનુષ્યનો અવતાર આવે. તેમાં કેડો ફાટે. થાળી મૂકી હોય તોય ખાવા ના દે એવાં અંતરાય હોય છે ! એવું છે આ ! માટે જોઈ વિચારીને પગલું ભરવું.
— પરમ પૂજ્ય દાદા ભગવાનનિમિત્ત-નૈમિત્તિકના આધારે આ જગત ચાલી રહ્યું છે. એમાં તમારો ભાવ જોઈએ. ભાવ હોય એટલું બધું ગોઠવાઈ જાય!
— પરમ પૂજ્ય દાદા ભગવાન‘હે દાદા ભગવાન! તમે તો મોક્ષ લઈને બેઠા છો. અમને તમે મોક્ષ આપો. નહીં તો અમને નિમિત્ત ભેગું કરી આપો!’ આ પ્રાર્થનાથી આપણું કામ થઈ જાય!
— પરમ પૂજ્ય દાદા ભગવાનડુંગર ઉપરથી પથરો પડે, તેને લોક કશું નથી કહેતા ને કોઈ માણસે માર્યું તો બૂમાબૂમ કરી મૂકે છે! લોકો એવું જાણે છે કે આ માણસ જીવતો છે! ખરી રીતે બંને સરખું જ છે, પણ આ સમજાય નહીં ને?! આ જ ભગવાનની માયા છે! એ જ ફસાવે છે! જ્ઞાનીઓએ આને પ્રકૃતિ કહી. એમાં આત્મા નથી. ભીંતની જેમ જ છે!
— પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
