
સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડોય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે!
— પરમ પૂજ્ય દાદા ભગવાનસંસાર એ ‘રિલેટિવ’ સંબંધ છે, તાત્ત્વિક સંબંધ નથી. એવું ભાન થાય તો આરપાર નીકળી જવાય.
— પરમ પૂજ્ય દાદા ભગવાનમન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય!
— પરમ પૂજ્ય દાદા ભગવાનનનામી એટલે કુદરતની જપ્તી. કમાણી બધી અહીં મૂકીને જવાની ને ગૂંચો જોડે લઈ જવાની!
— પરમ પૂજ્ય દાદા ભગવાનઆ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા!
— પરમ પૂજ્ય દાદા ભગવાનઆ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વર્તી નથી. જો કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ કુદરત, કુદરત નથી.
— પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
