
આયુષ્યનો કાળ બદલી શકાતો નથી પણ ગતિ ફેરફાર થઈ જાય છે. ટિકિટ ફેરફાર થઈ શકે પણ મરણ ફેરફાર ના થઈ શકે. મરતી વખતે ‘યા મતિઃ સા ગતિઃ’
— પરમ પૂજ્ય દાદા ભગવાનમન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય!
— પરમ પૂજ્ય દાદા ભગવાન‘રિયલ ધર્મ’ તેનું નામ કે દરેક સંજોગોમાં સમાધાન રહે અને ‘રિલેટિવ ધર્મ’માં મનના સમાધાનના રસ્તા ખોળે.
— પરમ પૂજ્ય દાદા ભગવાનનનામી એટલે કુદરતની જપ્તી. કમાણી બધી અહીં મૂકીને જવાની ને ગૂંચો જોડે લઈ જવાની!
— પરમ પૂજ્ય દાદા ભગવાનઆ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા!
— પરમ પૂજ્ય દાદા ભગવાનસાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડોય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે!
— પરમ પૂજ્ય દાદા ભગવાનછોકરાં જોડે તમે ચિઢાવ તો એ નવી ‘લોન’ લીધી કહેવાય. જૂની લોન તો હજી પૂરી થઈ નથી! ચિઢાવું એ તો ‘કોન્ટ્રાક્ટ’ના બહારની ‘એકસ્ટ્રા આઈટમ’ કહેવાય. આનાથી જ નવાં દેવાં ઊભાં કરતો જાય છે.
— પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
