આધ્યાત્મિક સૂત્રો

જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને ‘જ્ઞાન’ને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર ‘બિલીફો’ જ રોંગ છે. તે ‘જ્ઞાની પુરુષ’ ‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ કરી આપે, ત્યારે સંસાર છૂટે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

અત્યારે તમે સંસારની સન્મુખ થયેલા છો અને ‘જ્ઞાની’થી વિમુખ થયેલા છો. જ્યારે ‘જ્ઞાની’ની સન્મુખ થશો ત્યારે સંસાર છૂટશે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્ઞાન તો અપાર છે પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા, એની પાર જ્ઞાન જ નથી. કોઈ જગ્યાએ હારે નહીં, એનું નામ વીતરાગ. વખતે દેહ હારે, મન હારે, વાણી હારે, પણ ‘પોતે’ ના હારે. વીતરાગ કેવા!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો! બુદ્ધિ ભ્રમિત થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે!!!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

બુદ્ધિવાળા પાસેથી બુદ્ધિ તું લાવ્યો અને ‘જ્ઞાની’ પાસેથી જ્ઞાન મળે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે જડે? આત્મા એવો છે કે ઘરોની આરપાર જતો રહે. અહીં લાખ ભીંતો હોય એની આરપાર જતો રહે એવો આત્મા છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વાવમાં જઈને બોલો કે ‘તું ચોર છે.’ તો શું મળે તમને? થોડી વાર પછી એ જ શબ્દ પાછા મળશે. વાવનો દાખલો તમને સમજવા આપું છું. બાકી, જગત આખું સ્પંદન સ્વરૂપ છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

પાણીને ઠંડું કરવું હોય તો મહેનત કરવી પડે? એ તો એના સ્વભાવથી જ ઠંડું થાય છે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આ પાણીને ઊંચે ચઢાવવું હોય તો પંપ ચલાવવો પડે ને ખાલી કરવું હોય તો? ખાલી થઈ જાય, તે સ્વભાવથી જ થાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વીતરાગોના મતમાં તો બધા જ પકડાઈ જાય - કરનાર, કરાવનાર ને અનુમોદનાર!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્યાં કર્તાભાવ છે ત્યાં પરધર્મ છે. પરધર્મનું ફળ છે સંસાર.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on