
જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને ‘જ્ઞાન’ને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર ‘બિલીફો’ જ રોંગ છે. તે ‘જ્ઞાની પુરુષ’ ‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ કરી આપે, ત્યારે સંસાર છૂટે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅત્યારે તમે સંસારની સન્મુખ થયેલા છો અને ‘જ્ઞાની’થી વિમુખ થયેલા છો. જ્યારે ‘જ્ઞાની’ની સન્મુખ થશો ત્યારે સંસાર છૂટશે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્ઞાન તો અપાર છે પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા, એની પાર જ્ઞાન જ નથી. કોઈ જગ્યાએ હારે નહીં, એનું નામ વીતરાગ. વખતે દેહ હારે, મન હારે, વાણી હારે, પણ ‘પોતે’ ના હારે. વીતરાગ કેવા!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો! બુદ્ધિ ભ્રમિત થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા બરાબર છે. આત્મા અવર્ણનીય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે જડે? આત્મા એવો છે કે ઘરોની આરપાર જતો રહે. અહીં લાખ ભીંતો હોય એની આરપાર જતો રહે એવો આત્મા છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનવાવમાં જઈને બોલો કે ‘તું ચોર છે.’ તો શું મળે તમને? થોડી વાર પછી એ જ શબ્દ પાછા મળશે. વાવનો દાખલો તમને સમજવા આપું છું. બાકી, જગત આખું સ્પંદન સ્વરૂપ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનપાણીને ઠંડું કરવું હોય તો મહેનત કરવી પડે? એ તો એના સ્વભાવથી જ ઠંડું થાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ પાણીને ઊંચે ચઢાવવું હોય તો પંપ ચલાવવો પડે ને ખાલી કરવું હોય તો? ખાલી થઈ જાય, તે સ્વભાવથી જ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
