આધ્યાત્મિક સૂત્રો

વ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

કંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે. ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે. ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

સત્તા વાપરવાથી પોતાને 'ડિપ્રેશન' આવે. સત્તા સુખ આપવા માટે છે. સત્તા ગુનેગારને પણ સુખ આપવા માટે છે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જેનું તમે સ્વામીપણું કરશો તે બધું જ સામું થશે. છેવટે, મરતી વખતે પણ જેની જેની ઉપર સ્વામીપણું ધરાવ્યું છે, તે બધું જ દુઃખદાયક થઈ પડશે!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

જેનું મરણ છે, એ બધાં જ સંસારી!

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

દૃષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય, ને અવળી દૃષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ખાલી અહંકાર કરીને ફરે છે ને છેવટે પેલાં લાકડાંમાં જાય છે એવી દયાજનક સ્થિતિ છે! અને બહુ સારો માણસ હોય, તેને ચંદનનાં લાકડાં મળે. પણ લાકડાં જ ને?! જે મરે જ નહીં એ ખરો શૂરવીર.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

મોટામાં મોટી નબળાઈ કઈ? 'ઈગોઈઝમ'. ગમે તેટલાં ગુણવાન હો, પણ 'ઈગોઈઝમ' હોય તો 'યુઝલેસ' (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દૃષ્ટિ ના બગડે.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે કોઈને જગતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
LOAD MORE
×
Share on