વ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની.
પરમ પૂજ્ય દાદા ભગવાનવચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનકંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે. ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે. ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનસત્તા વાપરવાથી પોતાને 'ડિપ્રેશન' આવે. સત્તા સુખ આપવા માટે છે. સત્તા ગુનેગારને પણ સુખ આપવા માટે છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજેનું તમે સ્વામીપણું કરશો તે બધું જ સામું થશે. છેવટે, મરતી વખતે પણ જેની જેની ઉપર સ્વામીપણું ધરાવ્યું છે, તે બધું જ દુઃખદાયક થઈ પડશે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે.
પરમ પૂજ્ય દાદા ભગવાનદૃષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય, ને અવળી દૃષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનખાલી અહંકાર કરીને ફરે છે ને છેવટે પેલાં લાકડાંમાં જાય છે એવી દયાજનક સ્થિતિ છે! અને બહુ સારો માણસ હોય, તેને ચંદનનાં લાકડાં મળે. પણ લાકડાં જ ને?! જે મરે જ નહીં એ ખરો શૂરવીર.
પરમ પૂજ્ય દાદા ભગવાનમોટામાં મોટી નબળાઈ કઈ? 'ઈગોઈઝમ'. ગમે તેટલાં ગુણવાન હો, પણ 'ઈગોઈઝમ' હોય તો 'યુઝલેસ' (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો.
પરમ પૂજ્ય દાદા ભગવાનવ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દૃષ્ટિ ના બગડે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events