પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ?
દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે માણસ જ જન્મે. ત્યાં કંઈ ગધેડું ના જન્મે. પણ એ એમ સમજી બેઠો કે આપણે મરી જઈશું તોય માણસમાં જ જન્મીશું તો એ ભૂલ છે. અલ્યા મૂઆ, તારા વિચાર તો ગધેડાના છે અને પછી માણસ શી રીતે થવાનો છે ? તને વિચાર આવે છે, કોનું ભોગવી લેવું, કોનું લઈ લેવું, અણહક્કના ભોગવી લેવાના વિચાર આવે છે તે વિચારો જ લઈ જાય છે, પોતાની ગતિમાં !
પ્રશ્નકર્તા : જીવનો એવો કોઈ ક્રમ છે કે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં જ આવે કે બીજે ક્યાંય જાય ?
દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્ય જન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં ભટકવું પડે. ફોરેનના મનુષ્યને એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ હોય. બીજાં બધાં ઊંચે ચઢ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : આ લોકો જેને વિધાતા કહે છે એ કોને કહે છે ?
દાદાશ્રી : એ કુદરતને જ વિધાતા કહે છે. વિધાતા નામની કોઈ દેવી નથી. 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા છે. આપણા લોકોએ નક્કી કરેલું કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી જાય. વિકલ્પોથી આ બધું બરોબર છે અને વાસ્તવિક જાણવું હોય તો આ બરાબર નથી.
અહીં તો કાયદો એ છે કે જેણે અણહક્કનું લીધું, તેને બે પગના ચાર પગ થશે. પણ તેય કાયમનું નથી. વધારેમાં વધારે બસો વર્ષ અને બહુ ત્યારે સાત-આઠ અવતાર જાનવરમાં જાય અને ઓછામાં ઓછો તો પાંચ જ મિનિટમાં જાનવરમાં જઈને પાછો મનુષ્યમાં આવી જાય. કેટલાક જીવ એવા છે કે એક મિનિટમાં સત્તર અવતાર બદલાય, એટલે એવાય જીવ છે. માટે જાનવરમાં ગયા એ બધાયને સો-બસો વર્ષનું આયુષ્ય નહીં મળવાનું.
Book Name: મૃત્યુ સમયે, પહેલાં અને પછી (Page #38 Paragraph #8,#9 Page #39 Paragraph #1,#2,#3,#4,#5)
A. પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ? દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ... Read More
A. પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ... Read More
Q. શું તમને મૃત્યુનો ભય લાગે છે?
A. આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની... Read More
Q. જીવનનાં છેલ્લાં કલાકોમાં શું થાય છે?
A. મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે... Read More
A. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી,... Read More
A. મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા... Read More
Q. આત્મા શરીર છોડી જાય પછી શું થાય છે?
A. પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી... Read More
Q. શું મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો?
A. પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ... Read More
Q. શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?
A. પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ? દાદાશ્રી : ના.... Read More
subscribe your email for our latest news and events