આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ, એમને ધમકાવવા કે મારવા ના જોઈએ. પણ ઘણીવાર સંજોગો એવા હોય કે આપણે કાબૂ ગુમાવી બેસીએ અને આપણાથી એમને દુ:ખ થઈ જાય. અને પાછળથી પસ્તાવો પણ થાય કે આપણે બાળકને દુ:ખ નહોતું આપવું જોઈતું. પરમ પૂજ્ય દાદાશ્રીએ બાળકો માટેની પ્રાર્થનાની શક્તિને ઓળખીને આપણી પાછલી ભૂલોને સુધારવા માટેનો એક યથાર્થ માર્ગ દર્શાવ્યો છે.
પ્રતિક્રમણથી આપણે હૃદયમાંથી નેગેટિવ ભાવો ભૂંસીએ છીએ. એનાથી જે વ્યક્તિ પર આપણે ગુસ્સે થતાં હોઈએ એની માટેના આપણા નેગેટિવ અભિપ્રાયો બદલાય છે. જેનાથી આપણા નેગેટિવ સ્પંદનો સામી વ્યક્તિ સુધી પહોંચતા નથી અને અંતે સામી વ્યક્તિને પણ આપણા માટે ફરિયાદ રહેતી નથી. આ સૌથી શક્તિશાળી ચાવી છે જે દરેક પેરેન્ટ્સ માટે કામની છે.
જો તમને તમારા બાળક પર ખૂબ ગુસ્સો આવે તો તમારે એની સામે માફી માંગવાની નથી પણ અંતરથી એની માફી માંગી લો અને ફરીથી આવી ભૂલ નહીં કરવાનું નક્કી કરો. જો તમારાથી એને દુ:ખ ના થયું હોય તો તમારે એની માફી માંગવાની જરૂર નથી. આપણા બધાની અંદર આત્મા રહેલો છે અને એ અંદરવાળા આત્મા સુધી સ્પંદનો પહોંચી જાય છે.
જો તમને એના માટે નેગેટિવ વિચારો આવે તો, તરત જ તમારે એના પ્રતિક્રમણ કરવા જોઈએ.
જ્યારે તમને ખરેખર એવું લાગે કે, તમે બાળકના ભલા માટે કહો છો અને એ તમારી વાત સાંભળતું નથી અને ઉપરથી તમને સામે એમ કહે કે, લેક્ચર આપવાનું બંધ કરો. કારણ કે એનાથી આપની જ શક્તિ વેડફાય છે અને શબ્દોની અસર થતી નથી. આવા સમયે જ્યારે વાણીથી બોલાયેલા શબ્દો કામમાં ના આવે અને તમે ઈચ્છો છો કે તમારું બાળક સુધરે તો - પ્રાર્થના એ અંતિમ સાધન છે. શબ્દો કરતાં પ્રાર્થના વધારે ફળદાયી છે. જો શબ્દોની કિંમત બાર આનાની હોય તો એની સામે પ્રાર્થનાની કિંમત એક રૂપિયાની છે. બાળકો માટે થતી પ્રાર્થનામાં આવી ગજબની શક્તિ છે.
આપણે પહેલા એમના માટે પ્રાર્થના કરી ના હોય એટલે એની એ જ ભૂલો વારંવાર થયા કરે છે. હવે પ્રાર્થના અને પ્રતિક્રમણ કરવાથી ધીમે ધીમે આ બધું જતું રહેશે. તમે તમારા ભગવાન કે ગુરુ પાસે આ માટેની શક્તિ માંગી શકો અને એમને કહી શકો કે તમારું બાળક તમે એમના હાથમાં સોંપી રહ્યા છો. બાળકના કલ્યાણ માટે પ્રાર્થના કરો, તમારું બાળક સચવાઈ જશે. બાળકને પ્રેમ અને સમજણપૂર્વક સાચી દિશામાં વાળી શકાય એના માટે શક્તિ માંગો. એક મહિના સુધી દસ મિનિટ માટે પ્રાર્થના કરશો તો ધીમે ધીમે તમને ફરક દેખાશે. જેમ આપણે દાંત સાફ કરીએ છીએ એમ પ્રાર્થના અને પ્રતિક્રમણ જેવી સારી વસ્તુઓ રોજ કરવી જોઈએ જેથી નેગેટિવિટી ધોઈ શકાય.
બહારથી ભલે તમે વિરોધ બતાડો, પરંતુ અંદર સમભાવ રાખો. એનાથી બાળકને થશે કે, “મારા પપ્પાને મારી માટે કોઈ અભાવ નથી.” તેઓ બહારથી ભલે વઢે પણ અંદર એમને દ્વેષ નથી. પછી બાળકને કહેવું કે આપણે સંસ્કારી કુટુંબના કહેવાઈએ વગેરે. પછી એનો ભાવ પણ બદલાશે કે ખરેખર આવું તો ના જ કરાય. એ શું નક્કી કરશે? એ નક્કી કરશે કે આ કરવા જેવું નથી. એ એવો ભાવ મનમાં કરશે. શરૂઆતમાં એ પપ્પાને નહીં કહે. પછી કહેશે કે ઈચ્છા ન હોવા છતાં પણ એવું થઈ જાય છે.
પહેલું તો આપણે પૂછવું પડે કે તું જાણીજોઈને કરે છે કે થઈ જાય છે? ત્યારે પછી કહે, મારે નથી કરવું. એ બે-ત્રણ વખત નહોતું જવું તોય જવાઈ ગયું. એટલે બાળક પણ સમજે કે મારે આ નથી કરવું તોય થઈ જાય. આપણે નથી કરવું તોય થઈ જાય એવું કહે ને ત્યારથી જ એ પાછું ફર્યું, એની સમજણ ફરી. ત્યાર પછી આપણે એને કહેવું જોઈએ કે હવે પ્રતિક્રમણ કરજે. જ્યારે જ્યારે થઈ જાય ત્યારે, “હે ભગવાન! આજે મારાથી આ થઈ ગયું, એની માફી માંગું છું અને ફરી નહીં કરું.” એ પ્રતિક્રમણ શીખવાડીએ બસ.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્ટિંગ કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
subscribe your email for our latest news and events