Related Questions

કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?

હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના પેકેટ સાથે ઠંડા પીણા અને પેસ્ટ્રી ખાવાનું પસંદ કરે છે. તેઓ ફાસ્ટ ફૂડની સ્વાસ્થ્ય ઉપરની ખરાબ અસરને જાણતા નથી, જે અસરને જાણે તો તેઓ બહારનું ખાવાનું (જંક ફૂડ) બને તેટલું ઓછું કરે. જો વ્યક્તિ બાળપણથી જ તંદુરસ્ત ખાવાની ટેવો અપનાવે તો તે ખૂબ સારી વાત છે. બાળપણમાં ખાવા-પીવાની સાચી ટેવો કે જેમાં જંક ફૂડ ઓછા પ્રમાણમાં હોય, તેવી ટેવો પળાય તે માટે માતા-પિતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

Parent Child

બાળકો દરરોજ જંક ફૂડ ખાવાનું ટાળી શકે તે શીખવવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે:

સમજાવો! ઠપકો ન આપો

  • માત્ર તેઓને સમજાવો કે વધુ પડતી ચોકલેટ ખાવી અને વધુ પડતી પેપ્સી પીવી તેઓના સ્વાસ્થ્ય માટે કઈ રીતે નુકસાનકારક છે. તમારે બાળક સાથે શાંતિથી વાતો કરવી અને તેઓને સમજાવવું કે, જો તેઓ આ જ રીતે ખાધા કરશે તો તેઓ તેમનું સ્વાસ્થ્ય બગાડશે. શરૂઆતમાં જરા પણ જંક ફૂડ ન લે તેવું શક્ય જ ન બને પરંતુ, તેનો વપરાશ ઘટાડવો અને તેની નુકસાનકારક અસરોને સમજાવીને દૈનિક ખોરાકમાં તેને લેવાનું ટાળવું સરળ છે.
  • જો તમારું બાળક કશું ખોટું કરી રહ્યું છે, તો તમારે આખો વખત તેના પર બૂમાબૂમ ન કરવી જોઈએ. જો તમે બાળકને ઠપકો આપશો કે મારશો, તો તે આવો દુર્વ્યવહાર સહન નહીં કરે. તેથી તે એવું નક્કી કરે છે કે જ્યારે તે મોટો થશે, ત્યારે તેના પિતાને જોઈ લેશે. અને પછી જ્યારે તે મોટો થાય છે ત્યારે તે તેના પિતા સાથે એવું જ વર્તન કરે છે.

શારીરિક કે શાબ્દિક દુર્વ્યવહારથી આ જગતમાં કોઈ સુધરતું નથી. યોગ્ય વર્તન કરવાથી તેમનામાં સુધારો આવે છે.

સાચી સમજણનું ફળ સાચું વર્તન છે. તેથી, જ્યારે જંક ફૂડ ખાવાનું બંધ કરવાની વાત આવે છે, ત્યારે તમારે પહેલા બાળકોની માન્યતા અને સમજણ બદલવાની જરૂર છે કે જંક ફૂડ સારું અને ફાયદાકારક છે. સમજણ બદલાતા થોડો સમય લાગશે; તેથી, ધીરજ રાખવી અને વાંચો અને એવી માહિતી મેળવો જે તમારા જ્ઞાનમાં વધારો કરે અને તે જ બાળકો સાથે શેર કરો. વર્તન બદલાતા થોડો વધુ સમય લાગશે; તેથી, વધારે ધીરજ રાખવી પડશે. ધીરજ કેળવવા માટે, પરમ પૂજ્ય દાદાશ્રીએ અંદર બિરાજેલા શુદ્ધાત્માને પ્રાર્થના કરવાનું સાધન આપ્યું છે.

બાળકો માટે જંક ફૂડ ખાવા માટેની એક મર્યાદા નક્કી કરો અને તેને અમલમાં મૂકો

સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તેવી વસ્તુઓ દિવસમાં એક વખત કે અઠવાડિયામાં એક વખત લેવાય તેવી મર્યાદા નક્કી કરી લેવી. અથવા જંક ફૂડ ખાતા પહેલા ફળ ખાવાનું કે સલાડ ખાવાનું નક્કી કરી દેવું અથવા એક કલાક રમત/જીમ/જોગ/ડાન્‍સ, એવું સ્વૈચ્છિક કામ કરી આવવાનું નક્કી કરી દેવું. જો બાળક આ તરફનો એક નાનકડો પ્રયાસ પણ કરે તો પણ તેની પ્રશંસા કરો.

તમારા ઘરમાં જંક ફૂડનો સંગ્રહ ન રાખવો

આપણે કહીએ છીએ કે બાળકો ખૂબ જ જંક ફૂડ ખાય છે. પરંતુ, જો તમારી સામે જ તમારી પસંદની ચોકલેટો પડેલી હશે, તો તમે તમારી જાતને ખાવાથી રોકી શકશો? ના, ખરું ને! તેથી પહેલા તમે નક્કી કરો કે સુગર અને ચરબીવાળો ખોરાક ઘરમાં લાવવો જ નથી. મોટા જથ્થામાં આવો સ્વાસ્થયને નુકસાનકારક ખોરાક લાવવાનું ટાળો અને તેના બદલામાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદો. કોઈ પણ પરિવર્તન હંમેશાં દુ:ખદાયક જ હોય છે, ખાસ કરીને પ્રથમ પ્રયાસ, પરંતુ, જો તમારો હેતુ સ્પષ્ટ હશે તો તે ઓછું દુ:ખદાયક થશે.

મીઠાઈ બાળક ઉપર વિપરીત અસર કરે છે

ચાલો, પરમ પૂજ્ય દાદાશ્રી મીઠાઈ વિશે શું કહે છે તે જાણીએ:

પ્રશ્નકર્તા: આ નાના છોકરાંઓને મગસ ખવડાયા કરે છે, તે ખવડાવાય?

દાદાશ્રી: ના ખવડાવાય, મગસ ના ખવડાવાય. નાના છોકરાઓને મગસને, ગુંદરપાક, દગડા ના ખવડાવાય. એમને સાદો ખોરાક આપવો અને દૂધ પણ થોડું આપવું જોઈએ. છોકરાને ના અપાય આવું બધું-આપણા લોકો તો બધા દૂધની ચીજો ખવડાય ખવડાય કરે છે. મૂઆ ના ખવડાવાય. ઉશ્કેરાટ વધશે અને બાર વરસનો થયો ત્યારથી દ્રષ્ટિ બગડશે મૂઆની. ઉશ્કેરાટ ઓછો થાય એવો ખોરાક આપવો જોઈએ. છોકરાઓને, બાળકોને આ તો બધું ખ્યાલમાં નથી. જીવન કેમ જીવવું તે ભાન જ નથી ને?

પ્રશ્નકર્તા: આ દ્રષ્ટિકોણ પોતે જ ખોટો છે કે, ‘હું મારા બાળકને કઈ રીતે તંદૂરસ્ત અને હષ્ટપુષ્ટ બનાવુ?’

દાદાશ્રી: લોકો પાસે કોઈ ચાવી જ નથી હોતી કે કઈ રીતે બાળકને પોષણ આપવું અને એમને ઉછેરવા. તેના કારણે, તેઓ બાળકને ઉછેરતા સમયે વધુ નુકસાન કરે છે. લોકો માત્ર શારીરિક જવાબદારી જ સમજે છે. તે માત્ર પોષણ આપવાની જ ક્રિયા છે! તમે આવી વાત ક્યાંય સાંભળી નહીં હોય, નહીં શાસ્ત્રોમાં, નહીં ચોપડીઓમાં કે નહીં કોઈના મનમાં. આ એક કળા છે. તે અદ્‍ભુત કળા છે; તે એક નવું વિજ્ઞાન છે. એક બાળક ડાહ્યું બનવું જોઈએ. એવું કે જેનામાં જરા પણ ઉશ્કેરાટ ન હોય, કેટલું અદ્‍ભૂત! તમે બાળકને સંસ્કારી અને કોઈ ઉશ્કેરાટ વિનાનું એમ બંને ગુણો ધરાવતું કઈ રીતે જોઈ શકો, જ્યારે તમે તો ઉશ્કેરાટ ઊભા કરે તેવો આહાર આપીને ઉશ્કેરાટ વધુ ઊભો કરો છો. તેને સાદો ખોરાક આપો જેમ કે દાળ, ભાત, શાક; તે અદ્‍ભુત ભોજન છે, તેમાં કંઈ ખોટું નથી.

તેમને અન્ય સ્વાદિષ્ટ ખોરાક આપો

બાળકને ઘરે બનાવેલો ખોરાક આપો, જે ઓછા તેલ અને ઓછી ખાંડનો બનેલો હોય. વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનો પ્રયાસ કરો, જેથી તેને આ ખોરાક જ ભાવે અને બીજા અન્ય ખોરાકથી તે કંટાળે. તેને ઉત્તમ ગુણવત્તાયુક્ત ખોરાક આપો. તેમને એવો સ્વાદિષ્ટ ખોરાક આપો કે જેથી તેઓ આ જ ખોરાક ખાવાનું પસંદ કરે. પછી તેને બહારનું જંક ફૂડ ગમશે નહીં અને તે ખાવાનું ટાળશે. આ કદાચ સૌથી સહેલી ચાવી છે કે કઈ રીતે બાળકને જંક ફૂડ ખાવાથી રોકવા.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on