હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના પેકેટ સાથે ઠંડા પીણા અને પેસ્ટ્રી ખાવાનું પસંદ કરે છે. તેઓ ફાસ્ટ ફૂડની સ્વાસ્થ્ય ઉપરની ખરાબ અસરને જાણતા નથી, જે અસરને જાણે તો તેઓ બહારનું ખાવાનું (જંક ફૂડ) બને તેટલું ઓછું કરે. જો વ્યક્તિ બાળપણથી જ તંદુરસ્ત ખાવાની ટેવો અપનાવે તો તે ખૂબ સારી વાત છે. બાળપણમાં ખાવા-પીવાની સાચી ટેવો કે જેમાં જંક ફૂડ ઓછા પ્રમાણમાં હોય, તેવી ટેવો પળાય તે માટે માતા-પિતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
બાળકો દરરોજ જંક ફૂડ ખાવાનું ટાળી શકે તે શીખવવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે:
સાચી સમજણનું ફળ સાચું વર્તન છે. તેથી, જ્યારે જંક ફૂડ ખાવાનું બંધ કરવાની વાત આવે છે, ત્યારે તમારે પહેલા બાળકોની માન્યતા અને સમજણ બદલવાની જરૂર છે કે જંક ફૂડ સારું અને ફાયદાકારક છે. સમજણ બદલાતા થોડો સમય લાગશે; તેથી, ધીરજ રાખવી અને વાંચો અને એવી માહિતી મેળવો જે તમારા જ્ઞાનમાં વધારો કરે અને તે જ બાળકો સાથે શેર કરો. વર્તન બદલાતા થોડો વધુ સમય લાગશે; તેથી, વધારે ધીરજ રાખવી પડશે. ધીરજ કેળવવા માટે, પરમ પૂજ્ય દાદાશ્રીએ અંદર બિરાજેલા શુદ્ધાત્માને પ્રાર્થના કરવાનું સાધન આપ્યું છે.
સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તેવી વસ્તુઓ દિવસમાં એક વખત કે અઠવાડિયામાં એક વખત લેવાય તેવી મર્યાદા નક્કી કરી લેવી. અથવા જંક ફૂડ ખાતા પહેલા ફળ ખાવાનું કે સલાડ ખાવાનું નક્કી કરી દેવું અથવા એક કલાક રમત/જીમ/જોગ/ડાન્સ, એવું સ્વૈચ્છિક કામ કરી આવવાનું નક્કી કરી દેવું. જો બાળક આ તરફનો એક નાનકડો પ્રયાસ પણ કરે તો પણ તેની પ્રશંસા કરો.
આપણે કહીએ છીએ કે બાળકો ખૂબ જ જંક ફૂડ ખાય છે. પરંતુ, જો તમારી સામે જ તમારી પસંદની ચોકલેટો પડેલી હશે, તો તમે તમારી જાતને ખાવાથી રોકી શકશો? ના, ખરું ને! તેથી પહેલા તમે નક્કી કરો કે સુગર અને ચરબીવાળો ખોરાક ઘરમાં લાવવો જ નથી. મોટા જથ્થામાં આવો સ્વાસ્થયને નુકસાનકારક ખોરાક લાવવાનું ટાળો અને તેના બદલામાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદો. કોઈ પણ પરિવર્તન હંમેશાં દુ:ખદાયક જ હોય છે, ખાસ કરીને પ્રથમ પ્રયાસ, પરંતુ, જો તમારો હેતુ સ્પષ્ટ હશે તો તે ઓછું દુ:ખદાયક થશે.
ચાલો, પરમ પૂજ્ય દાદાશ્રી મીઠાઈ વિશે શું કહે છે તે જાણીએ:
પ્રશ્નકર્તા: આ નાના છોકરાંઓને મગસ ખવડાયા કરે છે, તે ખવડાવાય?
દાદાશ્રી: ના ખવડાવાય, મગસ ના ખવડાવાય. નાના છોકરાઓને મગસને, ગુંદરપાક, દગડા ના ખવડાવાય. એમને સાદો ખોરાક આપવો અને દૂધ પણ થોડું આપવું જોઈએ. છોકરાને ના અપાય આવું બધું-આપણા લોકો તો બધા દૂધની ચીજો ખવડાય ખવડાય કરે છે. મૂઆ ના ખવડાવાય. ઉશ્કેરાટ વધશે અને બાર વરસનો થયો ત્યારથી દ્રષ્ટિ બગડશે મૂઆની. ઉશ્કેરાટ ઓછો થાય એવો ખોરાક આપવો જોઈએ. છોકરાઓને, બાળકોને આ તો બધું ખ્યાલમાં નથી. જીવન કેમ જીવવું તે ભાન જ નથી ને?
પ્રશ્નકર્તા: આ દ્રષ્ટિકોણ પોતે જ ખોટો છે કે, ‘હું મારા બાળકને કઈ રીતે તંદૂરસ્ત અને હષ્ટપુષ્ટ બનાવુ?’
દાદાશ્રી: લોકો પાસે કોઈ ચાવી જ નથી હોતી કે કઈ રીતે બાળકને પોષણ આપવું અને એમને ઉછેરવા. તેના કારણે, તેઓ બાળકને ઉછેરતા સમયે વધુ નુકસાન કરે છે. લોકો માત્ર શારીરિક જવાબદારી જ સમજે છે. તે માત્ર પોષણ આપવાની જ ક્રિયા છે! તમે આવી વાત ક્યાંય સાંભળી નહીં હોય, નહીં શાસ્ત્રોમાં, નહીં ચોપડીઓમાં કે નહીં કોઈના મનમાં. આ એક કળા છે. તે અદ્ભુત કળા છે; તે એક નવું વિજ્ઞાન છે. એક બાળક ડાહ્યું બનવું જોઈએ. એવું કે જેનામાં જરા પણ ઉશ્કેરાટ ન હોય, કેટલું અદ્ભૂત! તમે બાળકને સંસ્કારી અને કોઈ ઉશ્કેરાટ વિનાનું એમ બંને ગુણો ધરાવતું કઈ રીતે જોઈ શકો, જ્યારે તમે તો ઉશ્કેરાટ ઊભા કરે તેવો આહાર આપીને ઉશ્કેરાટ વધુ ઊભો કરો છો. તેને સાદો ખોરાક આપો જેમ કે દાળ, ભાત, શાક; તે અદ્ભુત ભોજન છે, તેમાં કંઈ ખોટું નથી.
બાળકને ઘરે બનાવેલો ખોરાક આપો, જે ઓછા તેલ અને ઓછી ખાંડનો બનેલો હોય. વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનો પ્રયાસ કરો, જેથી તેને આ ખોરાક જ ભાવે અને બીજા અન્ય ખોરાકથી તે કંટાળે. તેને ઉત્તમ ગુણવત્તાયુક્ત ખોરાક આપો. તેમને એવો સ્વાદિષ્ટ ખોરાક આપો કે જેથી તેઓ આ જ ખોરાક ખાવાનું પસંદ કરે. પછી તેને બહારનું જંક ફૂડ ગમશે નહીં અને તે ખાવાનું ટાળશે. આ કદાચ સૌથી સહેલી ચાવી છે કે કઈ રીતે બાળકને જંક ફૂડ ખાવાથી રોકવા.
બાળકો માતા-પિતાના વર્તનની નકલ કરતા હોય છે. યોગ્ય ખોરાક ખાવા માટેની સાચી સમજણ મેળવો, કારણ કે, જે ખોરાક તમે ખાઓ છો તેની સીધી અસર તમે જે વિચારો છો અને જે રીતે વર્તન કરો છો તેના પર પડે છે. ચાલો, આપણે અધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જે ખોરાક લાભદાયક હોય અને જે નુકસાન કારક હોય તેના વિશે સમજીએ.
આ જ્ઞાનથી, માતા-પિતા ધીમે ધીમે સાત્વિક ખોરાક લેવાનું શરૂ કરી શકે, જેથી બાળકો માત્ર જંક ફૂડ લેવાનું જ બંધ કરશે એટલું નહીં, પરંતુ તમારા ગુણોની પ્રશંસા કરશે અને તમારા જેવો બનશે.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events