બાળકને શિસ્તબદ્ધ કઈ રીતે બનાવવું અથવા તેને કઈ રીતે ઉછેરવું, એ એક પેરેન્ટિંગની કળા છે. બાળકને સંસ્કારી કઈ રીતે બનાવવું તે જાણવા માટે તમારે કેટલીક સકારાત્મક પેરેન્ટિંગની વાતો જાણવી જરૂરી છે. શું તમે જાણો છો કે બાળકો જે કંઈ પણ તમારામાં જુએ છે તે જ શીખે છે? તમારું નિરીક્ષણ કરીને જ બાળકો શીખે છે. તમે જે કંઈ કરશો, તેની તેઓ નકલ કરશે. તેથી જો તમે સારા અને સંસ્કારી વ્યક્તિ બનશો, તો તેઓ પણ બનશે. બાળઉછેરની આ ખૂબ જ મહત્ત્વની ચાવી છે.
જો તમે શાકાહારી છો, તમે દારૂ નથી પીતા અને તમે તમારા જીવનસાથી સાથે આદર સહિત વર્તન કરો છો, તો તમારા બાળકો પણ તમારા આવા ગુણોની નોંધ લેશે. તેઓ જોશે કે, બીજાના માતા-પિતા કેવા ઝઘડે છે, જ્યારે તેમના માતા-પિતા તેવું નથી કરતા. તેઓ આવું માત્ર સાદા નિરિક્ષણથી જ શીખશે.
જો તમે એવું સમજો છો કે કઈ રીતે ગુલાબના છોડની માવજત કરવી જોઈએ, તો પછી તે ખરેખર ખૂબ સુંદર રીતે ખીલી ઊઠશે. અને જો તમને આવી સમજણ નહીં હોય તો પછી, તમે મહિના સુધી તો છોડને પાણી પાવાનું જ ભૂલી જશો અને તેથી તે સૂકાઈ જશે. તેથી, માતા-પિતાએ બાળકને ઉછેરવા માટેની કળા શીખી જ લેવી જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા વર્ણવેલા સર્ટિફાઈડ માતા-પિતાના ગુણોને જાણવા માટે નીચે વાંચો, જો કઈ રીતે બાળકને શિસ્તબદ્ધ બનાવવું તે જાણવું હોય તો આ ગુણો અતિ મહત્ત્વના છે.
દુનિયામાં કોઈને પણ વ્યક્તિ શારીરિક કે વાચિક દુર્વ્યવહારોથી સુધારી શકાતા નથી. જ્યારે તમે ઉદાહરણ ઊભું કરો છો, ત્યારે તેમનામાં સુધારો આવે છે. સાચા વ્યવહારનું બીજ વાવીએ તો તેમને ફાયદો થાય છે.
એક માણસ હતો, જે દરરોજ મોડી રાતે ઘરે આવતો. તે રાતે ઘરની બહાર જે કંઈ કરતો હતો, તેનું વર્ણન કરવા જેવું નથી. તે માણસને ઠપકો આપવામાં આવે કે ઘરની બહાર કાઢી મૂકવામાં આવે તો સમગ્ર કુટુંબને નુકસાન થાય તેમ છે. જ્યારે તેનો મોટો ભાઈ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને મારી નાખવાની તે ધમકી આપે છે. તેનું કુટુંબ મારી પાસે સલાહ લેવા આવ્યું. મેં તેઓને કહ્યું કે, તમારે કોઈએ તેને કંઈ પણ કહેવું નહીં, નહીં તો તેનું અવળું પરિણામ આવશે. વધારામાં, જો તેઓ તેને ઘરની બહાર કાઢી મૂકશે, તો તો એ ગુનેગાર બની જશે. મેં તેઓને કહ્યું કે તેના પર ધ્યાન આપ્યા વિના તેને ઘરમાં રહેવા દો અને તે જે કરે તે કરવા દો. તેના પ્રત્યે કિંચિંતમાત્ર રાગ-દ્વેષ ન રાખો. તમારે બધાએ તેના પ્રત્યે સમભાવ અને કરૂણા રાખવાની. ત્રણ-ચાર વર્ષ પછી તે માણસ સારો વ્યક્તિ બની ગયો. આજે તે કુટુંબની અમૂલ્ય સંપત્તિ સમાન છે. માટે, બાળકને શિસ્તબદ્ધ બનાવવાની બાબતમાં સમભાવ અને કરૂણા અત્યંત આવશ્યક છે.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી પેરેન્ટિંગની ફરજ શરૂ થાય છે. તમારામાં માતા-પિતા તરીકેની ભૂમિકા... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેમનું સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઈ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કંઈક ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો છે તેને મિત્રતાપૂર્વક પૂછવું કે,... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ગુસ્સાવાળા સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જિદ્દી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળક... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઈએ? તમારું બાળક રડે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા-પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે, એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો, કારણ કે, ગમે તેટલી કચકચ કરવાથી કે ચિડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના સમયમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા-પિતાની શું ભૂમિકા છે? સકારાત્મક... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે માતા-પિતાએ પહેલ અવશ્ય કરવી જોઈએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા-પિતાની શું ભૂમિકા છે? તેમણે તેમના બાળકોને એવી રીતે ઘડવા જોઈએ કે પંદર વર્ષની ઉંમર સુધી... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા-પિતા અને બાળકોના સંબંધો બંને તરફથી યોગ્ય હોવા જોઈએ. માતા-પિતા અને બાળક બંનેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
Q. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
A. જ્યારે પોતાનું બાળક ટીનેજમાં એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ... Read More
Q. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
A. આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ,... Read More
subscribe your email for our latest news and events