લગ્નની ઉંમર થાય ત્યારે લોકોને મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, “લગ્ન કરી લેવા જોઈએ કે ડેટ પર જવું જોઈએ?” જો કોઈ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછે કે શું મારે લગ્ન કરવા જોઈએ? તો તેઓશ્રી જવાબ આપતા કે, ”પૈણ્યા વગર નહીં ચાલે આ જગત. કાં તો બ્રહ્મચર્ય પાળવું છે. એવું ડિસાઈડ કરો અને તે ચોક્કસ ખાતરીપૂર્વક કરવું જોઈએ કાં તો પૈણી નાખો. પણ એમ બેમાંથી એકમાં આવી જાવ.” અને પછી જો લગ્ન કરવાનું નક્કી કરે તો પ્રશ્ન થાય કે લગ્ન પહેલાં ડેટ પર જવું જોઈએ કે નહીં?

“શું મારે ડેટ પર જવું જોઈએ? કોની સાથે ડેટિંગ કરવું જોઈએ?” ચાલો જાણીએ કે આવા પ્રશ્નોના જવાબમાં પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે.
પ્રશ્નકર્તા: ઈઝ ડેટિંગ એ સીન? ડેટિંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે? એમાં કંઈ વાંધો છે?
દાદાશ્રી: હા. છોકરાઓ સાથે ફરવાની ઈચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.
પ્રશ્નકર્તા: અહીંયા તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડેય ફરે.
દાદાશ્રી: ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ!
પ્રશ્નકર્તા: તો શું કરવું એ લોકોએ?
દાદાશ્રી: એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. ઈન્સિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.
પ્રશ્નકર્તા: હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી ઈન્સિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.
દાદાશ્રી: તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને? લગ્ન જ કરવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ઈન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.
આપણે લગ્ન કર્યા પછી આખી જિંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશિપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. ઈનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.
મા-બાપ છોકરાનો વ્યવહાર (Page #78 and Page #79)
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?
A. કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. છૂટાછેડા થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે... Read More
Q. શું મારે છૂટાછેડા લેવા જોઈએ?
A. આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, “શું મારે છૂટાછેડા... Read More
Q. શું પતિ-પત્નીના સંબંધમાં એકબીજાની ભૂલો જોવી યોગ્ય છે?
A. એવું કેટલી વાર બન્યું હશે કે તમે પાર્ટનરને એમની ભૂલો બતાડવાનું મન થયું હોય અથવા તમારી સાથે એવું... Read More
Q. જીવનસાથીના પ્રતિક્રમણ શા માટે કરવા જોઈએ?
A. ઘણીવાર વ્યવહારમાં આપણી વાણીથી કે વર્તનથી આપણા જીવનસાથીને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક એમના માટે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
