અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ હોય છે કે પત્ની કચકચ કરે છે અને પત્નીની એવી ફરિયાદ હોય છે કે એમને જે કરવાનું હોય એ ક્યારેય કરતાં જ નથી. સતત થતા ઝઘડાના પરિણામે દુઃખ, પીડા અને ભેદ ઉભા થાય છે. આનો ઉકેલ ફક્ત ત્યારે આવી શકે કે જયારે તમે પ્રેમથી રહેવાની અને પત્નીની કચકચનો સમજણપૂર્વક ઉકેલ લાવવાની કળા શીખી જાણો.
પરમ પૂજ્ય દાદાશ્રીએ, પત્નીની કચકચ સામે કેવી રીતે ઉકેલ લાવવો, એની ઉપર સમજણ આપી છે. એમની સાથે થયેલા સત્સંગોના આંશિક અવતરણો નીચે દર્શાવામાં આવ્યા છે.
તમારા વર્તનમાં બદલાવ લાવો
તમે ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે તમારી પત્ની કેમ તમારી સાથે કચકચ કરે છે ? તેઓ તમારી સાથે એટલે કચકચ કરે છે, કેમ કે એમને તમારા વર્તનથી દુઃખ થયું છે. જો એમને દુઃખ થતું હોય, તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. એવું તમારા ખ્યાલમાં સતત રહેવું જોઈએ કે, તમે એમને સુખ આપવા માટે આવ્યા છો. તમારે અંદરખાને તપાસ કરવી જોઈએ, "મારાથી એવી કઈ ભૂલો થાય છે જેથી મારાથી એને દુઃખ અપાય છે?” જયારે તમને ખ્યાલ આવે કે તમે શું ખોટું કરો છો, ત્યાર બાદ તમારે તમારા વર્તનને બદલવાનો સતત પ્રયાસ કરવો જોઈએ જેથી એમને દુઃખ ન થાય.
પતિ તરીકેનો તમારો ભાગ પરિપૂર્ણ કરો
રોજીંદા જીવનમાં સામાન્ય રીતે, ઓફીસમાં એક કર્મચારી તરીકેનો અને ઘરે પતિ તરીકેનો ભાગ તમારે ભજવવાનો હોય છે. જે પ્રમાણેનો તમારો ભાગ આવે ત્યાં ત્યાં તમને એ મુજબ ભજવતા આવડવું જોઈએ, એક કર્મચારી તરીકેનો, એક પત્નીના પતિ તરીકેનો, ભાગ તમને ભજવતા શીખવું નહિ પડે? નહી તો તમારી પત્ની તમને મુશ્કેલીમાં નાખશે. શું એવું નથી? કારણકે તમને જાણ જ નથી કે એમની સાથે વ્યવહાર કેવી રીતે કરવો; નહિતર, જો તમને યોગ્ય વ્યવહાર આવડતો હોત તો તેઓ તમને દુઃખ ના આપત. તમારા પત્ની તમને દુઃખ આપવા નથી આવ્યા, એ તો તમારું ઘર સાચવવા આવ્યા છે. તોય જયારે બે માંથી એક વ્યક્તિમાં પોતાનો ભાગ ભજવવાની થોડી કચાશ રહી જાય, ત્યારે બીજો સામા ઉપર કચકચ કરવાનું શરુ કરી નાખે. હા! કારણકે, તમને એવી આવડત નથી એટલે નથી એટલે તેઓ તમારા ઉપર કચકચ કરે છે!
કુશળતાથી ઉકેલ લાવો પત્નીની કચ-કચ સામે
પ્રશ્નકર્તા: જયારે અમે ગાડીમાં બેઠા હોઈએ, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો!
દાદાશ્રી: તો તમારે એમને સોંપી દેવું. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ! કચકચ કરતો હોયને તો એને કહીએ, 'અલ્યા, તું ચલાવ, બા!
પ્રશ્નકર્તા: ત્યારે એ કહેશે, 'મારો જીવ ના ચાલે.
દાદાશ્રી: કેમ ? ત્યારે કહીએ, તમને શું કરવા વાંધો ઉઠાવો કરો છો ? એ તો એને સોંપી દેવાની. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જાય તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરો છું.
જયારે તમારી ગાડી ગરમ થઇ ગઈ હોય, ત્યારે તમે એને લાકડીથી મારો કે પછી રેડીએટર ઠંડુ થાય એના માટે ઉપાય કરો? કુદરતી છે, કે તમે ફેન ચાલુ કરી રડીએટર ઠંડુ કરવાનો જ રસ્તો લેશો. એવી જ રીતે જયારે તમારી પત્ની તમારી ઉપર કચકચ કરવાનું શરુ કરે ત્યારે :
૧) તમારે વેર ન વાળવું જોઈએ.
૨) તમારે તમારા વ્યવહારમાં એવો બદલાવ લાવવો જોઈએ કે એમને કચકચ કરવાનું કોઈ કારણ જ ન જડે.
૩) પત્ની સાથે એવી રીતે વર્તન કરો કે તમારો એકબીજા માટેનો જે પ્રેમ છે એ ઘટે નહિ.
૧) 'મિનિટે' ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
૨) બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય? કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય!
૩) આપણું ધણીપણું ક્યાં સુધી રહે? આપણે ગુનામાં ના આવીએ ત્યાં સુધી.
કલેશ આપણે પોતે જ નિર્માણ કરીએ છીએ અને એ માટે કોઈ વ્યક્તિ ગુનેગાર છે જ નહિ, આ વિષે વધુ સમજણ પ્રાપ્ત કરવા “ભોગવે તેની ભૂલ” પુસ્તક વાંચવા વિનંતી.
Q. સુખી લગ્નજીવન કેવી રીતે કરવું ?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમના ધર્મપત્ની હીરાબાનું લગ્નજીવન સંપૂર્ણ શાંતિ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. તેઓના વર્તન અને વ્યવહાર રસાળ હતા. એટલા માટે...Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જયારે તમારા લગ્ન થાય છે ત્યારે તમે તમારા મનમાં આદર્શ લગ્નજીવનનું ચિત્રપટ્ટ દોરો છો, “મારુ લગ્નજીવન આવું હશે ને તેવું હશે.” પણ ધીમે-ધીમે આદર્શ લગ્નજીવનનું...Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી ?
A. આજના યુગમાં લોકો પાસે પોતાના પતિ/પત્ની સાથે મતભેદ થાય તો તેનું સમાધાન લાવવાની ક્ષમતા ઘટી ગઈ છે. અને જયારે અથડામણ થાય છે ત્યારે વધુ ગુંચવાળા ઉભા થાય છે. એના...Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી વ્યવહાર કુશળતાનો કેવી રીતે વિકાસ કરવો એ શીખવા માટે વર્કશોપ્સ...Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડે, એવી પરીસ્થિતિ ઉભી થઈ શકે કે, જયારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો કરવો પડે. ભાવનાત્મકરૂપે તેમની સાથે નજીકથી જોડાયેલ હોવાથી,...Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતે કે તમારા પતિ/પત્ની ને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો એ બાબત વિષે તમારે જાગૃત રહેવું જોઈએ. જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે જ ખર્ચ થાય તેવું ધ્યાન...Read More
Q. લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી આપણા મહી રહેલો મતભેદ ઉભો થાય છે. અનિર્વાયપણે આના પરિણામ...Read More
Q. શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો હશે કે, ‘શું મારે છુટાછેડા લેવા જોઈએ?’ “શું છુટાછેડા” એ...Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી આવું જ થાય એવું પણ અનુભવ્યું હશે ? ત્યારે કેવી લાગણી...Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબ્બર
A. આપણે ઘણી વખત આપણા પતિ/પત્ની સાથેના વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી ઈચ્છા ના હોય તો પણ આપણા વાણી-વિચાર વ્યવહારથી આપણે તેમને દુઃખ...Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે તેઓએ ડેટ પર જવું જોઈએ? જો કોઈએ પરમ પૂજ્ય દાદાશ્રી ને...Read More
Q. જીવનસાથી ની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવા આપણે મોટા થઈએ છીએ કે આપણને કલ્પનાઓ શરુ થાય છે કે આપણે કેવા જીવનસાથી સાથે...Read More
subscribe your email for our latest news and events