કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ કરીને, પતિને એવી ફરિયાદ હોય છે કે તેમની પત્ની કાયમ કચકચ કરે છે અને પત્નીની એવી ફરિયાદ હોય છે કે એમના પતિ પોતાને કરવાનું કામ ક્યારેય કરતા જ નથી. વારંવાર થતાં ઝઘડા ફક્ત નિરાશા, દુઃખ અને મતભેદમાં જ પરિણમે છે. આનો ઉકેલ પ્રેમ અને સાચી સમજણથી કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ કળા શીખવામાં રહેલો છે.

ક્યારેય પોતાની જાતને એવું પૂછ્યું છે કે પત્ની શા માટે આપણી સાથે કચકચ કરે છે? એમને આપણા વર્તનથી દુઃખ થયું છે, એટલે તેઓ કચકચ કરે છે. એમને દુઃખ ના થવું જોઈએ. જો એમને દુઃખ રહેતું હોય, તો આપણે માફી માંગવી પડે. આપણને એ બાબતનો ખ્યાલ રહેવો જોઈએ કે આપણા તરફથી એમને સુખ મળવું જોઈએ. આપણે અંદરખાને તપાસ કરવી કે, “મારાથી એવી કઈ ભૂલો થઈ જાય છે કે જેનાથી પત્નીને દુઃખ થઈ જાય છે?” જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણે શું ખોટું કરી રહ્યાં છીએ, ત્યારે તેમને દુઃખ ન થાય તે માટે પોતાનું વર્તન સુધારવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ.
ઓફિસમાં આપણે કર્મચારીની ભૂમિકા ભજવતાં હોઈએ, પછી ઘરે પતિની ભૂમિકા. બધું આવડવું જોઈશે ને? નહીં તો પત્ની મુશ્કેલીમાં મૂકશે. આપણને ના આવડે એટલે જ ને? આવડતું હોય તો કંઈ મુશ્કેલીમાં ના મૂકે! પત્ની પજવવા નથી આવ્યાં, એ તો ઘર માંડવા આવ્યાં છે. બંનેમાંથી એક જણની કચાશ રહી જાય એટલે સામી વ્યક્તિ કચકચ કર્યા કરે. આવડત નથી એટલે જ તેઓ કચકચ કરે છે.
પત્ની કચકચ કરે ત્યારે આપણે કળાપૂર્વક વ્યવહાર કઈ રીતે કરી શકીએ એ માટે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:
પ્રશ્નકર્તા: ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો!
દાદાશ્રી: તો એમને હાથમાં આપી દેવું. એમને સોંપી દેવી ગાડી. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ! કચકચ કરતો હોયને તો એને કહીએ, 'અલ્યા, તું ચલાવ, બા!’
પ્રશ્નકર્તા: ત્યારે એ કહેશે, 'મારો જીવ ના ચાલે.’
દાદાશ્રી: કેમ? ત્યારે કહીએ, તમને શું થાય પાછો વાંધો? એ તો એને સોંપી દે. આ તો ડ્રાઈવર હોયને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું.
પ્રશ્નકર્તા: પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને?
દાદાશ્રી: પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે, નહીં તો સૂવાય શી રીતે? ત્યાં કાજી-બાજી ના થવું.
પ્રશ્નકર્તા: પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીં ને?
દાદાશ્રી: ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું. આપણે જે ઘરનું ખઈએ તેના જ... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીએ નહીં તે ઘડીએ! અન્યાયમાં આપણી વાઈફ હોય તોય આપણે એના હિસાબે જ ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી આ... કાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ વકીલાત કરું છું! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય.
ગાડી ગરમ થઈ જાય ત્યારે શું કરવું પડે? રેડીયેટરમાં પાણી રેડી ઠંડી કરવી પડેને ? તો જ આગળ હંકાય ને! એવી જ રીતે, જ્યારે આપણી પત્ની કચકચ કરવાનું શરૂ કરે ત્યારે નીચે દર્શાવેલ ઉપાયો અજમાવી શકાય:
૧) આપણે વેર ન વાળવું જોઈએ.
૨) પોતાના વ્યવહારમાં એવો બદલાવ લાવવો કે એમને પહેલાંથી જ આપણા સાથે કચકચ કરવાનું કોઈ કારણ જ ન જડે.
૩) આપણે પત્ની સાથે એવી રીતે વાતચીત કરવી જોઈએ જેથી આપણો એકબીજા માટેનો જે પ્રેમ છે એ ઘટે નહીં.
આપણું ધણીપણું ક્યાં સુધી રહે? આપણે ગુનામાં ના આવીએ ત્યાં સુધી.
આપણા જીવનમાં થતાં મતભેદો અને કલેશનું મૂળ કારણ આપણે ‘પોતે’ છીએ, માટે કોઈ અન્ય વ્યક્તિ ગુનેગાર છે જ નહીં, આ વિશે વધુ સમજવા માટે “ભોગવે તેની ભૂલ” પુસ્તક વાંચો.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. છૂટાછેડા થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events
