લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ હોય છે કે તેની પત્ની કચકચ કરે છે અને પત્નીની એવી ફરિયાદ હોય છે કે એમને જે કરવાનું હોય એ ક્યારેય કરતા જ નથી. સતત થતા આ ઝઘડાના પરિણામે દુઃખ, પીડા અને મતભેદ ઊભા થાય છે. આનો ઉકેલ ફક્ત ત્યારે જ આવી શકે કે જ્યારે તમે પ્રેમથી રહેવાની અને પત્નીની કચકચનો સમજણપૂર્વક ઉકેલ લાવવાની કળા શીખી જાણો.
પરમ પૂજ્ય દાદા ભગવાને પત્નીની કચકચ સામે કેવી રીતે ઉકેલ લાવવો, એના પર સમજણ આપી છે. એમની સાથે થયેલા સત્સંગોના આંશિક અવતરણો નીચે દર્શાવામાં આવ્યા છે.
તમે ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે તમારી પત્ની કેમ તમારી સાથે કચકચ કરે છે? તેઓ તમારી સાથે એટલે કચકચ કરે છે, કેમ કે એમને તમારા વર્તનથી દુઃખ થયું છે. જો એમને દુઃખ થતું હોય, તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. એવું તમારા ખ્યાલમાં સતત રહેવું જોઈએ કે, તમે એમને સુખ આપવા માટે આવ્યા છો. તમારે અંદરખાને તપાસ કરવી જોઈએ કે, "મારાથી એવી કઈ ભૂલો થાય છે કે જેથી મારાથી એમને દુઃખ થઈ જાય છે?" જ્યારે તમને ખ્યાલ આવે કે તમે શું ખોટું કરી રહ્યા છો, ત્યારે તમારે તમારા વર્તનને બદલવાનો સતત પ્રયાસ કરવો જોઈએ જેથી એમને દુઃખ ન થાય.
રોજીંદા જીવનમાં સામાન્ય રીતે, તમારે ઓફીસમાં એક કર્મચારી તરીકે અને ઘરે પતિ તરીકેની ભૂમિકા ભજવવાની હોય છે. જે પ્રમાણેની તમારી ભૂમિકા આવે ત્યાં ત્યાં તમને એ મુજબ ભજવતા આવડવું જોઈએ, એક કર્મચારી તરીકે, એક પત્નીના પતિ તરીકેની ભૂમિકા તમારે ભજવતા શીખવું નહીં પડે? નહીં તો, તમારી પત્ની તમને મુશ્કેલીમાં નાખશે. શું એવું નથી? કારણ કે, તમને એ ખ્યાલ જ નથી કે એમની સાથે વ્યવહાર કેવી રીતે કરવો; નહિતર, જો તમને યોગ્ય વ્યવહાર આવડતો હોત, તો તે તમને દુઃખ ના આપત. તમારા પત્ની તમને કંઈ દુઃખ આપવા નથી આવ્યા, એ તો તમારું ઘર સાચવવા આવ્યા છે. તો પણ, જ્યારે તમારા બેમાંથી એક વ્યક્તિમાં પોતાની ભૂમિકા ભજવવામાં થોડી પણ કચાશ રહી જાય, ત્યારે બીજો સામા ઉપર કચકચ કરવાનું શરુ કરી દે છે. હા! કારણ કે, તમને એવી આવડત નથી એટલે તેઓ તમારા ઉપર કચકચ કરે છે!
પ્રશ્નકર્તા: ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યા જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો!
દાદાશ્રી: તો એમને હાથમાં આપી દેવું. એમને ગાડી સોંપી દેવી. ભાંજગડ જ નહીં. ડાહ્યો માણસ! કચકચ કરતો હોય ને તો એને કહીએ, 'અલ્યા, તું ચલાવ, બા!
પ્રશ્નકર્તા: ત્યારે એ કહેશે, 'મારો જીવ ના ચાલે.
દાદાશ્રી: કેમ? ત્યારે કહીએ, તને શું થાય પાછો વાંધો? એ તો એને સોંપી દે. આ તો ડ્રાઈવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું.
જ્યારે તમારી ગાડી વધુ ગરમ થઈ ગઈ હોય, ત્યારે તમે એને લાકડીથી મારો કે પછી રેડિએટર ઠંડુ થાય એના માટે ઉપાય કરો? સ્વાભાવિક છે કે તમે ફેન ચાલુ કરીને રેડિએટર ઠંડુ કરવાનો જ રસ્તો લેશો. એવી જ રીતે, જ્યારે તમારી પત્ની તમારી ઉપર કચકચ કરવાનું શરુ કરે ત્યારે:
૧) તમારે વેર ન વાળવું જોઈએ.
૨) તમારે તમારા વ્યવહારમાં એવો બદલાવ લાવવો જોઈએ કે એમને કચકચ કરવાનું કોઈ કારણ જ ન જડે.
૩) પત્ની સાથે એવી રીતે વર્તન કરો કે તમારો એકબીજા માટેનો જે પ્રેમ છે એ ઘટે નહીં.
૧) 'મિનિટે'ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
૨) બાઈનો ધણી થતા આવડ્યું ક્યારે કહેવાય? કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય!
૩) આપણું ધણીપણું ક્યાં સુધી રહે? આપણે ગુનામાં ના આવીએ ત્યાં સુધી.
ક્લેશ આપણે પોતે જ નિર્માણ કરીએ છીએ અને એ માટે કોઈ વ્યક્તિ ગુનેગાર છે જ નહીં, આ વિશે વધુ સમજણ પ્રાપ્ત કરવા “ભોગવે તેની ભૂલ” પુસ્તક વાંચવા વિનંતી.
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events