પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે.
દાદાશ્રી: શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે.
બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે, વઢેલા હોય આપણી જોડે, તેની જોડેય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા.
સામો મોટી ઉંમરનો હોય તોય એને કહેશે, 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા! એવું બોલાતું હશે? પછી ઝઘડા જ થાય ને! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે, 'તમારામાં અક્કલ નથી.' સામાન્ય માણસ તો અણસમજણના માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.
સામાને 'તમે ના સમજો' એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. 'તમે ના સમજો' એવું ના કહેવાય. પણ 'તમને સમજણ પાડીશ' એવું કહેવું. 'તમે ના સમજો' કહે તો, સામાના કાળજે ઘા વાગે.
આપણે સુખમાં બેઠા હોય ને સહેજ કો'ક આવીને કહે, 'તમારામાં અક્કલ નથી.' એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ! હવે એ કંઈ પથરો માર્યો છે?
શબ્દની જ અસર છે જગતમાં. છાતીએ ઘા લાગે, તે સો સો અવતાર સુધી ના જાય. 'છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.' કહેશે. અસર જ છે આ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.
કેટલીક બહેનો મને કહે છે, 'મારા ધણીએ મને કહ્યું'તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષેય ભૂલાતું નથી.' ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.
આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં? લાકડીઓ કે ધોલો નથી મારતા? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં. ત્યારે વચનબાણ જ માર માર કરે.
શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથાય અપશબ્દ બોલતો હોય ને, તોય જોખમ અને સારા શબ્દો અમથા અમથા બોલતા હોય તોય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે, અપશબ્દ કોને કહેવાય? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધાય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને?!
1) 'તમે નાલાયક છો' એવું બોલીએ ને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આના જે પર્યાય ઊભા થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમનેય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને!
2)શબ્દ તો ઠંડકેય આપે અને સળગાવેય ખરું. એટલે ઈફેક્ટિવ છે. અને ઈફેક્ટિવ વસ્તુ બધી નિશ્ચેતન હોય. ચેતન ઈફેક્ટિવ ના હોય. વિનાશી ચીજ હોય તે વસ્તુ ઈફેક્ટિવ હોય.
Book Name: વાણી, વ્યવહારમાં... (Page #2 and Page #3)
Q. કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં... Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું? દાદાશ્રી: ડાહ્યો માણસ હોય ને તો લાખ... Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે! દાદાશ્રી: છોકરાં તરીકે... Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેક્ચર મારી... Read More
Q. જ્યારે કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે ત્યારે આપણે તેને કંઈ કહેવું જોઈએ કે નહીં?
A. પ્રશ્નકર્તા: પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં? દાદાશ્રી: બોલવાનું. એવું... Read More
Q. મારી ધંધા/કામકાજની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું... Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા: કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું? સમભાવ કેવી રીતે... Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવી રીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી: તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતા હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી... Read More
Q. વ્યવહારમાં મતભેદ કેવી રીતે ઉકેલવા?
A. પ્રશ્નકર્તા: કહેતા ના આવડે તો પછી શું કરવું? ચૂપ બેસવું? દાદાશ્રી: મૌન રહેવું અને જોયા કરવું કે... Read More
subscribe your email for our latest news and events