મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ.
અને બીબીય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે કે જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે! ત્યારે પાછો ધણી કહેશે, 'તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો', કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે?
પ્રશ્નકર્તા: ડખો નહીં કરો કહ્યું ને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ? ઘરમાં બહુ માણસો હોય તોય?
દાદાશ્રી: પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ.
પ્રશ્નકર્તા: એવું કેવી રીતે થાય?
દાદાશ્રી: વળી ડખો હોતો હશે? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય!
પ્રશ્નકર્તા: કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ?
દાદાશ્રી: પણ કહેવા કહેવામાં ફેર હોય.
પ્રશ્નકર્તા: ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ?
દાદાશ્રી: આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતા પહેલા જ એ સમજી જાય!
પ્રશ્નકર્તા: આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ?
દાદાશ્રી: કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોય ને! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે, 'હું વિનંતી કરું છું, આટલું કરજો.' 'હું વિનંતી...' એટલો શબ્દ ઉમેરીને કરે.
પ્રશ્નકર્તા: હવે આપણે એમ કહીએ કે, 'એય, થાળી અહીંથી ઊંચક' અને આપણે ધીમા કહીએ 'તું થાળી અહીંથી ઊંચક.' એટલે એ જે બોલવાનું જે પ્રેશર છે...
દાદાશ્રી: એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.
પ્રશ્નકર્તા: એટલે ધીમેથી બોલવાનું.
દાદાશ્રી: ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું 'હું વિનંતી કરું છું, તે આટલું કરજો ને!' મહીં શબ્દ ઉમેરવો પડે.
1) વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તોય વાણી સુધરી જાય.
2) હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તોય વાણી સુધરી જાય.
3) જ્યારે જૂઠું બોલાય ને તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત 'દાદા'ની પાસે માફી માગવાની કે 'દાદા, મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું. મને માફ કરો. હવે ફરી જૂઠું નહીં બોલું.' અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો. માફી માગ માગ કર્યા કરવાની. એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય.
Book Name: વાણી, વ્યવહારમાં... (Page #52, Page #53 and Page #54)
Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?
A. પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી: શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ... Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું? દાદાશ્રી: ડાહ્યો માણસ હોય ને તો લાખ... Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે! દાદાશ્રી: છોકરાં તરીકે... Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેક્ચર મારી... Read More
Q. જ્યારે કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે ત્યારે આપણે તેને કંઈ કહેવું જોઈએ કે નહીં?
A. પ્રશ્નકર્તા: પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં? દાદાશ્રી: બોલવાનું. એવું... Read More
Q. મારી ધંધા/કામકાજની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું... Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા: કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું? સમભાવ કેવી રીતે... Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવી રીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી: તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતા હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી... Read More
Q. વ્યવહારમાં મતભેદ કેવી રીતે ઉકેલવા?
A. પ્રશ્નકર્તા: કહેતા ના આવડે તો પછી શું કરવું? ચૂપ બેસવું? દાદાશ્રી: મૌન રહેવું અને જોયા કરવું કે... Read More
subscribe your email for our latest news and events