Related Questions

કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ.

અને બીબીય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે કે જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે! ત્યારે પાછો ધણી કહેશે, 'તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો', કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે?

પ્રશ્નકર્તા: ડખો નહીં કરો કહ્યું ને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ? ઘરમાં બહુ માણસો હોય તોય?

દાદાશ્રી: પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા: એવું કેવી રીતે થાય?

દાદાશ્રી: વળી ડખો હોતો હશે? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય!

પ્રશ્નકર્તા: કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ?

દાદાશ્રી: પણ કહેવા કહેવામાં ફેર હોય.

પ્રશ્નકર્તા: ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ?

દાદાશ્રી: આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતા પહેલા જ એ સમજી જાય!

પ્રશ્નકર્તા: આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ?

દાદાશ્રી: કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોય ને! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે, 'હું વિનંતી કરું છું, આટલું કરજો.' 'હું વિનંતી...' એટલો શબ્દ ઉમેરીને કરે.

પ્રશ્નકર્તા: હવે આપણે એમ કહીએ કે, 'એય, થાળી અહીંથી ઊંચક' અને આપણે ધીમા કહીએ 'તું થાળી અહીંથી ઊંચક.' એટલે એ જે બોલવાનું જે પ્રેશર છે...

દાદાશ્રી: એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.

પ્રશ્નકર્તા: એટલે ધીમેથી બોલવાનું.

દાદાશ્રી: ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું 'હું વિનંતી કરું છું, તે આટલું કરજો ને!' મહીં શબ્દ ઉમેરવો પડે. 

×
Share on