પ્રશ્નકર્તા: વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું?
દાદાશ્રી: વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે. ત્યાંય 'ના બોલવા'ની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય એવું છે. પણ એ કળા નથી જલ્દી આવડે એવી, એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લઢજો ને, હવે ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લઢ્યા પછી જે ફાયદો (!) થાય ને, એ ચોપડે જમા કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વઢવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય.
'ના બોલવા'ની કળા, એ તો બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળા.
એ કળામાં તો શું કરવું પડે? 'એ તો સામો આવ્યો ને, તે પહેલા એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડું પાડી દેવાનું ને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું. એટલે આપણું બધું કામ પતી જાય.' હું તમને ટૂંકમાં કહી દઉં છું. બાકી સૂક્ષ્મકળા છે એ.
આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ. પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે.
આ શબ્દો જે નીકળે છે ને, એ શબ્દોમાં બે જાત, આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વૉલિટી. સારા શબ્દો શરીરને નીરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગીષ્ઠ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. 'એય નાલાયક.' હવે 'એય' શબ્દ નુકસાનકારક નથી. પણ 'નાલાયક' શબ્દ બહુ નુકસાનકારક છે.
Book Name: વાણી, વ્યવહારમાં... (Page #3 and Page #4)
Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?
A. પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી: શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ... Read More
Q. કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં... Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું? દાદાશ્રી: ડાહ્યો માણસ હોય ને તો લાખ... Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે! દાદાશ્રી: છોકરાં તરીકે... Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેક્ચર મારી... Read More
Q. જ્યારે કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે ત્યારે આપણે તેને કંઈ કહેવું જોઈએ કે નહીં?
A. પ્રશ્નકર્તા: પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં? દાદાશ્રી: બોલવાનું. એવું... Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા: કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું? સમભાવ કેવી રીતે... Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવી રીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી: તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતા હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી... Read More
Q. વ્યવહારમાં મતભેદ કેવી રીતે ઉકેલવા?
A. પ્રશ્નકર્તા: કહેતા ના આવડે તો પછી શું કરવું? ચૂપ બેસવું? દાદાશ્રી: મૌન રહેવું અને જોયા કરવું કે... Read More
subscribe your email for our latest news and events