Related Questions

ગુરુની જરૂર કેટલી છે?

પ્રશ્નકર્તા: ગુરુ રસ્તો બતાવી દે એ રસ્તે ચાલવાનું. પછી ગુરુની જરૂર કે ગુરુને છોડી દેવાના?

દાદાશ્રીના, જરૂર ઠેઠ સુધી.

પ્રશ્નકર્તા: પછી શું જરૂર?

guru

દાદાશ્રી: આ ગાડીમાં બ્રેક હતી એટલે અથડાયા નહીં, એટલે આ બ્રેક કાઢી નાખવાની?

પ્રશ્નકર્તા: એ રસ્તો બતાડી દે પછી આપણે પકડી રાખવાની શી જરૂર?

દાદાશ્રી: રસ્તામાં ઠેઠ સુધી ગુરુની જરૂર પડશે. ગુરુને એમના ગુરુની જરૂર પડે. અને આપણને આ સ્કૂલમાં માસ્તરોની ક્યારે જરૂર હોય? આપણે ભણવું હોય તો ને? અને ભણવું ના હોય તો? એટલે આપણને બીજો કશો લાભ જોઈતો ના હોય તો ગુરુ કરવાની જરૂર જ નથી. જો લાભ જોઈતો હોય તો ગુરુ કરવા. એટલે એ કંઈ ફરજિયાત નથી. આ બધું તમારે મરજિયાત છે. તમારે ભણવું હોય તો માસ્તર કરો.તમારે આધ્યાત્મિક જાણવું હોય તો ગુરુ કરવા જોઈએ અને ના જાણવું હોય તો કશું નહીં. કંઈ કાયદો નથી કે આમ જ કરો.

અહીં આગળ સ્ટેશન પર જવું હોય તો ત્યાંય ગુરુ જોઈએ, તો ધર્મ માટે ગુરુ ના જોઈએ? એટલે ગુરુ તો આપણને દરેક શ્રેણીમાં જોઈએ જ.

×
Share on