દાદાશ્રી: આજના આ પાંચમા આરાના જીવો બધા છે તે કેવા છે? પૂર્વવિરાધક જીવો છે. એટલે ગુરુમાં જો પ્રકૃતિના દોષે કરીને ભૂલચૂક થઈ જાય તો અવળું દેખે ને લોક વિરાધના કરી નાખે. તો ગુરુ કર્યા પછી જો વિરાધના કરવાના હો, તમારી નબળાઈ જ ઊભી થવાની હોય તો ગુરુ કરશો નહીં. નહીં તો ભયંકર દોષ છે. ગુરુ કર્યા પછી વિરાધના ના કરશો. ગમે તેવા ગુરુ હોય તો ઠેઠ સુધી એની આરાધનામાં જ રહેજો. આરાધના ના થાય તો વિરાધના તો અવશ્ય ના કરશો. કારણ કે, ગુરુની ભૂલ જોવી એ પાંચમી ઘાતી છે. તેથી તો એવું શીખવાડે છે કે, 'ભઈ, જો ગુરુ એ પાંચમી ઘાતી છે. એટલે ગુરુની જો ભૂલ દેખાઈ તો તું માર્યો ગયો જાણજે.'
એક માણસ આવેલો કહે છે, મને ગુરુએ કહેલું કે, જતો રહે અહીંથી, હવે અહીં અમારી પાસે આવીશ નહીં. ત્યારથી મને ત્યાં જવાનું મન નથી થતું.
ત્યારે મેં એને સમજણ પાડી કે ના જાય તોય વાંધો નથી, પણ છતાંય ગુરુની માફી માંગી લેજે ને! માફી માગી લે એ અહીંથી, આ દુનિયાથી છૂટો થાય. મોઢે તો માફી માગી લીધી. હવે મનથી માફી માગી લેવાની ને આ કાગળમાં જે લખી આપ્યું છે તે પ્રમાણે પ્રતિક્રમણ ઘેર કર્યા કરજો. તે પ્રતિક્રમણ વિધિ પછી લખી આપી.
તેં જે ગુરુ કર્યા છે, તેની નિંદામાં ના પડીશ. કારણ કે, બીજું બધું ઉદયકર્મને આધીન છે. માણસ કશું કરી શકતો જ નથી. હવે વાંધો ના ઉઠાવવો તેય ગુનો છે! પણ વાંધો વીતરાગતાથી ઉઠાવવાનો છે, આવું એની પર ધૂળ ઉડાડીને નહીં. 'આમ ના હોવું ઘટે' કહેવાય, પણ ઉપલક! કારણ કે, તે તો ઉદયકર્મના આધીન છે. હવે એનો દોષ કાઢીને શું કાઢવાનું? તમને કેમ લાગે છે?
પ્રશ્નકર્તા: હા, બરાબર છે.
દાદાશ્રી: પછી ગુરુનો જે ઉપકાર છે એને માનવો જોઈએ. કારણ કે, એણે તમને આ બાઉન્ડ્રીની બહાર કાઢ્યા, એ ઉપકાર ભૂલશો નહીં. જે ગુરુ આટલો ગુણ કર્યો હોય, એમના ગુણ કેમ કરીને ભૂલાય? માટે એમને ત્યાં જવું જોઈએ. અને ગુરુ તો રાખવા ને એક ગુરુ કર્યા પછી તે ગુરુ માટે જરાય ભાવ બગાડવો ના જોઈએ. એટલું સાચવવું જોઈએ, બસ.
Book Name: ગુરુ-શિષ્ય (Page #78 and Page #79)
A. પ્રશ્નકર્તા: ગુરુ રસ્તો બતાવી દે એ રસ્તે ચાલવાનું. પછી ગુરુની જરૂર કે ગુરુને છોડી... Read More
Q. ગુરુના લક્ષણો કયાં કયાં છે? ગુરુની વ્યાખ્યા શું છે?
A. પ્રશ્નકર્તા: સાચા ગુરુના લક્ષણ કયા? દાદાશ્રી: જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ... Read More
Q. જીવંત ગુરુનું શું મહત્વ છે?
A. પ્રશ્નકર્તા: જે મહાન પુરુષો થઈ ગયા છે, હજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા છે, એમને આપણે સમર્પણ કરીએ, તો એ... Read More
A. પ્રશ્નકર્તા: હવે સદ્ગુરુ કોને કહેવો? દાદાશ્રી: એવું છે ને, સદ્ગુરુ કોને કહેવો એ બહુ મોટી... Read More
Q. ગુરુ અને જ્ઞાની પુરુષ એ બે વચ્ચે શું તફાવત છે?
A. પ્રશ્નકર્તા: ગુરુ અને જ્ઞાની પુરુષ એ બેનો તફાવત સમજાવો. દાદાશ્રી: જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો... Read More
Q. સાચા ગુરુ કોને કેહવાય? આધ્યાત્મિક ગુરુની પસંદગી કેવી રીતે કરવી?
A. ગુરુને ગુરુ તરીકે માનીશ નહીં અને માનું તો પછી પૂંઠ ફેરવીશ નહીં ત્યાં આગળ. તને એ ના ગમતું હોય તો... Read More
Q. શિષ્ય કોને કહેવાય? શિષ્યમાં કયા કયા ગુણો હોવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: તો ગુરુ કરતી વખતે શિષ્યમાં કેવા ગુણ હોવા જોઈએ? દાદાશ્રી: અત્યારે શિષ્યમાં ગુણ... Read More
Q. ગુરુમાં આપણને શ્રદ્ધા હોય તો શું ફાયદો થાય?
A. પ્રશ્નકર્તા: ગુરુમાં આપણને શ્રદ્ધા હોય, પછી ગુરુમાં ગમે તે હોય, પણ આપણી શ્રદ્ધા હોય તો તે ફળે કે... Read More
Q. આમાં ભૂલ કોની? ગુરુની કે શિષ્યની?
A. પ્રશ્નકર્તા: અત્યારે ગુરુઓ પૈસાની પાછળ જ હોય છે. દાદાશ્રી: એ તો આ લોકોય એવા છે ને? લાકડાં વાંકા... Read More
Q. મોક્ષમાર્ગનાં બાધક કારણો કયા કયા છે?
A. મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય... Read More
subscribe your email for our latest news and events