• question-circle
  • quote-line-wt

દાન અને ધર્માદા

પુણ્ય કમાવાના અનેક રસ્તાઓ ધર્મના શાસ્ત્રોમાં અને ધર્મગુરુઓએ બતાવ્યા છે. તેમાંનો એક રસ્તો છે દાન!

દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. નાનું બાળક હોય ત્યારથી મા-બાપ તેને મંદિરમાં કે ધર્મસ્થાનકોએ લઈ જાય તો બહાર ગરીબ માણસોને પૈસા અપાવડાવે છે, ખાવાનું અપાવડાવે છે, મંદિર કે ધર્મસ્થાનકોમાં દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે. આમ બાળપણથી જ મનુષ્યને દાનના સંસ્કાર મળતાં જ હોય છે.

દાનનું મહત્ત્વ શું છે? સાચું દાન કેવું હોય? દાન આપતી વખતે કેવો ભાવ રાખવો? દાન કયા કયા પ્રકારે થઈ શકે? ઊંચામાં ઊંચું દાન કયું? દાન કોને અને કેટલું આપવું? વગેરે અનેક દાન સંબંધી સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણી દ્વારા વહી છે. દાન આપતી વખતે અંદરની અજાગૃતિ હોય તો આપીને પણ કેવી ખોટ ખવાય છે, તેનું સૂક્ષ્મ નીરુપણ તેઓશ્રીએ કર્યું છે. આ સમજણને સંક્ષિપ્ત રૂપમાં ઉદાહરણ સાથે અહીં દર્શાવવામાં આવી છે, જે વાચકને દાન આપવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.

દાનના પ્રકાર

દાન કોને કરવું જોઈએ અને શેનું કરવું જોઈએ? દાનનાં કેટલા પ્રકારો છે? કયા કયા? વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો…

play
previous
next

Top Questions & Answers

  1. Q. દાન એટલે શું? તેનું મહત્ત્વ શું છે?

    A. દાન એટલે પારકાંને આપણું પોતાનું કંઈક પણ આપીને તેને સુખ આપવું તે. બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય... Read More

  2. Q. દાનના પ્રકાર કયા છે?

    A. દાન મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું... Read More

  3. Q. દાન કઈ રીતે આપવું?

    A. આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ... Read More

  4. Q. દાન ક્યાં અને કેટલું આપવું?

    A. આ કાળમાં દાન બહુ વિચારીને આપવા જેવું છે. પહેલાંના જમાનામાં સાચું નાણું આવતું, એટલે દાન પણ સાચું... Read More

Spiritual Quotes

  1. દાન એટલે શું કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરોને તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે.
  2. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય.
  3. દાન આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો!
  4. દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ ઘેર બેઠાં તમારે આવે!

Related Books

×
Share on