
આ ‘દાદો’ તો એવો પાક્યો છે કે જે કશાથી ખરીદાય તેવો છે જ નહીં. એક માત્ર પરમ વિનયથી જ ખરીદાય તેવો છે! વિનય અને પ્રેમ કોઈથી તરછોડાય તેમ નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનમોક્ષનો માર્ગ શો છે? વિવેકમાંથી સદ્વિવેક, સદ્વિવેકમાંથી વિનય, વિનયમાંથી પરમ વિનય અને પરમ વિનયથી મોક્ષ!
પરમ પૂજ્ય દાદા ભગવાનવિવેક એટલે ખરા-ખોટાને જુદું પાડવું તે. સદ્વિવેક એટલે સારાને ગ્રહણ કરાવે તે. વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે તેનાથી આગળ ગયા તે. પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદરભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદરભાવ!
પરમ પૂજ્ય દાદા ભગવાનપરમ વિનય એટલે શું? આપણા નિમિત્તે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જ આપણો પરમ વિનય છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય, પછી જુદાઈ લાગે નહીં. અભેદ દૃષ્ટિ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનલઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દૃષ્ટિ રાખવી, એ આ ‘અક્રમ વિજ્ઞાન’નું ‘ફાઉન્ડેશન’ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
