વ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની.
પરમ પૂજ્ય દાદા ભગવાનવચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનકંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે. ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે. ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનસત્તા વાપરવાથી પોતાને 'ડિપ્રેશન' આવે. સત્તા સુખ આપવા માટે છે. સત્તા ગુનેગારને પણ સુખ આપવા માટે છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events