
‘મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે ‘શુદ્ધ ચેતન’ અનંત શક્તિવાળો છે!’ આ તો માયાનાં વિઘ્નો છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆપણે બળવાન થવાનું નથી, નિર્બળતા કાઢવાની છે. તમે પોતે જ અનંત શક્તિના ધણી છો! સુખેય બહાર ખોળવાનું નથી, મહીં અપાર છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્માની અનંત શક્તિ છે! તમે આત્મા જાણ્યા પછી આત્મામાં એકતાર થાવ તો તે પ્રગટ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઘર્ષણથી બધી શક્તિ ખલાસ થઈ જાય. આત્માની અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. કોઈ અવળો ભાવ થયો, આંખ ઊંચી થઈ જાય એ ઘર્ષણ. ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ? માથું ફૂટી જાય ! ઘર્ષણ એકલું ના હોત તો માણસ મોક્ષે જાય. બસ, એક જ શબ્દ શીખી ગયો કે, ‘મારે કોઈના ઘર્ષણમાં નથી આવવું.’ તો તે સીધો મોક્ષે જાય. વચ્ચે ગુરુનીય જરૂર નહીં ને કોઈનીય જરૂર નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનબધી આત્મશક્તિ જો ખલાસ થઈ જતી હોય તો તે ઘર્ષણથી. અનંત શક્તિઓ ઘર્ષણથી ખલાસ થાય છે ! સહેજ પણ ટકરાયા તો ખલાસ ! આપણે જાગૃતિપૂર્વકના સંયમથી સામા જોડે ટકરાઈએ નહીં તો કામ ચાલે.
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાને જગતના લોકોને કહેલું કે જેની પાસે જે શક્તિ હોય, તેને સંભારવાથી તે શક્તિ ઉત્પન્ન થાય. તને ભગવત્ શક્તિ માગતાં ના આવડે ને કૂદવું હોય તો વાંદરાને સંભારીને શક્તિ માગ તો તે આવડશે. ભસવું હોય તો કૂતરા પાસે શક્તિ માગવી પડે ! ‘જ્ઞાની’ પાસે અનંત શક્તિ હોય, તેમને સંભારું તો એ શક્તિઓ પ્રાપ્ત થઈ જાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનદ્રવ્યકર્મમાં શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત શક્તિઓ છે. પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂર્છિત ભાવ, મોહ લાવેલો હોય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકો તો જે મળ્યા તેની જોડે વાતોએ વળગી પડે છે. કો'ક મળવો જોઈએ. આ વાતોથી તો અનંત શક્તિઓ વેડફાય છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
