Related Questions

જ્યારે કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલે ત્યારે આપણે તેને કંઈ કહેવું જોઈએ કે નહીં?

પ્રશ્નકર્તા: પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં?

દાદાશ્રી: બોલવાનું. એવું કહેવાય, 'આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.' આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય એવી રીતે વાત કરીએ છીએ નેતેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય એને વિનયથી કહેવા જોઈએ.

પ્રશ્નકર્તા: ખરાબ શબ્દ બોલતા વિનય જળવાઈ શકે?

દાદાશ્રી: એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે, 'ડ્રામેટિક' (નાટકીય) છે ને! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, 'હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દે ને મૈયા પીંગળા', કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે 'અલ્યા, તું તો લક્ષ્મીચંદ છે ને? તું સાચું રડે છે?' ત્યારે કહેશે, 'હું શું કરવા સાચું રડું? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.' એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે. 

×
Share on