પ્રશ્નકર્તા: પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં?
દાદાશ્રી: બોલવાનું. એવું કહેવાય, 'આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.' આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય એવી રીતે વાત કરીએ છીએ ને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય એને વિનયથી કહેવા જોઈએ.
પ્રશ્નકર્તા: ખરાબ શબ્દ બોલતા વિનય જળવાઈ શકે?
દાદાશ્રી: એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે, 'ડ્રામેટિક' (નાટકીય) છે ને! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, 'હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દે ને મૈયા પીંગળા', કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે 'અલ્યા, તું તો લક્ષ્મીચંદ છે ને? તું સાચું રડે છે?' ત્યારે કહેશે, 'હું શું કરવા સાચું રડું? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.' એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે.
Book Name: વાણી, વ્યવહારમાં... (Page #51 and Page #52)
Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?
A. પ્રશ્નકર્તા: પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી: શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ... Read More
Q. કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં... Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું? દાદાશ્રી: ડાહ્યો માણસ હોય ને તો લાખ... Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે! દાદાશ્રી: છોકરાં તરીકે... Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેક્ચર મારી... Read More
Q. મારી ધંધા/કામકાજની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા: વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું... Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા: કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું? સમભાવ કેવી રીતે... Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવી રીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી: તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરાં વઢતા હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી... Read More
Q. વ્યવહારમાં મતભેદ કેવી રીતે ઉકેલવા?
A. પ્રશ્નકર્તા: કહેતા ના આવડે તો પછી શું કરવું? ચૂપ બેસવું? દાદાશ્રી: મૌન રહેવું અને જોયા કરવું કે... Read More
subscribe your email for our latest news and events