
દાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત).
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકોએ 'કર્તા થિયરી' જોઈ છે પણ 'કર્મ-થિયરી' જોઈ નથી. ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે 'કર્તા થિયરી'! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ 'કર્મ થિયરી'. કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી, પરવશતાથી કર્મ કરવા પડે છે. સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય. પરવશતાથી કર્મ કરે એટલે પરવશતાથી ભોગવવું પડે. આ જગતમાં કોઈ પણ માણસ ગુનેગાર કે ખોટો દેખાય છે એ બધી ભ્રાંતિ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનહક્કનું ભોગવવાની છૂટ છે પણ અણહક્કનું આનંદથી ભોગવે તેનાથી ઘોડાગાંઠ બંધાય ને આવતા કેટલાંય અવતાર બગડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થઈ જાય ને છૂટવા માટે અવસર મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
